________________
રૂપસ્થ અવસ્થા લોકાચ ભાગે પહોંચવાને યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધના સુખ અર્પતી અંતિમ તપસ્યા જ કરે; જે ચૌદમા ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્ત શેલેશીકરણ, એવા.૪૦ હર્ષે ભરેલા દેવ નિર્મિત અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંત પરમાત્મા જગત ઘર આંગણે; જે નામના સંસ્મરણથી વિખરાય વાદળ દુ:ખના, એવા.૪૧ જે કર્મનો સંયોગ વળગેલો અનાદિ કાળથી, તેથી થયા જે મુકત પૂરણ સર્વથા સદ્દભાવથી; રમમાણ જે નિજરૂપમાં ને સર્વજગનું હિત કરે, એવા. ૪૨ જે નાથ ઔદારિક વળી તૈજસ તથા કાર્પણ તનુ, એ સર્વને છોડી અહીં પામ્યા પરમપદ શાશ્વતું; જે રાગદ્વેષ જળ ભર્યા સંસાર સાગરને તર્યા, એવા. ૪૩ શૈલેશી ક રણે ભાગ ત્રીજે શરીરના ઓછા કરી, પ્રદેશ જીવના ઘન કરી વળી પૂર્વ ધ્યાન પ્રયોગથી; ધનુષ્યથી છૂટેલ બાણ તણી પરે શિવગતિ લહે, એવા. ૪૪
.
નિર્વિધન સ્થિરને અચલ, અક્ષય સિદ્ધિગતિ એ નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃ ફરવાપણું; એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે, એવા. ૪૫ આ સ્તોત્રને પ્રાકૃ ગિરામાં વર્ણવ્યું ભકિતબળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના કો મુનીશ્વર બહુશ્રુતે; પદપદ મહીં જેના મહા સામર્થ્યનો મહિમા મળે, એવા.૪૬
૧૫