SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. ૧ જીવ સકળ આતમ સમ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ; | પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. ૨ દંભ, દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ, પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ. ૩ હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. ૪ શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; | સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને આચરાય નહિ. ૫ | કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. ૬ નામ તણાં અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી આદરાય નહિ. ૭ જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ-નીચનો ભેદ, પ્રભુના મારગડામાં થાય નહિ. ૮ નામ રસાયણ સેવે સમજી, કટ થકી મૂકાય નહિ; એ પથ્થોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. ૯ પથ્ય રસાયણ બંને સેવે, માયામાં લલચાય નહિ; તો હરિદાસ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ. ૧૦ (૫૫) મનમાં શું મલકાય રોજ તારી આવરદા મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય (૨) ૨૧૯
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy