________________
(૫) (રાગ - મંદિર છો મુક્તિતણા)
કહું ?
હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહું કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું ? તું મોક્ષની મોઝારમાં, હું દુઃખ ભર્યા સંસારમાં, જરા સામું પણ જુવો નહીં તો, ક્યાં જઈ કોને કહું....૧
વા
હું સ્પષ્ટ બોલું તુજ કને, છે તાહરું શરણું મને, આ લોકમાં કે સ્વપ્નમાં, નવિ ચાહતો હું અન્યને; નાથ મારા પ્રાણના, મુજ માત-તાત સત્ય જીવિત બન્યું ગુર, વલી દેવ સાચા છો તમે...
તમ,
હે મુજ સત્ય
સંસાર રૂપી મહાટવીમાં, સાર્થવાહ પ્રભુ તુમે, મુક્તિ પુરી જાવા તણી, ઈચ્છા અતિશય છે મને; આશ્રય કર્યો તેથી પ્રભુ તુજ, તોય આન્તર-તસ્કરો, મુજ રત્નત્રય લૂંટે વિભો, રક્ષા કરો ? રક્ષા કરો ?....૩
નિઃસીમ કરુણાધાર છો, શરણ્ય આપ પવિત્ર છો, સર્વજ્ઞ છો નિર્દોષ છો ને, સર્વ જગના નાથ છો, હું દીન છું. હિંમત રહિત થઈ, શરણ આવ્યો આપને; આ કામ રૂપી ભિલ્લથી, રક્ષો મને રક્ષો મને....૪
આત્મા તણા આનંદમાં, મશગૂલ રહેવા ઈચ્છતો, સંસારના દુઃખ દર્દથી, ઝટ છૂટવાને ઈચ્છતો; આપો અનુપમ આશરો, હે દીનબંધુ ! દાસને, શરણે હું આવ્યો આપના, તારો પ્રભુ ! તારો મને...૫
મ
૧૫૨