________________
| (૯૨) ચંદ્રપુરીતીર્થ-ચંદ્રપ્રભુજી ચંદ્રપુરીમાં જગ સૌખ્યકારા, હે નાથ! ચંદ્રપ્રભ ચાર તારા; fo કલ્યાણ હુંતા ભવિના સહારા, પેખું પૂજંતાં શિવના મીનારા. ૯૨ !
| (૯૩) પાવાગઢતીર્થ-પાર્શ્વનાથ પાવાગઢે જે નરનાર જાતા, પાર્થેશ દાદા પૂજી ગુણ ગાતા; 1 | તે ભક્ત પામે સહુ સૌખ્ય તાજા, નહિ રોગ અંગે રહે નિત્ય સાજા. ૯૩
| (૯૪) ઢીમાતીર્થ-પાર્શ્વનાથ પાળી છ'રીને જઈ ગામ ઢીમા, વામેય પૂજો નવલી મઢીમાં; હલ હે કેસરીયાધિ દેવ તારી, પડિમા અનોખી ચમકારકારી. ૯૪
(૯૫) ગુણીયાજી તીર્થ-ગૌતમસ્વામી વીરવિભુના ગણધાર પહેલાં, સમરો સવારે નીત ઉઠી હેલા;ી. ગૌતમ સ્વામી ગુણીયાજી ધામે, કેવલ્યધારી શિવરાજ પામે. ૯૫ 1
(૯૬) તાલધ્વજગિરિતીર્થ-સુમતિનાથ નામે તળાજા ટુંક ત્રીજી જાણો, ગિરિરાજ કેરી પ્રેમે પિછાણો; . જ્યાં દેવ સાચો સુમતિ બિરાજે, વિખ્યાત વિષે જસ જાસ ગાજે.૯૬
(૮૭) નવસારીતીર્થ-પાર્શ્વનાથ છે ગેરવર્તી જિનરાજ મૂર્તિ, પૂજી લહે સૌ શુભચિત્તણૂર્તિ; સંતાપહારી નવસારીનામે, પાર્થેશ પૂજો નવસારીધામે. ૯૭
(૯૮) લાટદેશતીર્થ-મુનિસુવ્રતસ્વામી શ્રીલાદેશે મુનિસુવ્રતેશ, અશ્વાવબોધે તીરથે વિશેષ; એ થાળ 1 પેખ્યો તને પાવિત નાથ કીજે, આત્મોપકારી મુજરો ગ્રહીએ.૯૮T
૧૦૫