________________
(૮) ‘ત’ -નર્દુલપુર (નાડોલ) - પદ્મપ્રભુસ્વામી. જ્યાં માનદેવસૂરિએ બનાવી, શ્રીસંઘ રક્ષા કરી શાંતિ ગાવી; | તે નામ નાડોલ તીર્થે હું જાઉં, પ્રાણેશ પદ્મપ્રભ ગુણ ગાઉં. ૮.
(૯) “મો'-મોહનાતીર્થ-પાર્શ્વનાથ. છે મોહનામાં મહાનંદકારી, ભવ્યજીવોનાં ભવફંદવારી; | વામાતણો નંદન નેહ કીજે, વાંઘો પ્રભુ પાતિકને દહીજે. ૯ | | (૧૦) ‘સિ” -સિરણવા પર્વત-સિરોહી આદિનાથ.
નામે સિરણવા ગિરિમાળ રાજે, ધામે સિરોહીપુરમાં બિરાજે;
શ્રીકોલરાખે દુરગે જિનેશ, આદીશ્વરો હું પ્રણમું જગીશ. ૧૦ | Ug (૧૧) દ્ધા'-ધમકડા તીર્થ -શાંતિનાથ પાઠક ગામે ધમડકા નામે નિહાળી, મૂર્તિ પ્રભુની અતિ રઢીયાળી; શ્રીકચ્છભૂમિમહીં એ ગવાણી, શાંતિપ્રભુ છે ત્રિસું રૂપ ખાણી. ૧૧ | જ (૧૨) ગં' નંદીશ્વરવીપ-બાવન જિનાલય
જ્યાં દેવદેવી બહુવાર આવે, યાત્રા કરી ઉત્કટ ભાવ ભાવે; નંદીશ્વરે બાવન ચય મોટા, ભાવે ભજંતા નહિ પુણ્ય ત્રોટા.૧૨ જિક (૧૩) ન’ નલીયાતીર્થ-ચંદ્રપ્રભસ્વામી છે નામે નલીયા તીરથે બિરાજે, ચંદ્રપ્રભુજી જગ જશ ગાજે; છો શૈત્યદાયી રજનીશ જેવા, ભાવે કરું હું તુજ ભકિત દેવા. ૧૩
(૧૪) ‘મો' મોડપુર-સુપાર્શ્વનાથ શ્રી મોડપુરે અતિશાયિ આજે, સુપાર્શ્વ તારી પડિમા બિરાજે; લળી લળીને તુમ પાય લાગું, કર્મેધનોને દહ વીતરાગુ. ૧૪