SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] વીર-~વચન શું આશ્ચર્ય ! અત્યંતર પરિગ્રહના વર્જન વિના મુક્તિ ન જ હોઈ શકે. અતિચાર (૧) ધનધાન્યપરિમાણતિક્રમ–ત્યારે ધારણાથી દ્રવ્ય વધે ત્યારે આ તો મારા પુત્રનું છે, આટલું અમુકનું છે ઇત્યાદિ નાના પ્રકારના વિકલ્પ કરી ધનના વિભાગ પાડવા અથવા તે જુદા નામે અથવા હલકા ભગાવી ભારે વજનના ઘરેણાં કરાવવાં તે તથા ધાન્યની મર્યાદા ઓળંગવી તે. (૨) ક્ષેત્ર પરિમાણતિક્રમ-ક્ષેત્રાદિ નિયમ કરતાં વધારે રાખવા વા બેને જોડી એક કરવા. (૩) રૂખ અને સુવર્ણ પ્રમાણતિક્રમ-રૂપા-ચાંદી સુવર્ણ નિયમ તેડવા. (૪) કુપદ પરિમાણુતિક્રમ-ત્રાંબુ, પીત્તળ, કશા પ્રમુખ ધાતુના વાસણ વજનદાર બનાવી નિયમ તેડવો. (૫) દ્વિપદ ચતુષ્પદ પરિમાણતિકમ-દાસ દાક્ષી ગાય ભેંસ પ્રમુખ પ્રાણીઓ રાખવામાં નિયમનું ઉલંઘન કરવું. અતિચારનું સ્વરૂપ અવધારી તે વર્જવા. . આમ આપણે બારવ્રત મહેલા પાંચ અણુવ્રત વિષે વિચારી ગયા. સાધુજીવનના પાંચ મહાવ્રતની અપેક્ષાએ આનુ પાલન સહજ હોવાથી એ અદ્વૈત કહેવાય. હવે ત્રણ ગુણવ્રત (પૂર્વના વ્રતને ગુણો હોવાથી)ની વાત કરીએ. (૬) દિગપરિમાણ વ્રત-દિગ કહેતાં દિશા. વ્રતને વિષય દિશાએમાં જવા સંબંધી મર્યાદા બાંધવાનું છે. આવી મર્યાદા હોય તે એ ઉપરાંત ક્ષેત્રમાં થતાં આરંભ-સમારંભ સાથે નિયમધારી જીવને વળગ કે સ્નાનસૂતક ન રહે. એથી આત્મિક લાભવૃદ્ધિ થાય. ગમના ગમનની સંકુચિતતા નિવૃત્તિપોષક છે. ઉંચું-નીચું અને ચારે દિશા, વિદિશામાં જવા સંબંધી નિયમ કરે એ આ વ્રતને ફલિતાર્થ છે. ઉપર મુજબ દશેનું જુદું પરિમાણ કરવું અથવા તે જળમાર્ગે અમુક બંદર સુધી જવું, સ્થળ માગે અમુક દિશામાં અમુક દેશ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy