SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] વીર–પ્રવચન પ્રવૃત્તિ નજર સામે રાખી એટલી લાલબત્તી ધરવાની કે જ્યાં વ્યાખ્યાન નામે કેવળ કલેશ પોષવાના ઉપદેશ અપાતા હાય, આગમને નામે ધર્માંધતાના પાન કરાવાતા હેાય અને વકતૃત્વના પ્રયાગાદ્વારા માત્ર મનમાની વાતની પાષકતા થઈ રહી હૈાય ત્યાં ઉપરાત લાભની આશા આકાશ કુસુમવત્ હોય છે. પ્રભુના સિદ્ધાંતમાં વ્યાખ્યાનશ્રવણથી કષાય યાને રાચદ્વેષાદિ દૂષણાન ઘટવાપણ કહેલું છે, આત્મિક ગુણાનુ વધવાપણું સુચવાયેલું છે, એથી જ્યાં ઉલ્ટી દશા વતી હેાય ત્યાં ન જતાં એકાંતમાં સમતાથી ગ્રંથવાંચન પણ વધુ ફળદાયી છે. ૩. સ્વાધ્યાય- જે વાંચનવડે આત્મા સ્વ અને પર વચ્ચે ભેદ પારખી સ્વ સ્વરૂપનું ભાન કરતા જાય, એમાં ઉંડા ઉતરતા જાય તે સ્વાધ્યાય. આ ઉપરથી ધાર્મિક પુસ્તકાનુ અથવા તા તત્વજ્ઞાનને પુષ્ટિ આપે તેવા ગ્રંથાનું વાંચન અને આત્માને સ્વગુણુ દર્શીનમાં સહાયક થઈ પડે તેવી વિચારણા કરવી એ સ્વાધ્યાય કહી શકાય. આ કાર્ય સામાયિક દશામાં શકય હાવાથી મેધડીરૂપ સામાયિક એ પણ સ્વાધ્યાયનું અંગ ગણી શકાય. જો કે સામાયિકના (૧) સમભાવ (૨) સમક્રિય (દયાભાવ) (૩) સમવાદ ( સત્યવચન ) (૪) સમાસ ( ઘેાડા અક્ષરમાં તત્વ ) (૬) સંક્ષેપ (થેાડામાં કાઁનાશ) (૬) અનવદ્ય (પાપરહિત) (૭) પરિજ્ઞા (તત્વ જાણવા રૂપ) (૮) પ્રત્યાખ્યાન (વસ્તુત્યાગ)રૂપ આ પ્રકાર કહેલાં છે અને પરમાથી વિચારતાં એ સર્વને સહજ રીતે સ્વાધ્યાયમાં સમાવેશ થઈ શકે છે. જેમ જેમ ધાર્મિક વાંચન સમજપૂર્ણાંક થતું રહે છે તેમ તેમ આત્મા કષાયના પાશમાંથી મુક્ત બનતા જાય છે, સાથે સાથે તત્ત્વની સમજ થતાં શું કરવા યાગ્ય છે અને શું છેાડવા યાગ્ય છે એનું પણ લક્ષ્ય બંધાય છે. સામાયિકની આ વ્યાખ્યા समता सर्वभूतेषु संयम शुभ भावना । आर्तरौद्रपरित्याग तद्धि सामायिकं व्रतम् ॥ મનન કરવા જેવી છે. સ્વાધ્યાય ધ્યાન વેળા એનું પાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy