SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] લાસ્વરૂપ નરક જીવેાના સાત પ્રકાર છે. તેમના રહેઠાણને નરકભૂમિ કહેવાય છે, રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધુમપ્રભા, તમઃપ્રભા : અને મહાતમ:પ્રભારૂપ અનુક્રમે તેમના નામેા છે. આપણે વસીએ છીએ તે પૃથ્વી તેમજ દરેક પ્રકારની નારકભૂમિ એ સ અનુક્રમે અનેાધિ, નવાત અને તનવાતના આધારે રહેલ છે, તનવાત આકાશના આધારે રહેલ છે; જ્યારે આકાશ સ્વયં પ્રતિષ્ઠિત છે, એટલે તેને કાઇનેા આધાર નથી તેમ તેને તે પ્રકારના આધારની જરૂર પણ નથી. વીર-પ્રવચન લાકના ત્રણ ભાગ છે. ૧. ઉર્ધ્વ'. ૨. મધ્ય. ૩. અધા. એને ચૌદ રાજલેાક પણ કહેવાય છે. મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ યાજ નથી અધિક ઉ ંચા પ્રદેશ તે ઉલાક છે. મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ ચેાજન નીચેના પ્રદેશ તે અધેાલાક છે; અને મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ ચેાજન ઉચે અને ૯૦૦ યેાજન નીચે મળી ૧૮૦૦ ચેાજનના જે પ્રદેશ તે મધ્ય લેાક છે. અપેાલાક ઉધા શકારા જેવા છે, તેમાં સાત નારક પૃથ્વીએ છે; જેમાં સાત પ્રકારના નારક જીવા વસે છે. ઉર્ધ્વલેાકના આકાર પખાજના જેવા છે એટલે કે એક છતા શકારા પર એક ઉંધું શકારૂં ઢાંકતાં જે આકાર બને તેવા પ્રકારના છે. તેનું પ્રમાણુ સાત રાજમાં નવસે। યાજન ન્યૂન છે, તેમાં બાર પ્રકારના વિમાનવાસી ધ્રુવા તથા નવચ્ચેવેયક તે પાંચ અનુત્તર વિમાનવાસી દેવોના વાસ છે. તેની ઉપર સિતિશલા પર કેટલેક દૂર મુક્ત જીવોના વાસ છે. મેરૂ પર્વતની ઉપરનીચેના મળી જે ૧૮૦૦ યેાજનના પ્રદેશ છે તે મધ્ય લાક; તેમાં તિર્યં ચમનુષ્ય, ભુવનપતિ, વ્યંતર અને વાણુ વ્યંતર દેવો તેમજ જયાતિષ્ણદેવોના વાસ છે. આ મધ્યલાકમાં અસંખ્યાત દ્વિપ સમુદ્રો છે. તે એક રાજ પ્રમાણુ લાંખે। અને એકરાજ પ્રમાણ પહેાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy