SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] - વીર–પ્રવચન ભાઈ, ગ્રહ આ આહાર અને ધર્મબુદ્ધિથી આપે છે. તેઓને એમ કરવાથી સુપાત્ર દાન કર્યાનું પુન્ય હાંસલ થાય છે. માત્ર દેહ ટકાવવા અર્થેજ અમને તે ગ્રહણ કરવાની આજ્ઞા છે એટલે અમે ખપથી વધારે ભાગ્યે જ લાવીએ છીએ, ઉલટું કંઈક એ છે લાવીએ છીએ. અમારે એમાંથી દાન દેવાપણું હોય જ નહિ. વળી એ ગ્રહસ્થીને તે કલ્પી શકત પણ નથી. આમ છતાં તું સુથાથી કલાન્ત થયે છે અને એ ટાળવાને ત્વને અન્ય માર્ગ ન દેખાતે હાય તે પ્રથમ અમારો વેષ સ્વીકાર તેજ તું આહારને ઉપભોગ કરી શકે. સાધુ જીવન ત્રિવિધ તાપ ટાળવાને સમર્થ છે અને હારા જેવાનું ભવિષ્યમાં એથી ખાસ કલ્યાણ થનાર છે. હવે હુને જેમ ઉચિત લાગે તેમ કર.” ગુરૂશ્રી, મહને તે તમારે આશરે છે. હું સાધુ થવા તૈયાર જ છું. ભુખથી મારા પ્રાણ કંઠે આવ્યા છે માટે સત્વર ક્રિયા આપી મને સુધાના અકથ દુઃખમાંથી બચાવો. સૂરિ મહારાજે મુદ્રા જોઈ આ જીવનું ભાવિ વાંચી લીધું હતું. તરત જ વિધિ કરી સાધુને વેષ એને આપો. જેને સ્વપ્નામાં પણ આ સુંદર આહાર જેગેલે નહીં અને કેટલાયે દિવસના કડાકા થયેલા, તેને ખાવામાં પાછું વાળી જોયું નહિ. શરીર નબળું પડી ગયેલું હોવાથી વિશુચિકાને (ઝાડાને) વ્યાધિ લાગુ પડ્યો. અન્ય સાધુઓ તેમજ ઈતર પ્રતિષ્ઠિત ગૃહસ્થ આ નવિન સાધુની સુષા કરવા લાગી ગયા. એક વેળાના આ ભિક્ષુકને સાધુ વેષ પ્રત્યેની આવી હદ વગરની ભક્તિ જેઈ અપૂર્વ માન ઉપર્યું. મનમાં આ વેષને–આ ધર્મને વારંવાર ધન્યવાદ આપવા લાગ્યો. આખી રાત્રિ નવિન સાધુએ શુભ અનુમોદના કરવામાં અને ચારિત્ર ધર્મની શ્રેષ્ઠતાના ચિંતવનમાં ગાળી. ત્યાંથી કાળ કરી તે છવ શ્રેણિક રાજાની આઠમી પાટે, ઉજ્જૈની નગરીમાં કુણાલ નામે રાજપુત્ર કે જે ઓરમાન માના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy