SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૦૦: કેસરના સાથિયાના છાંટા પણ મહિનાઓ સુધી, કાયમ રહે છે. તમે પ્રતિમાને કેશર આદિ ચઢાવ વાંમાં પા પ ચા અધર્મ માને છે અને પંચમહાવ્રતધારીને તેં ન ચઢાવી શકાય એમ કહે છે. છતાં દીશાથીને માટે તમે તેને ઉપયોગ કરો છો, એટલે તમારું કથન ત્યારે જ સાચું ઠરે કે જ્યારે તમારા દીક્ષા લીધેલા સાધુઓમાં પંચમહાવ્રત નથી એમ તમે માનતા થાઓ. જો તમે એમ ન માને, તે પંચમહાવ્રતધારીને કેસર આદિ ચઢાવાય નહિ એ તમારું કથન આપોઆપ ખોટું સાબીત થાય છે. ભગવાનની પ્રતિમાને કેસર ચઢાવવામાં તમને દેષ માલમ પડે છે પણ દીક્ષાથી ને કેસર વગેરે ચઢાવવામાં તમને દેષ નથી જણાતો! તમારું આ વર્તન તે કાણું સાંઢણુ જેવું જ છે, કે જે સાંઢણી માત્ર એકજ બાજુએ જોઈ શકતી હતી અને બીજી તરફ તેને ફક્ત અંધકારજ દેખાતે હતો!! પંથી–જે પ્રતિમામાં પંચમહાવ્રત હય, તે પ્રતિમાની પૂજા સ્ત્રીઓ કેવી રીતે કરી શકે? પૂજા કરતી વખતે પ્રતિમાને શું સ્ત્રીને સ્પર્શ થતું નથી? જે સ્પર્શ થાય છે, તે પ્રતિમાનું પંચમહાવ્રત નષ્ટ થાય છે. આ સ્થિતિમાં પ્રતિમાને સ્ત્રીને સ્પર્શ થવા છતાં, પ્રતિમામાં પંચમહાવ્રત કેવી રીતે રહી શકે છે, તે બતાવે જોઈએ! ' જેની-જિનપ્રતિમા એ તે જિનભગવાનની સ્થાપનાનું પ્રતિક છે. જ્યારે પંચમહાવ્રતે તે જિનેશ્વર ભગવાનમાં રહેલા છે. આથી પ્રતિમાને સ્ત્રીને સ્પર્શ થાય, એમાં કશે દેષ નથી. જ્ઞાતાજસૂત્રમાં પણ લખ્યું છે, કે સતિ દ્રોપદીએજિનગૃહમાં જઈને જિન પ્રતિમાની પૂજા કરી હતી, ભગવાનની પ્રતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy