SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ વિષ્ટા મૂત્ર આદિથી ભરેલી ગુરૂદેહનું દર્શન કરે છે, તો પછી તમે પણ તેમ ન કરતા, તમારા ઘરમાંજ પાયખાનું મોજુદ છે, તેની પાસે જઈને એજ મળ મૂત્રનું દર્શન ખુશીથી કયા કરે, અને ગુરૂ–દર્શનને ત્યાગજ કરી દેને! તમે જે પ્રશ્ન પૂછે છે, તે જ મેં આ જવાબ પણ આપે છે. ૫૦-પ્રતિષ્ઠા કરાવવાથી કોઈ પણ ગુણોને પ્રતિમા સ્વીકાર કરતી નથી, તે પછી પ્રતિમાનું મહત્વ કેવી રીતે અવકાશ પામે છે? જેની–તમે દરરોજ પ્રાત:કાળે અને સાયંકાળે, પ્રતિકમણુ કરતી વખતે ચાયસિ લાખ જીવ નીને ક્ષમાપના આપે છે, (ખમાવે છે) તે એ ચર્યાસિ લાખ જીવ ની, તમારી ક્ષમાપના સ્વીકારે છે? એજ પ્રમાણે જીન મહારાજની પ્રતિમાનું પણ સમજવાનું છે. પં-પ્રતિમાનું દર્શન કરવા કરતાં તે ઘંટીનું દર્શન કરવું, ઉત્તમ છે, કારણ કે ઘંટી તે લેટ પણ આપે છે, જ્યારે પ્રતિમા તે કંઈજ આપતી નથી! જૈની–ઘંટીનું દર્શન કરવાથી જેમ તમને લોટનું સ્મરણ થાય છે, તે જ પ્રમાણે અમને પ્રતિમાનું દર્શન કરવાથી, ભગવાનનું સ્મરણ થાય છે, અને ભગવાનનું સ્મરણ કરવાથી, કર્મનિર્જરા (કર્મના બંધનને નાશ) થાય છે. ભગવાનનું સ્મરણ કરવા માટે જીન પ્રતિમાનું દર્શન કરવું જરૂરી છે, તથા કાર્યોત્સર્ગ અને ધ્યાન પણ આવશ્યક છે, તે પ્રમાણે મુનિઓ વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy