SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૭: તરસથી પીડાઈને મરતા હોય, તે તેમને પાણી પાઈને મરતા બચાવવા, એમાં દયા તથા ધર્મ નથી. એક તરસથી મરતા માણસને, પાણે પાઈને બચાવી લઈશું, તે એથી અનંત જલકાય જીની હાની થશે, ત્યારે એક જીવ બચવા પામશે. અર્થાત્ એક જીવને બચાવવા માટે, અનંત જીને ઘાત કરે, એ પ્રથમ આશ્રવ છે; અર્થાત્ પાપ છે. જેની–વાહજી, એવો ધર્મ કયા ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા છે? જૈનશાસ્ત્રોથી તે તમારું આ ધર્મ મંતવ્ય સર્વથા વિરૂધ્ધ છે. જુઓ: શ્રી. જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે, કે રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના રાજપુત્ર અભયકુમાર જેનીએ, ધારણ રાણીની દયા કરી હતી. દયાને અર્થે દેવપ્રયોગથી મેઘ વરસાવ્યો હતો. નદી, તળાવ, સરવરે, બધું ભરી નાંખ્યું હતું અને રાણીનું સ્વપ્ન પૂર્ણ કરીને, તેને સંતેષ ઉપજાવ્યો હતો. આ કાર્યમાં અનંત જલકાય જીની હિંસા થઈ હતી, પણ તે છતાં એ કાર્યમાં શ્રી મહાવીર ભગવાને દયા ફરમાવી છે. જેને સૂત્રપાઠ આ પ્રમાણે છે. સૂત્રપાઠા“મમીરગણુપમા ઈત્યાદિ સૂત્રમ | એનો અર્થ એવે છે, કે અભયકુમારે અણુકંપા નામે દયા કરી છે. આ સ્થળે ભગવાને જલના જીવોની હિંસા ન ગણીને, દયા ફરમાવી છે. અમે જે સૂત્રના અનુસાર ઉપલું કથન કહ્યું છે, તે કથનને મુખ્ય ભાવ એ છે, કે દયાને અર્થે આરંભી હિંસાનું પાપ નથી; તે પછી તમે દયામાં પાપ છે, એ કયા સૂત્ર પ્રમાણે ઉપદેશ છે? એમ માલમ પડે છે કે હે ભાઈઓ! તમે તમારે પંથ સ્થાપવા માટેજ આવી આવી યુક્તિઓ ચલાવી છે, અગર જે તમારા કથનને પુરવાર કરનારું શાસ્ત્ર પ્રમાણે હાય, તે તે બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy