SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) વિશ્વને પાવન કરનારાં, વીરધવલ રાજાના શાસનને શ્રેયની અભિવૃદ્ધિ માટે શેષાની જેમ સદા મસ્તક પર ધારણ કરે; અન્યથા કૃતકૃત્યતા કરી ભીમ, ચામુ’ડ, સાંગણુ વિગેરે રાજાએની પંક્તિ(મરણાવસ્થા)માં પોતાને સ્થાપેા. ” ભટ્ટનાં એવાં વચન સાંભળી, કાપથી તપતા અંગવાળા, ઘેાર વિક્રમ ધારણ કરનારા રાજા ઘૂઘુલે પ્રત્યુત્તરરૂપે ઉચ્ચાયુ. કે— અહા ! ઘૂઘુલનાં કોપ-વચના. આ બંને દુરાત્મા વાણિયાઓનુ પણ કેવા પ્રકારનું સાહસ છે? કે, અમને ( રાજાઓને ) પણુ દૂતદ્વારા આદેશનુ નિવેદન કરે છે ! ખરેખર, એ બન્નેને પેાતાની પહેલાની અવસ્થા ભૂલાઇ ગઇ લાગે છે, જેથી રાજાની પણ આવી રીતે તિરસ્કાર–વિડંખના કરવામાં આવે છે. કહ્યું છે કે... અવંશ( હીનવંશ)માં પડેલા રાજા, મૂર્ખના પુત્ર છતાં થયેલ પંડિત, અને ધન પ્રાપ્ત કરનાર અધન; તે જગને તૃણુ જેવું માને છે. ' તાતું મ્હારા આ કથનને તે અને અધમ સચિવાને કહેજે કે—‘ શું સિંહ હરણના શાસન( હુકમ )ને માથે ચડાવે ? ’ પણ રાજ–મદના ઉન્માદથી વિવશ થયેલા ચિત્તવાળા એ અને દુરાચારી નીચ જેમ તેમ ખેલે. કહ્યું છે કે— સૂર્ય - મંડલથી ઉષ્ણતા પ્રાપ્ત કરનાર વાલુકા( રેતી)ના સમૂહ, જેમ તપે છે, તેમ ખીજા પાસેથી લક્ષ્મી પ્રાપ્ત કરનાર નીચ અત્યંત તપે છે. ' તા અનુચિત કર્મ કરનારા એ નેની, નદીના તટપર રહેલા ઝાડની જેમ નિશ્ચે નજીકમાં જ પડતી થવાની. કહ્યું છે કે ઐચિત્યથી સ્ખલન થવુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy