SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપા કરી તમારા સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરી મને વિશેષ આનંદ આપે. જે હું તમારા સ્કૂલ વરૂપને જાણું છું, તે સુક્ષ્મ સ્વરૂપને જાણ નથી. નિશ્ચયનય–તારે શું જાણવું છે ? મુસાફર–પ્રથમ તે મારા મનમાં એવી શંકા થાય છે કે, નિશ્ચય અને વ્યવહાર અને નયને લીધે આગમ કહ્યો છે, તો તે બને નયમાં કાર્યની સિદ્ધિ કરનારે કે નય ? તે મને સમજાવે મુસાફરના તેવા વચન સાંભળી નિશ્ચયનય કોઇપણ બે નહીં. અને તે વિચારમાં પડે એટલે વ્યવહારના વિનયથી જણવ્યું, ભદ્ર, આ નિશ્ચયનય કે જે મારે સજાતીય છે, પણ તે મારાથી ચડીઆત છે: તથાપિ તે વિનીત હોવાથી પિતાની પ્રશંસા કરતાં શરમાય છે, માટે તેને વિષે હું પોતે કહું તે તું લક્ષમાં રાખજે. જેમ કેઈ પુરૂષ પર્વત ઉપરથી નીચે પડતો હોય અને બીજે પુરૂષ તેને હાથ મજબૂત ઝાલી રહી તેને પડતો અટકાવી રાખે, તે તે પુરૂષ તેને હિતકારી કહેવાય છે, તેવી રીતે પતિને જ્યાં સુધી મોક્ષ સુખની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી વ્યવહાર ભલે છે, એટલે ચાથા ગુણઠાણુથી માંડીને ચિદમા શિલેશીકરણ ગુણઠાણું સુધી વ્યવહારનું આલંબન કરવું પડે છે, તેથી એ વ્યવહાર આલંબન પ્રમા ભૂત છે, તથાપિ પરમાથે જ્ઞાનદર્શન ચારિત્રનું શુદ્ધપણું ચેતનમાંજ સધાય છે, બીજાથી સધાતું નથી. અને જે જીવ છે તે પિતાનાજ ગુણમાં વ્યાપી રહ્યો છે અને કર્મ વિગેરે જડ છવ સત્તા રહિત છે, તેની સાથે જીવ વ્યાપક થતા નથી અને જે હું વ્યવહાર છું, તે તે બીજાની છાયામાં રહેનારે છું એટલે પરની નિશ્રા વિના મારાથી રહી શકાય જ નહીં. વ્યવહારનય જે હું તેના કરતાં આ નિશ્ચયનય શુદ્ધ છે અને તેથી તે મારાથી ચડીઆત છે. પછી મુસાફરે નિશ્ચયનયની સામે જોયું, એટલે તેના ઉપકારને માટે નિશ્ચયનય નીચે પ્રમાણે છે: ભદ્ર, હવે તારા જાણવામાં આવ્યું હશે કે હું શુદ્ધ નિશ્ચયનય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy