SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને શાસનમાં કહેલાં અનુષ્ઠાન આત્મકલ્યાણને કરનારાં છે, અકામ નિર્જરા પણ સદગતિ આપવા દ્વારા આમકલ્યાણની સિધ્ધિ કરનાર છે. પણ ત્યાગના તિરસ્કારપૂર્વક ભાગોપભોગની રસિકતા એ કોઈ પણ જીવને કાઈ પણ કાળે ફાયદે કરનારી થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ, માટે મેક્ષનું પ્રબળ સાધન અને આત્મકલ્યાણનો હેતુ એવી તપસ્યાને લાંઘણક્રિયાના નામે નહિ ઉડાવતાં તેમાં પ્રવૃત્તિ કરવી અને કરાવવી એજ હિતકર છે. તપ એ અજ્ઞાન ક્રિયા કેમ કહેવાય? વળી કેટલાક વર્તમાન અધ્યાત્મવાદીઓ મોક્ષના પ્રબળ સાધન તરીકે અને સર્વ સંપત્તિમય અવસ્થાના મૂળ હેતુ તરીકે શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલી તપસ્યાને અજ્ઞાનક્રિયા તરીકે ઓળખાવપતે સંયમ જેવા ઉપકારક એવા તરૂપી મેક્ષમાર્ગથી મૃત થઈ એટલા માત્રથી ન સંતોષ પામતાં અન્ય ભકિક જીવોને પણ તે તપસ્યાને અજ્ઞાનક્રિયા તરીકે ગણાવી યુત કરે છે. પ્રથમ તો તે અધ્યાત્મવાદીઓએ એ વિચારવાની Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy