SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હિરે "સુવાસ : જુલાઈ ૧૯૪૨ બાળને દાઢ આપતી નથી. જેથી બાળકે ૩૨ ને બદલે ૩૨-૧૨=૨૦ દાંતથી સર્વકામ નીભાવી શકે છે. તેમ માંસાહારી મનુષ્યને કે તે કેટીના સિંહ, વાઘ, કુતરા જેવા પશુઓને, પિતાને ખેરાક પ્રથમ ફાડવાની આવશ્યકતા રહેલી હોવાથી વનસ્પતિ આહારી કરતાં પેલા અણિદાર ને કુતરીયા દાંત પ્રમાણમાં વિશેષ મોટાને અણીયાળા હોય છે જ્યારે ગાય, ભેંશ અને હાથી જેવા તદ્દન નિરામથી આહારીને ઘાસને જ ખોરાક હોવાથી ખૂબ ચાવી ચાવીને ઝીણો કરવો પડે છે અને તેથી તેમની દાઢે બીજાના પ્રમાણમાં વધારે મોટી ને પહોળી હોય છે. આ ઉપરથી એમ ફલિતાર્થ પણ કાઢી શકાશે કે જે કોઈ પ્રકારના દાંત પડી ગયા હોય તે, ખેરાકને પાચક રૂપમાં આણવા માટે તે સ્થાને તેવા બનાવટી દાંત બનાવરાવવા અથવા તે, પડી ગયેલા દાંતથી કરાતી ક્રિયા ન કરવી પડે તે જ ખોરાક માત્ર ખાધા કરો. - રચના અને ગોઠવણ-જડબામાં દરેક દાંતને અકેક ખાડામાં શ્રેણીબંધ ખેડવામાં આવ્યા છે અને દીવાલ ચણવામાં જેમ દરેક ઈટ કે પત્થરને, રેતી, ચુનો કે સીમેંટ વાપરી સજજડ બનાવી દેવાય છે તેમ જડબાની અંદરના ખાડામાં દાંતને મજબૂત બનાવવા ચારે તરફ પિલાણમાં માંસના લેચા જેવો પદાર્થ ગોઠવીને તથા બહાર દેખાતા સર્વે દાંતને હારબંધ બનાવવા, તેમને પરસપર પેઢારૂપી સાંકળથી જકડી લીધેલા હોય છે જેથી દાંત ઉપર આંગળી ફેરવતાં કોઈપણ ખાંચ વિનાની એક સીધી લાઈન જ માલમ પડે છે. આ પ્રમાણે ગોઠવાયેલી દાંતની શ્રેણીથી આપણું રેજનું ખાવાનું કાર્ય ચાલ્યા જ કરે છે. કુદરતના નિયમને આધીનતા-કુદરતને નિયમ છે કે દરેક દરેક વસ્તુને–ચાહે તે સજીવ કે નીર્જીવ, નાની યા મેટી હે–ત્રણ અવસ્થામાંથી તેને પસાર થવું જ રહ્યું; ઉત્પન્ન, ધ્રુવ અને લય. પ્રથમ ઉત્પન્ન થાય, પછી એમને એમ સ્થિરતા ધારણ કરે અને છેવટે નાશને પામે. જન્મ, આયુષ્ય અને મરણ જેવો ત્રિકાળાબાધ નિયમનું નામ તેનો નાશ થવો જ જોઈએ. તે નિયમ દાંતને પણ લાગુ પડે છે જ. દાંતની ઉત્પત્તિમાં તેની રચના-ગોઠવણ આદિનું વિવેચન, અહીં ઉપરમાં તેમજ કાંઈક અંશે ગતાંકમાં આપી ગયા છીએ અથવા સ્મરણમાં તાજું થાય માટે સંક્ષિપ્તમાં જણાવી દઈએ કે, દાંતના બે ભાગ–બહાર દેખાતે ચકચકતો દૂધ જે સફેદ, ને તેની અંદર પિચો અને મૃદુઃ બહારનો કઠણ અને નિર્જીવ જ્યારે અંદરને સજીવ અને લેહીયાળ તથા જ્ઞાનતંતુથી ભરપૂર અને સર્વ દાંતને ચસકી જતાં કે હાલી જતાં અટકાવવા માટે તેની આસપાસ પેઢાંની સંકલના. આ પ્રમાણે ઉત્પત્તિ થયા બાદ તેને તે સ્થિતિમાં અમુક સમય પર્યત દાંત ટકી રહે છે. જેમ આપણે જન્મ ધારણ કર્યા પછી કાંઈપણુ લક્ષ આપ્યા વિના કે તેના સદ્વ્યયને વિચાર કર્યા વિના આયુષ્ય વિતાવી દઈએ છીએ તેમ દાંત પણ આપણે બે દરકાર રહેવા છતાંયે પિતાનું નિર્મિત કામ આપે જાય છે; અથવા કહો કે આપણે તેની પાસેથી જેમ એક નોકર પાસેથી કામ કરાવ્યા : કરીએ તેમ કામ કઢાબે જઈએ છીએ. પરંતુ જેમ નોકરની નીમકહલાલીને પણ કાંઈક હદ હોય છે તેમ દાંતને પણ તેના તરફથી કામ આપવાની હદ બાંધેલી હોય છે. આ હદ કેમ ઓળંગાય છે તેને ખ્યાલ આપ અત્ર જરૂરી છે. કેમકે તેને ખ્યાલ આવે તે જ તે સ્થિતિ આવતી કેમ અટકાવાય તેનું અથવા તે અટકાવવાના પ્રયાસ કર્યા છતાયે કમનસીબે સ્થિતિ પલટાઈ ગઈ છે, જેમ બને તેમ તે એછી ઉપદ્રવકારક બનાવી શકાય તેનું સ્વયં ભાન થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034639
Book TitleSuvas 1942 07 Pustak 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy