SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સુવાસ : જૂન ૧૯૪૨ ભારતીય મંતવ્યાનુસાર– “ઈ. સ. પૂ. ૬પના અરસામાં અવંતીમાં પણ નામે નૃપતિ રાજ્ય કરતો હતો. તેણે ગર્દભી વિદ્યા સાધ્ય કરી હોવાથી તે ગર્દ ભિલ્લના નામે જાણીતે થે ને તેને વશ પણ પાછળથી ગર્દભિલ્લના નામે ઓળખાયે. તે નૃપતિએ સરસ્વતી નામે એક રૂપવતી જૈન સાધ્વીને કુદષ્ટિથી કેદ કરી. તે પ્રસંગે સરસ્વતીના ભાઈને મહાન જૈનાચાર્ય કાલકસૂરીએ ગઈ ભિલને ખૂબ સમજાવ્યું પણ તે ન સમજતાં કાલકાચાર્યે પારસકુલ (ઈરાનીના શહેનશાહની મદદથી ગર્દભિલ્લને ઈ. સ. પૂર્વે ૬૧માં અવંતિની ગાદીએથી ઉઠાડી મૂક. ગર્દ ભિલ્લ હારીને . નાશી ગયો. તે પછી શકેએ ચાર વર્ષ અવંતિમાં પ્રભુત્વ ભગવ્યું. પણ ઇ. સ. પૂ. ૫૭ માં ગર્દ. ભિલ્લના પુત્ર વિક્રમે તેમને હરાવીને અવંતિનું સિંહાસન પાછું મેળવ્યું ને તેણે પૃથ્વીને ઋણમુકત કરી પિતાને સંવત્સર શરૂ કર્યો છે.' ભારતીય ગ્રન્થમાં ગઈ ભિલ્લની નાસભાગની હકીકત મળે છે પણ નાસીને તે કયાં ગયે તેની ધ નથી. પરંતુ જેમના મહાન ઈતિહાસકાર લીનીની સેંધમાં તે હકીક્ત મળી આવે છે.... • ઈ.સ. પૂ. ૬૦ માં ભારતવર્ષના વ્યાપારીઓનાં કેટલાંક સુંદર વહાણ આફ્રિકા જવા ઊપડ્યાં. સમુદ્રયાત્રા દરમિયાન હિંદી મહાસાગરમાં તેમને એક પ્રચંડ વાવાઝોડાનું તેફાન નડતાં તેમનાં કેટલાંક વહાણુ સમુદ્રને તળિયે જઈ બેઠાં. આ વ્યાપારીઓમાં ઉત્તર ભારતને કહ્યું કેગલ (ગર્દ ભિલ્લ) નામે એક રાજવી પણ હતા. સભાગે એ રાજવી અને તેની સાથેના બીજા કેટલાક વ્યાપારીઓ તેફાનથી બચી જવા પામ્યા. પરંતુ સમુદ્રના તેફાની પ્રવાહોથી તેઓ આડમાર્ગે ચડી ગયા. લગભગ દશ માસ પછી તેઓ છેક જર્મનીની ખાડીમાં જઈ પહોંચ્યા. જર્મનીમાં કેટલાક દિવસ ગાળીને તેઓ કાંસ ગયા. કાસમાં એ સમયે મિટેલસ નામને રામન સૂબે શાસન ચલાવતો હતો. તેણે કહ્યું કગલ તેમજ તેના સાથીઓનું ભાવપૂર્વક સ્વાગત કર્યું, અને રોમન નપતિ ટેટસ ઉપર એક ભલામણપત્ર લખી આપો. એ ભલામણપત્ર લઈને કર્તકગલ્લા અને તેના સાથીઓ રેમ પહોંચ્યા. ટેટસે તેમનું સ્વાગત કર્યું....વગેરે.” . . ઉપરનું વર્ણન સ્પષ્ટ રીતે જ ગઈ ભિલ્લને લાગુ પડે છે. કેમકે ઈ. સ. પૂર્વે ૬૧ માં ઉત્તર-મધ્ય 'ભારતને નૃપતિ તે હતે એટલું જ નહિ પણ ઇ. સ. પૂ. ૬૧ ના અંતભાગમાં કાલકાચાર્યના હાથે હારીને તેને નાસી જવું પડ્યું હતું કતું કગલ નામ પણ ગર્દ શિલ્લનું જ રૂપાંતર જણાય છે. આ ઉપરાંત વિક્રમાદિત્ય સિંહાસને આવ્યા પછી, મનનૃપતિએ પિતાનું જે સન્માન કર્યું હતું તેના બદલામાં તેને મિત્રાચારીના જે પત્ર લખ્યા તેમાંનો એક મહત્ત્વનો પત્ર પણ નિકેલસ ડમાકેનસ તેમજ સ્લેબની નેંધમાં જળવાઈ રહ્યો છે. નિકોલસ ડમાસ્કેનસ લખે છે કે ભારતથી એક એલચીમંડલી મિજવાને નીકળ્યું અને જળ તેમજ સ્થળની ચાર વર્ષની મજલ પછી ઈ. સ. પુ. ૨૧ માં સેમસમાં રેમન શહેનશાહ ઓગસ્ટસને તે સત્કાર પામ્યું. પત્ર-લેખક ભારતીય પતિ પિરસે (પુરુરવસ-વિક્રમાદિત્ય) ૫ જણાવ્યું હતું કે પોતે - ૧૪, ચારિત્નાકર. આ નૃપતિને મહેન્દ્રના નામે ઓળખાવે છે. ૧૫ કે. રોલીન્સન એમ માને છે કે પરદેશી તવારીખનશે કેઈ પણ હિંદી નૃપતિને માટે પોરસ' શબ્દ સહેજે વાપરી દે છે એટલે આ પિરસનું વ્યકિતત્વ ૨૫ષ્ટ કરવું મુશ્કેલ છે. શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર આ પોરસને દક્ષિણના સતવાહનવંશી વાશિષ્ઠપુત્ર પુલુમાવી સાથે સરખાવે છે. પણ આ પિરસ એ અવંતિપતિ વિક્રમાદિત્ય હેવાનાં અનેક કારણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034638
Book TitleSuvas 1942 06 Pustak 05 Ank 02
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy