SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ - સુવાસ: એપ્રિલ ૧૯૪૨ કર્યો ને તેમાં રામગુપ્ત મરા.૨૪ ચન્દ્રગુપ્ત તરત જ તૃપતિપદ ધારણ કર્યું તે શકસેનાને એવી સજ્જડ હાર આપી કે તેના મેટા ભાગને સંહાર થઈ ગયો, ને બાકીને ભાગ નાસી ગયે. આ યુદ્ધમાં ધ્રુવદેવીએ ચન્દ્રગુપ્તની પડખે રહી અદ્ભુત પરાક્રમ દાખવ્યું. તે પ્રસંગે ચંદ્રગુપ્તની ગોપવી રાખેલી લાગણીઓ ફરી ઉછાળે ચડીને તેણે ધ્રુવદેવીને પિતાની મહારાણું બનાવી.૨૫ ધ્રુવદેવીએ સ્વયંવરમાં ચંદ્રગુપ્તને જ પસંદ કર્યો હતો તેમજ રામગુપ્ત તેને ચંદ્રગુપ્ત પાસેથી લઈ લીધેલી હોવા છતાં તેણે રામગુમ આગળ નમતું આપ્યું નહોતું એટલે તેને માટે મહારાણી પદ એ કોઈ કલંક નહોતું. તે પછી ચંદ્રગુપ્ત પિતાને રાજ્યાભિષેક ઉજવ્યો. (ઈ. સ. ૭૮૦) કિકાઓ પરથી માનવાને કારણે મળે છે કે રાજ્યાભિષેકના સમયે તેની મહારાણી ધ્રુવદેવી જ હશે. રાજ્યાભિષેક પછી ચન્દ્રગુપ્ત એટલું અખૂટ દાન દીધું, ૨૬ વિદ્વાનની એવી અજોડ કિમત આંકી,૨૭ પ્રજાનું એટલું સુંદર પાલન કર્યું અને દુશ્મનને એ સખત દંડ દેવા માંડયો કે પ્રજાએ તેને, તેની પૂર્વે અવંતિના સિંહાસને શોભી ગયેલા શપ્રવર્તક મહાન નૃપતિ વિક્રમાદિત્યનું ૨૯ ઉપનામ આપ્યું. * ૨૪. અમાધવર્ષ તેમજ ગાવિંદ ચોથા ( જુઓ ઉપરની ફન. ૧૪) નાં તામ્રપત્રોથી વિદ્વાનોમાં એવો ભ્રમ રેલાવા પામ્યું છે કે ચન્દ્રગુપ્ત મોટાભાઈનું ખૂન કરેલું. પરંતુ આ વિષયમાં ચંદ્રગુપ્તની કીર્તિની હરીફાઈ કરતા રાજવીઓનાં તામ્રપત્ર પર વિશ્વાસ મૂકવે સુયોગ્ય નથી. બીજી બાજુ ચંદ્રગુપ્ત શકરાજવીને વધ કર્યા પછી બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું હોવાનું અને રામગુપ્ત તેમાં મરાયલ હેવાને સંભવ સૂચવતાં પ્રમાણે પૂરતાં છે રામગુપ્તને જેમની સાથે યુદ્ધ થયું તે શક-નૃપતિ સમયગણતરીએ રૂદ્ધસેન બી હવાને સંપૂર્ણ સંભવ છે. ચંદ્રગુપ્ત સી-વેશે તે કેવળ તેને જ વધ કરેલ. પરંતુ રૂદ્રસેનની પછી સિંહાસન પર તેની બહેનને પુત્ર સિંહસેન ગાદીએ આવ્યું છે તે સૂચવે છે કે રૂદ્રસેનના વધ પછી તરત જ યુદ્ધ થયેલ લેવું જોઈએ અને તેમાં ચંદ્રગુપ્તના પક્ષમાં રામગુપ્ત અને વિરૂધ પક્ષમાં રૂદ્રસેન બીજાના રૂદ્રસેન ત્રીજે આદિ વારસો ખતમ થઈ ચૂકેલ હોવા જોઈએ. શ્રી કેશવલાલ ધ્રુવ પણ ભાતૃવધના આ વિધાનને નથી સ્વીકારતા એટલું જ નહિ પણ સંજણના તામ્રપના સંશાધક હૈ. દેવધર ભાંડારકર પણ કહે છે કે, “ચંદ્રગુપ્ત ભાઈને વધ કર્યો જ નથી. સનણના તામ્રપત્રમાં જે જાતજાતક ગુપ્ત રાજવીને નિશ થયે છે તે રકંદગુપ્ત છે.' રેવીત નાટકનાં જે અવતરણ જળવાઈ રહેલાં છે તે પરથી પણ જણાય છે કે બંને ભાઈ વચ્ચે ભારે નેહસંબંધ હતા અને ચંદ્રગુપ્ત રામગુપ્ત પ્રત્યે વડીલ પ્રત્યે જરૂરી એવો સંપૂર્ણ આદરભાવ ધરાવતા હતા. તે ઉપરાંત જેવીન્દ્રગુપ્ત એ આર્ય પદ્ધતિનું હિંદી નાટક છે. શુભ અન્ત એ આર્ય નાટયશાસ્ત્રનું પ્રથમ લક્ષણ છે. રક્ષામાં પણ વિશાખદત્ત એ જાળવી રાખ્યું છે. એ સંજોગોમાં નાટકને અંત વડીલ ભાઈના વધથી ગુંથાય એવી વસ્તુને વિશાખદત્ત કોઈ પણ સંગમાં પસંદગી ન આપી શકે. યુદ્ધમાં રામગુપ્તના મરણ પછી ચન્દ્રગુપ્ત દુશ્મન માત્રને નાશ કરીને પિતાની સ્વયંવરગ્રહિતા ધ્રુવદેવી સાથે સિંહાસને ચડે અથવા તો સિંહાસને ચડતાં પોતાની મહારાણી કુબેરાદેવીને મહાન ભાભીની સ્મૃતિમાં ધ્રુવદેવી નામ બક્ષત હોય એ જ વન્દ્રત નાટકનો અંત હોઈ શકે, ર૫, આ અંગે પણ હજી મતભેદ છે. કેટલાય વિદ્વાન આ વિધાનને રવીકાર્ય માનતા નથી. અને તેમ કરવાનું જરૂરી દલીલો પણ છે એક તે એ કે ચદ્રગુપ્ત પોતે ધ્રુવદેવીને વશ સ્વીકારેલો તેમજ તેણે યુવદેવીને શકનૃપતિના પંજામાંથી મુકત કરેલી એ બંને પ્રસંગમાં ધ્રુવદેવી સાથે તેનું નામ એવું સંકળાઈ ગયું છે કે દ્વિઅર્થી વિધાનને કશી હદ નથી રહી. હેવીવેન્દ્રગુપ્તના ચોથા અંકમાં ચન્દ્રગુપ્તના માધવસેના સાથેના પ્રેમપ્રસંગે વર્ણવીને પાંચમા જ અંકમાં તે પ્રેમનું પ્રવવી પ્રત્યે પરિવર્તન કરવાનું આર્ય નાટયકારને માટે અસંભવિત જ ગણાય, તેમજ જળવાઈ રહેલાં અવતરણોમાં એવો નિષ મળતા પણ નથી. પ્રભાતીગુપ્તાનાં તામ્રપત્ર પરથી એ પણ પુરવાર થઈ ચૂકયું છે કે ચન્દ્રગુપ્ત બીનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034636
Book TitleSuvas 1942 04 Pustak 04 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy