SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રગુમ-કુવદેવી : ૪૩૩ એ અરસામાં રામગુપ્તને મથુરાના ૧૮ શકનૃપતિ સાથે યુદ્ધમાં ઊતરવું પડ્યું અને તેમાં તેને એવી સજડ હાર સાંપડી કે ગર્વ તજીને તેને દુશ્મનની છાવણીમાં સંધિ માટે જવું પડયું. ત્યાં શકનૃપતિએ ૨૧ બીજા લાભની સાથેસાથ ધ્રુવદેવીની પણ માગણી કરી અને ધ્રુવદેવીના તેજસ્વી વ્યકિતત્વથી કંટાળી ગયેલા રામગુપ્ત શકતૃપતિની તે માગણું પણ માન્ય રાખી. ૨૨ ચન્દ્રગુપ્તને આ સમાચાર મળતાં જ તે ઉમર જેવો બની ગયો. ૨૩ ને સંધ્યાએ ધ્રુવદેવીને વેશ લઈને તે એકલે શકનૃપતિના તંબૂમાં પહોંચ્યો. ત્યાં યુકિતથી એ પરસ્ત્રીલંપટ રાજવીને વધ કરીને તે ચાલાકીપૂર્વક પાછલે રસ્તે પિતાના તંબૂમાં પાછો ફર્યો. આ અદ્ભુત સાહસના કારણે તેને સાહસકનું બિરુદ મળ્યું. શકસેનાપતિને આ કપટના સમાચાર મળતાં જ તેણે રામગુપ્તના સેન્સ પર હુમલો ૧૯. પ્રાચીન કાળમાં શક-ક્ષની બે શાખાઓ હિંદમાં રાજ્ય કરતી નજરે ચડે છે. તેમાંથી એક ઉજ્જયિની માં ને બીજી મથુરામાં. તેમાં ઉજયિનીના શકે તે રામગુપ્તના સમય પૂર્વે જ નાશ થઈ ગયેલે, કેમકે તેના પૂર્વજોએ તેમને નાશ કરીને જ પોતાનું સિંહાસન અવંતીમાં સ્થાપ્યું હતું, એટલે રામગુપ્તની સામે યુદ્ધમાં ઉતરનારા મથુરાના શક-ક્ષ દેઈ શકે. બીજી બાજુ રામગુપ્તના પિતા ને ભાસ્તવિજેતા સમ્રાટ સમુદ્રગુપતે પિતાના અલહાબાદન થંભલેખમાં કાર્તિકપરને સીમાડાના સ્વતંત્ર રાજય તરીકે ઓળખાવ્યું છે. ને ગમીમાંસામાં રાજશેખરે ઉતારેલા લેકમાં એમ નિર્દેશ થયો છે કે –“હે કુમાર પરારત થયેલા શર્મ (નામ) ગુપ્ત રાજવીએ જયાં પિતાની રાણી મુવદેવી ખસ (ક)-નૃપતિને આપવાનું કબૂલ્યું હતું તે હિમાલયના ગિરિગાહમાં કાર્તિકેય નગરની સ્ત્રીએ ટેળે મળીને આપનાં યશગીત ગાય છે –આ બંને ઉલ્લેખ પરથી એ ૨૫ટ થાય છે કે રામગુપ્ત અને શકનૃપતિ વચ્ચેનું યુદ્ધ હિમાલયની નજીકમાં ગુપ્ત સામ્રાજ્યની બહાર રહી ગયેલા કાર્તિકેય નગર ની આસપાસ થયું હતું. કાર્તિકપુરને ઉલ્લેખ હેવીપુરાણ (પ્ર. ૯), લલિતસુરદેવનું તામ્રપત્ર ( Ind. Ant VM. XXV) તેમજ દુતિયવર્મનાં બે તામ્રપત્રમાં (Epi. Ind. Vol. XII) થયેલો છે. એ ઉલ્લેખ તેમજ નર્થ-વેસ્ટ પ્રોવીન્સીઝના ગેઝેટર (Vol. X) પરથી જોઈ શકાય છે એ કાર્તિકનગર સંયુકત પ્રાન્તના વર્તમાન બેજનાથ ગામની નજીક આવેલ હતું. અને આજે પણ બેજનાથને કાર્તિકેયનગરના નામે પણ ઓળખવામાં આવે છે. અને બીજી સાહિત્ય-કતિઓમાં ચન્દ્રગુપ્ત જે સ્થળે શકનૃપતિને વધ કર્યો તેને માટે અહિપુર અથવા અરિપુર શબ્દ વાપરવામાં આવેલ છે. તેમાં પં. લાલચન્દ્ર ભ, ગાંધી શુદ્ધ પાઠ તરીકે અરિપુર' ગણે છે અને તેને અર્થ “દુમનની છાવણી’ એ પ્રમાણે કરે છે. છે. રંગાસ્વામી સરસ્વતી અલિપુરને પસંદગી આપે છે ને એ દલીલના ટેકામાં જણાવે છે કે આજે પણ ઉકત પ્રદેશની નજીક અલીપુર આવેલું છે, ગમે તેમ પણ આ બધી ચર્ચા પરથી એટલું તે સ્પષ્ટ થાય જ છે કે દી. બ, કેશવલાલ કવિ ગિરિપુર સુધારે સુચવે છે તે અર્થહીન છે. ભિન્ન ભિન્ન કિતિઓ તેમજ શિલાલેખમાં આ પ્રસંગ અંગે મળી આવેલ કાર્તિકેયનગર, અલિપુર, અરિપુર, હિમાલય, કિન્નર આદિ શબ્દ પરથી એ નિશ્ચિત છે કે આ યુદ્ધ હિમાલયની નજીકના પ્રદેશમાં ખેલાયું હતું. ર૦. અરિપુરનો અર્થ દુશ્મનની છાવણી હેવાને પૂરતે સંભવ હોઈને આ અર્થ લીધેલ છે. ૨૧, સંકરરાય શકનૃપતિ એટલે કે આચાર્ય એવી વ્યાખ્યા કરે છે. ૨૨. રામગુપ્ત શકનપતિની માગણી કબૂલ રાખી તેમાં તેની કાયરતાએ જેટ ભાગ ભજવ્યો છે એટલે જ કુવવાની તેની આગળ નમતું ન મૂકવાની હઠ પણ ભાગ ભજવ્યે હોય તે સંભવિત છે. ૨૩. નાન માં રેવી માંથી જે અવતરણો લેવાયાં છે તેમાં આ પ્રસંગનું સુંદર વર્ણન પણ જળવાઇર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034636
Book TitleSuvas 1942 04 Pustak 04 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy