SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તાશ તણખા : ૧૯૧ દરમિયાન પણ વીશ હજાર રૂપિયા ન મળ્યા હોત.] ‘પ્રભાત'માંથી છૂટી થયેલ શાન્તા આર્ટને, ‘સીરા’એ, પેાતાનાં બે ચિત્રોમાં કામ કરવાને, રૂ. ૭૫૦૦૦ તે ઉપરાંતમાં દશ ટકાની રાયલ્ટીની શરતે રાકુલ છે, તે સીરકાના ‘ભૈરવી' ચિત્રમાં દેખા દેશેઃ [કામ અનુકૂળ સોંપાયું છે. નામાંકિત વિજ્ઞાનશાસ્ત્રી સર એલીવર લેાજનું અવસાન. ૨૧ મી આગસ્ટે, મહાન સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ દિગંબરની ઠેર ઠેર ઊજવાય નવમી મૃત્યુ-તિથિ. કાઠિયાવાડમાં ઠેર ઠેર વૃક્ષારે પણ. દક્ષિણની રેલ્વેએ સ્ત્રીઓના ડબ્બામાં પારણાં ગાઠવવાની યોજના ઘડી છે. વૈષ્ણવ સંપ્રદાયનાં એક વહુજી મહારાજે પડદાની પ્રથા તછ છે. બાલ્ટીક અને બ્લેક સમુદ્રને જોડતી. નીપર કેનાલ ખુલ્લી મૂકવામાં આવી છે. દેશ—દારૂબંધી રદ જવાથી પ્રેાપર્ટી ટેક્ષ પણ રદ કરવાને સરકારને આગ્રહ કરવાને ઇલાકામાં ઠેર ઠેર ભરાયલી સભાએ. પંજાબની ધારાસભાની એક દિવસની ખાનગી બેઠકના ખર્ચ રૂ. ૨૫૦૦૦ આવ્યેઃ [ખાનગી વસ્તુએમાં ખર્ચ હમેશાં એવા જ આવે છે. ાચીનની ધારાસભાના સભ્યોને માસિક રૂ. ૫૦ ને પગાર અપાશે. તે ધારાસભાએ પસાર કરેલા આળલગ્ન પ્રતિબંધક કાયદે. ના. વાયસરાય તરતમાં પોતાની કાઉન્સીલને વિસ્તૃત બનાવવાની, અને યુદ્ધની પૂર્ણાહૂતિ પછી હિંદના સાંસ્થાનિક દરજ્જાને વિચાર કરવાની જાહેરાત કરતું નિવેદન પ્રગટ કરે છે. હિંદની સ્વાતંત્ર્ય-માગણીના ઉત્તરમાં ના. હિંદી વઝીર કહે છે, ‘સાંસ્થાનિક સ્વરાજ્યથી વધારે ઊંચે રાજકીય દરજ્જો દુનિયામાં નથી': [ના. હિંદી વઝીર પેાતાની માતૃભૂમિને પણ એવા અવ્વલ રાજકીય દરજ્જાના સ્વાનુભવ કરાવી શકે છે.] ગાંધીજી અને મહાસભાની કારોબારી ના. વાઇસરૉય અને ના. હિન્દી વઝીરનાં નિવેદનને અસ્વીકાર્ય ને અસંતાષજનક જાહેર કરે છે. હિંદુસ્તાનની તમામ બિનસરકારી સ્વયંસેવક સંસ્થાએ ગેરકાયદેસર જાહેર થાય છે. એ સ્વયંસેવક કૂચ કરે, લશ્કરી પહેરવેશ પહેરે, વ્યવસ્થિત કવાયત કરે કે બચાવનાં સાધના રાખે તે સામે સખત પ્રતિબંધ જાહેર થયા છેઃ [શ્વાસ લેવો, પાણી પીવું કે ખારાક ખાવેા-ત્રણે ક્રિયા સંપૂર્ણ સ્વતંત્ર છેઃ અલબત્ત કાયદાની હદમાં રહીને.] હિંદ–સંરક્ષણ-ધારા હેઠળ યુક્ત પ્રાંત મહાસભા સમિતિના પ્રમુખ ગીરફતાર. તે જ ધારા હેઠળ ગીરફતાર થયેલ શ્રી. ઇન્દુલાલ યાજ્ઞિકને બે વર્ષની સખત સજા તે 3. લહિયાને હાથકડી: [દરેક સરકારી પગલાં કાયદેસર અને હિન્દના સંરક્ષણ માટે જ ભરવામાં આવે છે. ] બ્રહ્મદેશના માજી વડાપ્રધાનને રાજદ્રોહ માટે એક વર્ષની સજાઃ [સરકાર કાયદેસર ખાખતમાં કાષ્ઠનીય શરમ ન રાખી શકે.] ચકચારભર્યા ભાવાલ સંન્યાસી કેસમાં ન્યાયાધીશે ને મતભેદ. ચકચારભર્યા નાગપુર ખાપા ખૂન કેસ, કે જેમાં ગેરધનદાસ નામે ગુજરાતી ખાણુમાલિક સામે, પુત્રવધૂ પ્રત્યેની બદદાનતથી પુત્રના ખૂનના આરેાપ મૂકાયલા, તેમાં એસેસરાએ ગારધનદાસને સર્વાનુમતે બિનગુન્હેગાર ઠરાવ્યા પણ ના. ન્યાયાધીશને તે ગુન્હેગાર જણાતાં તેને દેશનિકાલની સા ફરમાવવામાં આવી છે. ખીડિયાના દરબારને જન્મટીપ આપવામાં આવી છે. કલકત્તાનું હેાવેલ સ્મારક એક ખ્રિસ્તી સ્મશાનમાં ખસેડાશેઃ [સ્થળ સુયેાગ્ય પસંદ કરાયું છે.] મહાસભાનું આગામી અધિવેશન પંજાબમાં-કુરુક્ષેત્રના રણમેદાનમાં ભરાશે. મહાસભા તે સરકાર વચ્ચે સમાધાનને કાઇ સંભવ નથી. અમદાવાદ મ્યુનિસિપાલીટી ચૌદ લાખની લેાન લ ખસસર્વિસ પેાતાને હસ્તક કરવાનો યેાજના ધડે છે. યુદ્ધ અંગેનાં ત્રણ ટકાનાં ડીફેન્સ ખેાંડમાં ૧૮ કરોડ લગભગ તે વગર વ્યાજની લેનમાં ૧૭૦ લાખ રૂપિયા ભરાઈ ચૂકવા છે. દુષ્કાળથી પીડાતા હીસાર (લાહેાર) પ્રદેશે પણ વારક ડ અંગે પાંચ લાખની લેન લીધી છે: [ચ્યાનું નામ હિંદી રાજભક્તિ.] પરદેશનાં વિમાની પોષ્ટકાર્ડના દર છ-તે બદલે ચાર આના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034632
Book TitleSuvas 1940 09 Pustak 03 Ank 04
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy