SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શીતળાની રસી - ૩૭ તુર્કસ્તાનમાં આ રોગને જીવનને એક અનિવાર્ય રોગ ગણવામાં આવેલ. પરિણામે એ રોગ જેમ વહેલો અને મંદ સ્વરૂપમાં નીકળે તેમ ત્યાં સદભાગ્ય લેખવામાં આવતું. આ કારણે એ દેશમાં, બાળકને, જેમને એ રોગ શાંત સ્વરૂપમાં નીકળ્યો હોય તેમના સંસર્ગમાં મૂકવામાં આવતાં અને એમને એ રીતે કૃત્રિમ પ્રકારે શીતળાનો રોગ કઢાવવામાં આવતું. ૨૭૨૧ મા તુર્કસ્તાનમાં રહેલાં લેડી મોન્ટેગ્યુએ પિતાનાં બાળકે પર આ પ્રયોગ અજમાવ્યો અને તે પ્રયોગ સફળ બનતાં તેમણે ઈગ્લાંડમાં પણ કૃત્રિમ રીતે શીતળા કઢાવવાની એ માન્યતાને પ્રચાર કર્યો. - ૧૭૭૪ માં બેન્જામીન જેસ્ટી નામના એક ખેડૂતે જોયું કે ગાય દેહનારીઓને શીતળા જે એક બિનનુકશાનકારક સાદે શગ નીકળે છે અને તે પછી તેવી વ્યક્તિઓને શીતળા નીકળતાં જ નથી. આ પરથી તે માણસને ભયંકર શીતળામાંથી બચાવી લેવાને ઘરગથ્થુ રીતે તેમના પાસે ગાયે દેવરાવતે. ૧૮૦૦ માં જેનર નામને એક હજામ, અને સાથે જ ઊંટવૈવ, ગોશીતળાના અદભુત શાસ્ત્ર સાથે બહાર પડે. તેણે બુલંદ અવાજે જાહેર કર્યું કે ગાયના આંચળ પર ગાશીતળાનો રોગ થાય છે અને ગાય દેહનારીઓ એ રોગના સંસર્ગમાં આવવાથી એમને પાછળથી શીતળા નીકળતાં નથી, માટે જે બીજા માણસને એ રોગની રસી આપવામાં આવે તે તેમને પણ પાછળથી શીતળા ન નીકળે. પણ આ જાહેરાતના ઉત્તરમાં ગૌદાકતરોએ જેનર સમક્ષ સંખ્યાબંધ એવા દષ્ટાંત રજુ કર્યા જેમાં ગાય દેહનારીઓને પણ પાછળથી શીતળા નીકળેલ હેય. આ પરથી જેનરે ગો–શીતળાના બે પ્રકાર પાડયા. એક સાદ, બીજે વિશિષ્ટ ઘેડાના પગ પર ગ્રીઝ નામે એક ભયંકર દર્દ થાય છે એ દર્દના સંસર્ગમાં આવવાને પરિણામે ગાયને નીકળતાં શીતળાને તેણે વિશિષ્ટ ગોશીતળાના નામે ઓળખાવ્યાં. આ વિશિષ્ટ ગાશીતળાની રસી મુકાવવાથી શીતળા ન જ નીકળે એ તેણે સિદ્ધાંત તાર. પણ આ રસીમાં ઘેડે ને ગાય બંનેના રેગનું મિશ્રણ હતું. પ્રજા પોતાનાં અને પિતાનાં બાળકના અંગમાં ઘેડાને રોગ દાખલ કરવા તૈયાર નહતી. પરિણામે દાક્તરેએ જેનારને વિનતિ કરી કે તે જે ઘડાની વાતને બાજુએ નહિ મૂકે તે રસીનો પ્રચાર થઈ શકશે નહિ અને એમના ધંધાદારી લાભ પર પાણી ફરી વળશે. આ પરથી ઘોડાના રંગની રસી પર પડદે પ. એક વખત રસી ટંકાબે લાભ ન જણાય તો તે બીજી-ત્રીજી વખત ટકાવવાની જરૂરિયાતને પણ જેનરે મહત્ત્વ આપ્યું. બ્રિટિશ પાર્લામેન્ટ જેનરને શીતળાની રસીની ઉપરોક્ત શોધ અને તેના પ્રચાર માટે ત્રીસ હજાર પાઉડની મદદ કરી. જેનરની માન્યતા એવી હતી કે માણસને જિંદગીમાં શીતળાનો રોગ એકજ વખત થાય છે અને ગોશીતળા એ એક પ્રકારનો શીતળા જ છે જે તેના સંસર્ગમાં આવી જાય તેને પછીથી શીતળા ન જે નીકળે. પણ આ વિચારમાં તે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ભૂલી મયો કે ગોશીતળા અને માનવશીતળાને કશો સંબંધ જ નથી. માનવશીતળા સ્ત્રી-પુરુષને ગમે તે વયે થાય છે, તેમાં આખા શરીર પર ફોલ્લા નીકળે છે, તે ચેપી અને ઊડતો રોગ છે. જ્યારે ગોશીતળા એકલી દૂઝણી ગાયને થાય છે, તે આંચળ પરજ દેખાવ દે છે અને તે પણ ફેલારૂપે તે નહિ; અને એ ઊડત કે ચેપી રોગ પણ નથી, તે સ્પર્શથી જ એકબીજાને વળગે છે. આ પથકરણ પછી દાતોને શીતળાનું તૂત ચમાવવું મુશ્કેલ લાગ્યું. પણ એ કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034631
Book TitleSuvas 1940 06 Pustak 03 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages56
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy