SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ રા, નાગ જ -wessories ગાર દેશ–અલ્હાબાદમાં મહાસભાની કારોબારીની બેઠક. મહાત્માજીએ એ પ્રસંગે, પચાશ હજારની માનવમેદની વચ્ચે, પૂરેલા કમળા નહેરૂ સ્મારક-જગ્યાલયને પાય. મહાત્માજી કહે છે: “હિંદનું નિઃશસ્ત્રીકરણ એ બ્રિટિશ ઇતિહાસનું કાળું પાનું છે. મારી ફેજમાં પુ કરતાં સ્ત્રીઓ વિશેષ હશે તો હું વિશ્વાસપૂર્વક લડી શકીશ. હિંદી વજીર કે ના. વાઈસરોયની પ્રામાણિકતા વિશે મને જરીક પણ શંકા નથી'': ભિાગ્યદેવીએ બંનેને તિલક કર્યા લાગે છે.] “વીરાવાળાના હદય પલટાની મેં રાખેલી આશા નિષ્ફળ ગઈ છે”: બ્રિટન સંબધમાં પણ આવા જ શબ્દો ઉચ્ચારવાનો સમય આવે તો ? સકરમાં હિંદુ-મુસ્લીમ રમખાણ. મી. ઝીણાનો કોગ્રેસ–પ્રધાનમંડળે સામે પ્રગટી નીકળેલો રેવ. તેમણે એ પ્રધાનમંડળના પંજામાંથી છૂટવાના કારણે મુસલમાનોને આઝાદદિન ઉજવવાની કરેલી સૂચના, મહાત્માજીએ મી. ઝીણાને થાભી જવાની આપેલી સલાહ. સરદાર વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડી મી. ઝીણાના આક્ષેપોને ખેટા ઠેરવ્યા છે. મહાત્માજીની શેગાંવની ઝુંપડીમાં ગોઠવાયેલ ટપાલ ને ટેલીફેન, સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્માજીને સુપર હીટલરની ઉપમા આપી હતી, મહાત્માજીએ દેશી રાજાઓને હમણાં હીટલરની ઉપમા આપી છે: [આમાં કોણ કેનું અપમાન કરે છે એ નથી સમજાતું, પણ દેશી રાજાઓ તે ભાગ્યશાળી ખરા જ.] જાણીતા પુરાતત્ત્વવેત્તા ભગવાનલાલ ઈછની ગુજરાતમાં ઠેરઠેર ઊજવાયેલ રાતાબ્દિ, બ.ક. ઠાકોરે ભગવાનલાલ ઇન્દ્રજીની ગંભીરતાને તીર્થકરની ગંભીરતા સાથે સરખાવી છે: [ તીર્થંકર-ગંભીર ભગવાનલાલે હજી સદી નથી વીતાવી, ૭૦૦ હીટલરે ને સંખ્યાબંધ નેપોલિયને તે હિંદમાં હયાત છે. છતાં હિંદનું દળદર નથી છટતું એ પણ એક કમભાગ્ય છે ને! ] ઇલાકામાં ઠેરઠેર ઊજવાયેલ દલિતોદ્ધારક શ્રી ઠક્કરબાપાની જયંતિ. મુંબઈમાં તેમને અર્પણ થયેલી રૂ. ૧૧૭૪૪૮ની થેલી. લાઠી-ઠાકોરે કવિશ્રી લલિતને રૂ. ૧૦૧નું વર્ષાસન બાંધી આપ્યું છે. ભાવનગરમાં પીને થયેલ ઘટાડો. મદ્રાસના માજી વડાપ્રધાન શ્રી રાજગોપાલાચારીદિલ્હીમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે, “બ્રિટન હિંદને સ્વરાજ્ય આપી દે તે હીટલર હારી જશે": { ઘણા માણસો આવી વાત કહે છે, પણ બ્રિટન કોઈનું માનતું જ નથી તે !] યુક્તપ્રાન્ત રાજકીય પરિષદના પ્રમુખસ્થાનેથી પંડિત જવાહરલાલ કહે છે, “મહાસભા અને બ્રિટિશ સરકાર વચ્ચે સમાધાનનો સંભવ નથી. મુંબઈમાં મરાઠી સાહિત્યસંમેલન ને પત્રકાર-પરિષદ. ભાદરણમાં સ્ત્રી-હુન્નર ઉદ્યોગાલચની શ્રી મોરારજી દેસાઈના હાથે થયેલી ઉદ્દઘાટનક્રિયા. કલકત્તાની આગામી હિંદુ પરિષદના પ્રમુખ તરીકે બેરિસ્ટર સાવરકરની થયેલી પુનવરણી. મહાસભાના અગ્રણીઓ સાથે ચર્ચા ચલાવવાને બ્રિટિશ મજૂરનેતા સર સ્ટેફર્ડ ક્રીપ્સ હિંદ આવી પહોંચ્યા છે: [લડાઈના પ્રસંગે અંગ્રેજ આગેવાને હિંદના ભલાને ખાતર આવાં જોખમ ખેડી શકે છે એ જ એમની ભલી લાગણીના નિદર્શન માટે પૂરતું છે. અલહાબાદમાં એમનું ભવ્ય સ્વાગત ને માનપત્રો. રાજકોટને સંગ્રામ નિહાળવાને હિંદ પધારેલ આગથા હેરિસન માંચેસ્ટર ગાર્ડિયનમાં લખે છે: “મહાત્માજીને બ્રિટનને માટે બ્રોડકાસ્ટ ભાષણ કરવા દે; આપણે એમને સાંભળીએ.” સરહદમાં અપહરણના વધતા જતા બના. બલૂની નજીક આવેલા લશ્કરી વિમાની મથકને ઉડાડી મૂકવાને તાયફાવાળાઓને પ્રયત્ન. દક્ષિણ-હિંદમાં વાવાઝોડાનાં ભયંકર તેફાન. મુંબઈના પોર્ટ ટ્રસ્ટ ગોડાઉનમાં લાગેલી આગથી રૂ. ૨૫ લાખનું નુકશાન. કાઠિયાવાડમાં દુકાળ ને લુટફાટ, અમદાવાદની લક્ષ્મીવિલાસ હોટેના માલિક લટાયા છે: [ લક્ષ્મી અને લૂટ બંને પરસ્પરનાં પૂરક છે.] પંજાબની એક સરકારી તિજોરીમાંની નોટે ઉંદરોએ કેરી ખાધી છે: નિટે વટાવવામાં લોકોને પઠતી મુશ્કેલીને એમને ખ્યાલ હોવું જોઈએ.] એક વાઘરણની સરદારી નીચે અમદાવાદમાં ધમધોકાર ચાલતું બનાવટી સિક્કાનું કારખાનું પકડાયું છે: [ એ વાધરણને રોકડ નાણાની અછતને ખ્યાલ હશે.] વાલમમાં ૫૦૦ મણની એક ભેખડ તૂટી પડતાં દટાઈ ગયેલ આઠ માણસને ત્યાંના પ્રજાજનોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy