SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ • સુવાસ : કાર્તિક ૧૯૯૬ સંસ્કૃત-પ્રાચીન–સ્તવન-સંદેા[સંસ્કૃત] સુરત. સંપાદકઃ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. કિંમત -સંપાદક અને પ્રકાશક ઉપર પ્રમાણે. ૨. ૨-૦૦ જૈનાના ચેવીશે પૂ. તીર્થંકરા અને પવિત્ર તીર્થીની સ્તુતિઓને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યા છે.એ સ્તુતિ સંસ્કૃત ભાષાના સામાન્ય અભ્યાસીઓને સુવાચ્ય થઈ પડે એ રીતે તેમાં ફૂટનેટા પણ આપવામાં આવી છે. વિહાર દિગ્દર્શન[હિંદી]-સંપાદકઃ મુનિ પ્રિયંકરવિજયજી, પ્રકાશકઃ સેામચંદજેશગદાસ, મહેસાણા. કીંમત રૂ. ૧-૪-૦ ચેામાસા સિવાયના સમયમાં સદવિહારી રહેતા જૈન મુનિએ જુદી જુદી પ્રજાએ સાથે એવા ગાઢ સંપર્કમાં આવે છે અને ભિન્નભિન્ન ચળાના એવા ઊંડા નિરીક્ષક બને છે કે જો તેએ પાતાનાં સંસ્મરણેા પ્રકટ કરતા રહે તે વિહ’ગાવલાકી પ્રવાસીએનાં વર્ણન કરતાં એમાંથી વિશેષ જાણવાનું મળે. આ પુસ્તક એક એવા સામાન્ય પ્રયાસ છે.એમાં મુંબઇથી આગ્રા,પાલીતાણાથી ઇંગલેર, ખેંગલેારથી બિયાવર, શિવ પુરીથી આબૂ અને અમદાવાદથી સમ્મેતશિખર (બંગાળ) એમ પાંચ વિહારાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં આંતિરક કરતાં ખૂબ જાણીતી એવી ખાદ્ય માહિતી વિશેષ છે; છતાં જૈન પ્રવાસી આને તે ઉપયેગી થ પડે એવી છે. હિંદી ચેાપડી પર અંગ્રેજી નામ મૂકનાર સંપાદકની વલણ કંઇક સુધારા માગે છે. ગુર્જર કવિસમ્રાટ કલાપિ [મરાઠી]--- લેખક અને પ્રકાશક: બાબુલાલ નાનચંદ માતીવાલે, શુક્રવાર, પુના. છેલ્લાં કેટલાંક વર્ષોથી બિનગુજરાતી હિંદી પ્રજા પણ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારા વિષે કંઈક જાણવાને ઉત્સુક બનેલી છે. ‘હંસ’માં પ્રગટ થતા ગુજરાતી કૃતિએના અનુવાદ એની સાબિતીરૂપ છે. આ નિબંધ મરાઠી જનતાને ગુજરાતના પ્રણયકવિ કલાપિ અને એમની કવિતાને પરિચય કરાવવાની એવી જ એક ભાવનાનું વિશિષ્ટ પરિણામ ગણી શકાય. સીલ્વર જ્યુબિલી કામેમારેશન વાલ્યુમ [અંગ્રેજી]~~~સાર્વજનિક એજ્યુકેશન સેાસાઇટી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુરતની સાર્વજનિક એજ્યુફૅશન સાસાઇટીને તિહાસ એ સરકાર કે શ્રીમંતાએ ઊભાં કરેલાં વિશ્વવિદ્યાલયા કે શિક્ષણમંદિરાને ઇતિહાસ નથી પણ ૧૧ છેાકરાથી શરૂ થયેલી એક નાની અંગ્રેજી નિશાળે, એના વિધાયકાના વિરલ ક્ષેત્રમાં સાધેલા ક્રમિક વિજયને ઇતિહાસ છે. ઉત્સાહુ અને તનતાડ શ્રમથી, પ્રાન્તના શિક્ષણ૧૮૮૯માં નાની નિશાળ, તેમાંથી હાઇસ્કુલ, ૧૯૧૨માં સેાસાઇટીની સ્થાપના અને તે પછી પ્રાન્તની મધ્યવર્તી શિક્ષણસંસ્થાએ એ સાસાઈટીના વિકાસને ક્રમ છે. ડૈન-સાસાઇટીના આદર્શ પર આ સંસ્થાની સ્થાપના થઈ અને સમય જતાં એને એવી કીર્તિ વરી પણ ખરી. કીર્તિને માર્ગે વળતાં એને દ્વારા કે લાખોની ભેટા આપનાર દાનવીરેશ પણ મળ્યા. પણ એ દાનવીરામાં એવી પ્રેરણા જગાવનાર શુભેચ્છકો. સંસ્થાના આદિસ્થાપા, શરૂઆતમાં એને ટકાવી રાખનાર સદ્ગૃહસ્થેા, શિક્ષા કે શ્રી ચુનીલાલ ઘેલાભાઈ શાહ કે દિ. ખ. ચુનીલાલ ગાંધી જેવા સેવકાતા ફાળા એ દાનવીરા કરતાં જરીકે ઊતરતા નથી એ વાત સસ્થા હજી નથી ભૂલી એ એની મહત્તાની નિશાની છે. આ રજતમહાત્સવ-સ્મૃતિ-ગ્રન્થ [Silver Jubilee Commemoration Volume] માં સાસાઇટીના ઇતિહાસ ઉપરાંત એના ધડનારાઓના પરિચય પણ આપવામાં આવ્યા છે. આ ગ્રન્થનું સંપાદનકાય કાઈ પણ સંસ્થાના ઉત્સવ–ગ્રન્થ કે અહેવાલમાં કરવામાં આવે છે એ કરતાં કંઈક વિશિષ્ટ દૃષ્ટિએ થયું છે. કેવળ સોસાઈટીને લાગતાવળગતા વિયેાને જ એમાં સ્થાન અપાયા છતાં વાંચન રસભર્યું બની શકયું છે. પગાર લેતા સેવકાને પણ એમાં ભૂલી નથી જવાયા. યેાગ્ય અને જરૂરી ફોટાઓથી ગ્રન્થને આકર્ષીક રીતે સુશોભિત બનાવવામાં આવ્યા છે. www.umaragyanbhandar.com
SR No.034629
Book TitleSuvas 1940 01 Pustak 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy