________________
સુવાસ
સુવાસ કાર્યાલય રાવપુરા, વડોદરા.
નિયમ–ચોજના
'ના આવતા અંક ડીસેમ્બરની પંદરમી તારીખે પ્રગટ થશે.
ચાલુ વર્ષના ગ્રાહકોને ભેટ તરીકે એક સુશોભિત પિકેટ ડાયરી તા. વીશમી નવેમ્બરે રવાના કરવામાં આવી છે. હવે પછી કાં તો ‘સુવાસના પાનાં વધારવામાં આવશે અથવા એક સુંદર નવલકથા ભેટ અપાશે.
જે ગ્રાહકનાં લવાજમે હજી બાકી છે તેમણે તે વી. પી.ની રાહ ન જોતાં તરત મેકલાવી આપવાં. વી. પી. માં બંને પક્ષને આર્થિક ગેરલાભ ને અગવડતા રહે છે જ્યારે મનીઓર્ડરથી સગવડતા જળવાઈ રહે છે.
ખાસ પ્રસંગ સિવાય લેખો કે અવલોકન માટેનાં પુસ્તકની જુદી પહોંચ નહિ અપાય. શ્રમજનિત લેખો અસ્વીકાર્યું હશે તો તે તરત પાછા મોકલાશે, સામાન્ય લેખો સાથે પાછા મોકલવાનું ટપાલ ખર્ચ નહિ હોય તો તે રદ થશે; સ્વીકાર્ય લેખો અને અવલોકનનાં પુસ્તકાની ‘સુવાસ”ના તરતના જ અંકમાં પહોંચ અપાશે.
નમૂનાને અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી.
‘પ્રાચીન ભારતવર્ષ' કે “Ancient India” ને ગ્રાહક બનનારને “સુવાસ” એક વર્ષ માટે અર્ધી કિમતે–૧-૮-૦૯૦-૪-૦ પોસ્ટના મળી રૂ. ૧-૧૨-૦–માં આપવામાં આવશે.
સુવાસ” માં સ્થાન મેળવવા ઈચ્છતા લેખકે એ યાદ રાખવું ઘટે કે, તેઓ ચૂંટણી ગમે તે વિષયની કરી શકે છે પણ તેમાં તલસ્પર્શતા, ભાષાશુદ્ધિ ને કલા એ અનિવાર્ય અંગો છે. વિદ્યાપીઠના કેશને ન સ્વીકારનાર પીઢ લેખકોને પોતાની સ્વતંત્ર જોડણી માટે છૂટ આપવામાં આવતી હોવા છતાં સામાન્ય સંગોમાં તે કેશની જોડણીને જ અનુસરવું જોઈએ.
લેખક, ગ્રાહક અને સહાયક-મિત્ર કે વાંચક–એ ત્રણે કોઈ પણ સામયિકનાં આવશ્યક અંગો છે. એ ત્રણેના માર્ગ વઘારે સરળ બને અને એ ત્રણે એકમેકને તેમજ માસિકને મદદરૂપ થઈ પડે એવી સંગીન યોજનાઓ ઘડવાની અમારી ઉમેદ છે. એની પ્રાથમિક ભૂમિકારૂપે એ ત્રણેનાં વિશિષ્ટ મંડળો સ્થાપવા વિચાર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com