________________ કેટલાક અભિપ્રાય -યુવક “સુવાસે પોતાની ઉચ્ચ કોટિ હજી સુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હોય છે. - રમણલાલ વસંતલાલ દેસાઈ લેખો એકંદરે સારા ... અભ્યાસપૂર્વક લખાયેલા છે. - અરદેશર ફરામજી ખબરદાર લાગે છે કે “સુવાસ' સ્વ. નટુભાઈ કાંટાવાળાના “સાહિત્ય' જેટલું ઉદાર દષ્ટિવાળું પત્ર થશે. તેના લેખોની પસંદગી ઘણા ઊંચા પ્રકારની છે. -તુનાં ના; ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. -જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. આ નવો ફાલ અન્ય સામયિકો જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવો નથી. “યથા નામા તથા ગુણાની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. - ખેતીવાડી વિજ્ઞાન સુવાસ’નું ઘેર આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે... તેના સંચાલકોને ધન્યવાદ છે....... આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે છે ? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. –ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધતની વાનગીઓ સાહિતા-પ્રેમીઓને સારે ખેરાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. -પુસ્તકાલય જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખેથી ભરપૂર છે. –સયાછવિજય સુવાસ’ એના નામ પ્રમાણે સુવાસિત છે. –તંત્રી - દેશી રાજ્ય સુવાસ'ના કેટલાક અગ્રલેખોમાં જળવાયેલ રસ, તત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંગ ટાગાર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. --બ. મ. પરીખ સુવાસ'ના કેટલાક વિષયોની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. - મિત્રપ્રિય વડેદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિકને ચૈત્ર-૧૯૫ અંક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યો છે...જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણીય લખાણો તંત્રી..મેળવી શક્યા છે એ આનંદનો વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા પ્રયાસને આવકારે, પશે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. -માનસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com