SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સુવાસ : જેઠ ૧૯૫ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કેટલાક ઉલ્લેખો પરથી જણાય છે કેતે સમયમાં-આજથી ત્રણ વર્ષો પહેલાં વડોદરામાં જૈનોને એક જ્ઞાનભંડાર (ચિત્કષ) હતા. શહેનશાહ અકબૂરથી સન્માનિત થયેલા સુપ્રસિદ્ધ જગદ્ગુરુ વડોદરાના પ્રાચીન હીરવિજયસૂરિના શિષ્ય-પરિવારે આ ભંડારમાં પોથીઓ મૂકી જ્ઞાનભંડાર હતી. હીરવિજયસૂરિના હસ્તદીક્ષિત એક પ્રસિદ્ધ શિષ્ય વાચક કીર્તિવિજય નામના વિદ્વાને વિ. સં. ૧૬૯૦માં (આસો શુ. ૪) વિચારરત્નાકર નામના ગ્રંથની સંકલન કરી હતી, જેનું લેખન, તેમના સુપ્રસિદ્ધ શિષ્ય ૫. વિનયવિજયે કર્યું હતું. આ ગ્રંથની એક પ્રતિ, ઉપયુક્ત ગ્રંથકાર કીર્તિવિજય વાચકના શિષ્ય કાંતિવિજયે વટપદ્રપુરના પૂર્વોક્ત જ્ઞાનભંડારમાં મૂકી હતી, જે હાલ છાણના જૈનભંડારમાં (ઉ. વીરવિ. શાસ્ત્રસંડમાં) છે. વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા જૈન છે. તપાગચ્છની બહુશ્રુત ઉપાધ્યાય વિનયવિજયે જોધપુરથી ભાદ્ર. શુ. ૧૫ની રાત્રે ચંદ્રને દૂત બનાવી સૂરતમાં ચોમાસું રહેલા કવિ વિનયવિજયે તપાગણપતિ વિજયદેવસૂરિ ?) તરફ મોકલ્યો હતો. મહાકવિ કરેલ વર્ણન કાલિદાસના મેઘદૂનની પદ્ધતિએ ૧૩૧ મંદાક્રાંતા છંદોમાં રચાયેલા આ ઈન્દુદૂત કાવ્યમાં ઈન્દુને ત્યાં જવાનો માર્ગ સૂચવતાં જોધપુર, સુવર્ણગિરિ નગિર), ઝાલેર, શિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, સાભ્રમતી, અહમદાવાદ, વાપ, ભૂપુર (ભરૂચ) અને સૂરત વિગેરે સ્થળનું કવિએ સુંદર વર્ણન કર્યું છે. તેમાં પ્રસ્તુત વટપદ્ર (વડોદરા)ને પરિચય આ પ્રમાણે કરાવ્યો છે – "तस्माद् द्राच्छमनककुभि प्रस्थितस्यान्तस ते ___ स्वर्गाकारं नगरमपरं लाटदेशस्य पुण्डम् । दर्श दर्श मनसि परमप्रीतिरापत्स्यते यत् __नानालक्ष्मीरुचिरवपुषां तत्र वासो जनानाम् ॥ #ા રાણાં મનસિ વધતી તોરા મમઝા– तीते दृग्भ्यो वसति च पदे हन्त ! वस्वोकसारा । पातालं प्राविशदपमदा साऽपि भोगावतीमां दृचा रम्यामनुपमतमां वाटपद्रीमभिख्याम् ॥ मध्येऽस्त्यत्र प्रचुरसुषमो मण्डपोऽत्यन्ततुङ्ग स्तत्र स्थित्वा चतसृषु दिशास्वीक्षणीयं स्वयेन्दो!। द्रष्टासि द्राक् श्रियमनुपमामस्य विष्वक् पुरस्य रम्यं ह्येतच्छुचिरुचि चतुरिचैत्यानुकारम् ॥" –ઈ દુદ્દત (લે. ૭૯-૮૧ નિ. સા. કાવ્યમાલા ગુ. ૧૪) --[અપૂર્ણ १. "श्रीकीर्तिविजयवाचकविनेयलेशेन कान्तिविजयेन । श्रीवटपद्रपुरस्थितचित्कोशे प्रतिरियं मुक्ता ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034626
Book TitleSuvas 1939 08 Pustak 02 Ank 02
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy