________________ 250 સુવાસ : ભાદ્રપદ 195 ઇંગ્લાંડની આવક, તેની સમૃદ્ધિ, તેનો સોનાને જ વગેરેમાં પણ છેલ્લાં સેવાસે વર્ષથી એટલે જ વધારે થતું આવ્યો છે. તેમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો એની હદ જ નથી રહી. ૧૯૦૧નું તેનું સામાન્ય બજેટ 28,06,41067 પાઉંડનું હતું તે વધીને ૧૯૩માં 1,93,92,04000 પાઉંડનું બન્યું છે. ૧૯૩૬માં તેને સેનાને જ 2001, 00000 પાઉંડને હવે તે ૧૯૩૭માં 31,37,00000 પાઉંડનો બન્યો ને ૧૯૩૮માં તે 32,64,10000 પાઉંડની હદે પહોંએ. પ અને ક્ષમાપના– જગતનું વાતાવરણ આજે ડહોળાઈ ગયું છે, પ્રજાઓ અસ્થિરતાના જવાળામુખી પર ઊભી છે. લેહીની તરસ સિવાય ક્યાંય બીજી ભાવના નથી જણાતી--ત્યારે પણ હિંદી પ્રજા સંયમ જાળવીને શાંતિ અને પુણ્યને, સંયમન અને રસિકતાને, અહિંસાને અને પ્રેમને માર્ગ ઊજાળી શકે છે; પવિત્ર દિવસની શાંતિથી ઉપાસના કરી શકે છે એ હિંદી સમાજ બંધારણના ઘડવૈયાઓની બુદ્ધિપ્રભાનાં વિજયચિન્હ છે; શ્રદ્ધાને અજબ નમુન છે. સ્નાન, દાન, તપ, સંયમ ને રસપૂર્વક શ્રદ્ધાળુ હિંદુ પ્રજાએ પવિત્ર અધિક શ્રાવણ માસ ઊજવ્યો. તે પછી ગોકુલ અષ્ટમી–નંદકિશોરના રસિક, પ્રેમલ અને વીરતાભર્યા જીવનનાં એ દિને પુણ્યગાન ગવાયાં; હિંદના એ મહાન યોગીવરની હૈયાના દેવ તરીકે વાર્ષિક સ્થાપના કરાઈ. શ્રાવણ વદ બારસથી ભાદ્રપદ સુદ ચોથ–જેનું પવિત્ર અઠવાડિયું–મહાપર્વ પર્યુષણ. જે પર્વ દરમિયાન શાંતિ અને સંયમ, તપ અને બ્રહ્મચર્ય, ભક્તિ અને પૂજન, ઉત્સવ અને નિર્દોષ આનંદ સમાજની એકેએક વ્યક્તિને પ્રેમભર્યા સંસર્ગમાં લાવે છે, જે પર્વમાં આદિનાથથી માંડી પ્રભુ મહાવીર પર્યન્તના પરમ પુરુષવનાં પુણ્યગાન ગવાય છે; જે પર્વ સંયમીઓનાં-તપસ્વીઓનાં પૂજન કરાવે છે, સામાન્યામાં પણ સંયમ પ્રેરે છે; જે પર્વ આખા વર્ષ દરમિયાન અણજાણમાં પણ થયેલી ભૂલની ક્ષમા મંગાવી માનવ-હૈયા પરથી મેલ ધોઈ નાંખે છે એ પર્વની પવિત્ર સ્મૃતિ સાથે અમે પણ પ્રત્યેક મિત્રની-વાંચકન-જીવમાત્રની, જાણે અજાણે પણ થયેલી ભૂલ માટે, ક્ષમા માગીએ છીએ. ખુલાસો:– મુખ્ય લેખક અને વ્યવસ્થાપની અનિવાર્ય ગેરહાજરી તેમજ શ્રાવણી તહેવારોને અંગે આ અંક પંદરેક દિવસ મોડે બહાર પડે છે; એ જ કારણે આ અંકમાં ચાલુ-પ્રન્ય પરિચય, તારા તણખ, નોંધ આદિ-વિષયો લઈ શકાયા નથી; તેમજ બીજી પણ કંઈક ક્ષતિ રહી જવા પામી હોય તે-વાંચકમિત્રો અને ગ્રાહકબધુઓ એ દરગુજર કરશે એવી આશા રાખીએ છીએ. આવતા અંકે એ બધી ખોટ પૂરી પડાશે. વિનંતિ જે જે સંગ્રહસ્થાને કે સંસ્થાઓને “સુવાસ’ નમુનાના અંક તરીકે મેકલાય છે તે તે બધુઓ કે સંસ્થાના સંચાલકે “સુવાસેના ગ્રાહક રહેવા-ન રહેવા સંબંધી પિતાની ઈચ્છા તરત લખી જણાવે એ ચાલુ વિનંતિ પ્રત્યે ફરીથી દરેક મિત્રનું ધ્યાન ખેંચીએ છીએ. અને એવા દરેક સદ્દગૃહસ્થ પાસેથી તે સંબંધી ત્વરિત ખુલાસાની આશા રાખીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com