________________
મંત્રી દામોદર - ૨૩૭ ગુર્જરપતિ ભીમ ને દક્ષિણેથી કર્ણાટકપતિ તૈલ–એમ ત્રણે બાજુથી માળવાને સપડાવી તેના સૈન્યને તેણે સમરભૂમિ પર સુવાડ્યું.
આ યુદ્ધમાં ત્રણ મિત્રરાજ્યો વચ્ચે મેળ જમાવવામાં ને તેમને સામાન્ય શત્રુ સામે ઉશ્કેરવામાં ડામરે અનેક સાહસો ઉઠાવેલાં, અનેક જોખમદારીઓ વહેરેલી. ત્રણને એકમેકની નિર્મળ બુદ્ધિ પર વિશ્વાસ નહતે; પણ ડામરની અજબ કુનેહથી બધું પાર ઊતર્યું.
માળવાની અંતિમ હાર પહેલાં, ભેજ અવસાન પામી ચૂકેલે. ને એ રીતે નધણિયાતી બનેલી અવંતીના રાજભંડારને વહેલા વહેલા આવી પહોંચેલા ચેદિપતિ ગાંગાએ લૂંટી લીધો. પણ એ લૂંટમાંથી ગુર્જરપતિને ભાગ આપવા તેણે ના કહી. ને એજ પળે કુનેહબાજ ડામરનું શૈર્ય ભભૂકી ઊઠયું. તે સીધો ગાંગાના તંબુમાં ચાલ્યો ગયો ને તેની છાતી પર અચાનક સ્વારી કરી તેની પાસેથી ભીમને ભાગ લખાવી લીધે.
આ યુદ્ધ પછી વિગ્રહો અને કૂટનીતિથી કંટાળેલા ડામરે નિવૃતિ સ્વીકારી. પ્રજાના કલ્યાણમાં તે પોતાની સમૃદ્ધિ વાપરવા માંડ્યો. તેણે લખલૂટ દાન આપ્યાં, સેંકડો સ્થાપત્ય-મદિરે બંધાવ્યાં, ભવ્ય જળાશયો સર્જવ્યાં. પણ એ સર્વમાં તેના નામને તે પાટણની ભાગોળના એક–દામોદર કુવાએ જ અમર બનાવ્યું છે.
એકાકી
નૌતમ
[ કુતવિલંબિત ] નીરવ સાંજ સમે છુટી એક વિજન સાગરની ગમ હું પણું, દિવસના શમશેરથી વેગળો જઈ હું એક નિસર્ગતણે તળું.
મુજ સમે નભ-અંક મહીં ઢળે, નિરખતે હું એકલ તારલો!
દલ પ્રકુલ ખીલે ઉર-પોયણું ઉઘડતાં. શુચિ સરભ સેલાં મુજ ઉરે ઉઠતા ધબકારમાં કવણું ઉર તણા પડઘા સુણું?
અનિલ લહેર વહી, કહી કે જતું, તુજ સમું ઉર એકલ મૂરતું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com