________________
મંત્રી દામોદર ૨૨૯
આપ્યો. તે શંકિત નયને તાકી જ રહ્યા. તેની નજર પારખી લઈ ડામરે યુવકને કહ્યું, “જા, બીજી ભેટના કરંડિયા લાવવા માંડ.”
યુવક ગયો. ને બીજી જ પળથી ગુજરાતની જુદી જુદી સુંદર ભેટાના કરંડિયા સેવકે અંદર લાવવા માંડ્યા. ભજ એ જોવામાં ગરકાવ બન્યો. ઘણે સમય વીત્યા છતાં ડામરને સાથી પાછો ન આવ્યો ત્યારે ભોજે ડામરને એ વિષે પૂછગાછ કરી.
મહારાજ,” ડામરે વિજયપૂર્ણ ઉલ્લાસથી કહ્યું, “એ જ ગુર્જરપતિ ભીમદેવ હતા. એમને પણ આપનાં ને આપની સભાનાં દર્શનને અભિલાષ હતો. તે આજે પૂરો થયો છે.”
ભોજે ભીમદેવને પકડવાનો પ્રબંધ કર્યો પણ ડામરે જ્યારે જણાવ્યું કે તે તે એ પળે ગુજરાતની સરહદમાં પણ પ્રવેશી ચૂક્યા હશે ત્યારે તે ખીજાયે; ગુર્જરપતિને ચરણે લાવવાને તે તે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યો હતો, છતાં ગુર્જરપતિ ભેટ મેકલી એનું કલ્યાણ વાંછતો. હતો એ વિચારે તેણે શાંતિ પકડી.
અવંતી જઈ આવ્યા પછી ભીમદેવને યુદ્ધ વિષે ચટપટી લાગી. પ્રબળ અવંતિ સાથે યુદ્ધ પહેરવાની ગુજરાતની તે સમયે તૈયારી નહતી. પિતાના મહામંત્રી અને સેનાપતિ વિમળને પિતાની જ ઘેલછાથી દૂર કરવા માટે ભીમદેવને એ વખતે પસ્તાવો થયે પણ હવે કંઈ ઉપાય નહોતું. તેણે કઈ પણ ઉપાયે યુદ્ધ અટકાવવાનો નિર્ણય કર્યો. તે અવંતિથી પાછા ફરેલા ડામરે કેવળ એ નિર્ણયને અમલમાં મૂકવાનું જ નહિ, સાથે જ પિતાના અપૂર્વ બુદ્ધિચમત્કારથી વિના યુદ્ધજ ભેજ પાસેથી દંડ લઈ આવવાનું બીડું ઝડપ્યું.
અવંતીમાં તે યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે ડામર ફરી ત્યાં પહોંચ્યો ત્યારે ભેજ સ્નાન કરીને ઉઘાડે માથે તાજો જ દિવાનખાનામાં આવે. ડામરને જઈ તેણે હસીને પૂછ્યું, “કાં મંત્રીરાજ, ભીમરાત શું કરે છે?”
ભેજ મહાવિદ્વાન હતા. તે “ભીમરાજને બદલે “ભીમરાત’ ભૂલમાં બેલે એ સંભવિત નહોતું. એટલે એના શબ્દવેધને યોગ્ય ઉત્તર આપવાને ડામરે કહ્યું, “ભીના મસ્તકવાળાને મુંડવા માટે અસ્ત્રો ઘસે છે.”
ભોજ ચમકે. ભીમને હજમ કહેવા જતાં તે પોતે મૂંડાતો હતો. છતાં યુક્તિભર્યા શબ્દો સામે ચીડાવું એ રાજધર્મ નહોતું. તેણે ભીમ અને ડામર બંનેની મશ્કરી કરવા ડામરના કુબડા રૂપને અનુલક્ષી પૂછ્યું, “મંત્રીરાજ, તમારા રાજાને તમારા જેવા કેટલાક સાધિવિગ્રહકે છે?”
ડામરે જરીક અચકાયા વિના ઉત્તર દીધે, “મહારાજ, અમારે ત્યાં ઉત્તમ, મધ્યમ ને અધમ એમ ત્રણ પ્રકારે સાધિવિગ્રહ છે. તેમાંથી જુદા જુદા રાજાઓ પાસે તે તે રાજાની યોગ્યતા પ્રમાણે એક મોકલવામાં આવે છે.”
- ડામરના આવા લાક્ષણિક બુદ્ધિવૈભવે ભેજને આંજી નાખે. તેણે તેને યોગ્ય સન્માનથી નવાજે.
ડામરે હવે ભેજને ગુજરાત પર જતો રોકવાને યુક્તિઓ રચવા માંડી. તેણે પૂર્વ દેશના કેટલાક કળાકુશળ નટને ગુપ્ત રીતે અવંતી નહેતરી તેમને યુક્તિથી ભેજની નજરે ચડાવ્યા. ભેજે નટની કળા જેવાની જિજ્ઞાસા દર્શાવી, નટએ જુદાં જુદાં નાટક ભજવવા માંડયાં. તેમાં કટપતિ તૈલપને, દાંતમાં તણ લઈ ભેજના પુરગામી માધવરાજ મુંજને ચરણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com