________________
૨૨૮ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
ભેજ પહેલાં તે ચમકો. ડામરે તેનાં ગર્વવચન સિદ્ધ કરવાને પંડિતોને માટે શિંગડા વગરનાં પશુઓ'ની ઉપમા પિતાના મુખમાંથી જ કઢાવી લીધી તે માટે તે ચીડાયો. પણ પછી આવા મૂર્ખ શિરોમણિ અવંતીની પડિત સભાને જીતી શકે એ અસંભવિત લાગતાં તેણે શાંતિ પકડી.
પણ બીજે જ દિવસે જ્યારે એ વ્યવહારથી મૂર્ખ શિરોમણિ, પણ વિદ્વતાથી પંડિત શિરોમણિઓએ અવંતિના પંડિતને શાસ્ત્રીય વાદમાં જીતી લીધા ત્યારે ભેજને ડામરના બુદ્ધિપ્રભાવ માટે માન ઉપર્યું. પણ તે સાથે જ ગુજરાતનાં શિગડાં વગરનાં પશુઓએ માળવાના જગવિખ્યાત પંડિતને હરાવ્યા એ વસ્તુસ્થિતિએ તેનામાં ખીજવાટ પ્રેર્યો. ગુજરાત જીતવાની તેની મહત્ત્વાકાંક્ષા વધારે સતેજ બની.
અવંતિને ગુજરાત સાથે વર્ષો જૂનું વેર તે હતું જ. ભેજની મહત્ત્વાકાંક્ષાએ તે વધારી મૂક્યું. તેણે ગુજરાત પર હુમલાની ઝડપી તૈયારીઓ કરવા માંડી. નિર્બળ ગુજરાતને કચરવું એ તેને મન રમત વાત હતી. ઘેડા જ દિવસમાં તે ગુજરાત પર ધસી ગયે, પણ ગુજરાતના સેનાપતિ અને મંત્રી વિમલની અલૈકિક બુદ્ધિ, તેનું તેજસ્વી શૈર્ય બળ, અને તેની યુક્તિભરી વ્યુહરચના પાસે તે પાછો પડે; છતાં પાછા ફરીને પણ તેણે ફરીથી ગુજરાત જીતવાની વધારે ચીવટથી તૈયારીઓ કરવા માંડી.
આ સમયે અવંતિ અને પાટણ-બંને આર્યાવર્તની આંખે ગણાતી; પાટણપતિ ભીમ, યવનવિજેતા અને દેવસ સેહામણે હતો; અવંતીપતિ ભોજ પુરૂષવર લેખાતે. બંને પ્રતિસ્પર્ધી છતાં બંનેમાં પરસ્પરને જોવાની ઉત્કંઠા જાગી. બંનેએ ડામરને એ હકીકત જણાવી. ડામરે અનુકૂળ અવસરે એમ કરવાની બંનેને કબૂલાત આપી.
એક સમયે, અવંતીમાં યુદ્ધની તૈયારીઓ કેવી ચાલે છે એ નજરે નીરખવાને ડામર અવંતિ આવ્યો. તેની સાથે એક સેહામણો યુવક પણ હતા. બંનેએ રાજસભામાં જઈ ભોજને ચરણે પરવાળાંની માળા મૂકી.
આ કયા પ્રકારનાં રત્નો છે?” ભોજે મશ્કરી કરતાં પૂછ્યું, “મહારાજ, એની કિંમત રત્નોથીયે વિશેષ છે,” ડામરે શાંતિથી કહ્યું, ને પછી ઉમેર્યું આપની સભાને એકે પંડિત જે એ ન જ સમજી શકે તે પછી અમારે અમારાં કમભાગ્ય સમજતાં રહ્યાં.”
બીજી જ પળે પંડિત ભાસ્કર ઊભા થયા. પિતાના ગળામાં પહેરેલી પરવાળાની માળા બતાવતાં તે બોલ્યા, “મહારાજ, એ ભેટ અમૂલ્ય છે. ભકારથી શરૂ થતાં નામોને મંગળને ગ્રહ સતાવી રહ્યો છે. એની સામે પરવાળાને ઉગ અપૂર્વ ને કલ્યાણકારી ઉપાય છે. મેં તે માટે જ આ માળા પહેરી છે. આપ પણ એ કિંમતી માળા વધાવી લ્યો.”
આ ઉકેલથી ભેજરાજાને હર્ષ થયો. તેણે ડામર પર પ્રશંસાપૂર્ણ નયન ઠેરવ્યાં. ને પૂછયું, “મંત્રી, તમારા રાજાને જોવાનો અવસર તે તમે હજી પણ ન આણે. ત્યારે તેમનાં કંઈક વયરૂપ ઈ તો વર્ણવે.”
ડામરે ભીમદેવની વનમય ને તેની અપૂર્વ કાન્તિનું વર્ણન કર્યું. તે પછી ઉમેર્યું, “મહારાજ! એમની પ્રતિકૃતિ જેવી હોય તે આ મારો યુવાન સાથી.”
ભીમદેવે યુવક પર નયન ઠેરવ્યાં. તેનાં અલૈકિક લક્ષણોએ તેની આંખમાં ચમકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com