________________
એક નામાંકિત સાહિત્યકારની અપ્રગટ ધપેથીમાંથી ઝડપી લીધેલું
જીવન સંસ્મરણ
સંપાદક : s.
ત્યારે જીવનનું સુરમ્ય પ્રભાત હતું. નિર્દોષ ને મધુર આનંદ માણતાં માણતાં મેં બાલ્યાવસ્થા વીતાવી. બાલ્યાવસ્થા વટાવી મુગ્ધવમાં પ્રવેશ કર્યો ત્યારે આજે દૂર દૂર કાલોદધિમાં વિલીન થયેલા એક દિને, મારા જીવનમાં રમી રહેલા કોઈક ગૂઢ સત્યની મને ઝાંખી થઈ. તે દિને એક તેજસ્વિની બાલિકાની પ્રતિમા મારા હૃદયમાં અંક્તિ થઈ. તે દિને મને પ્રથમવાર સમજાયું કે મારા હૃદયના સર્વ ભાવ, આશાઓ ને ઊર્મિઓથી હું એ બાલપુષ્પને ચાહતે હતો. એ પ્રેમ બાલક્રીડાના આનુષંગિક સહચારમાંથી નહિ-કેમકે સહકોડાને સંગ અમને મળ્યો જ નહ–હદય હૃદયના સ્નેહાંકુરમાંથી પાંગર્યો હતો. જીવનના ઉષ:કાલથી હું એને ઓળખત-નિકટના છતાં દૂરના સબંધથી–એના પ્રત્યે અસાધારણ મમતા પણ ધરાવતે; પણ એનામાં પ્રેમનું પ્રથમ દર્શન તે થયું તે અર્ધભૂલાયેલ દિને. વર્ષ પર વર્ષ વીત્યાં. દૂર રહ્યા છતાં મને કુદરતે તેના પર સ્વામીત્વ અર્પી દીધું હોય તેમ નિશ્ચિત ભાવે મંય સમય પસાર કર્યો. કળીમાંથી તે પુષ્પમાં વિકસતી હતી. શુકલપક્ષના શરદચંદ્ર સમો તેને દેહવિકાસ સાહિત્યપ્રદેશમાં પાર્વતીના વિકાસને સ્મરાવે તે હતો. બીજની શશિખામાંથી વિકસેલા પૂર્ણન્દુ શી તે મુગ્ધત્વના પૂર્ણ વિકાસમાં વિરાજતી. પ્રણયીની દષ્ટિથી નહિ, તટસ્થ બુદ્ધિથી હું કહું છું કે જગત પર મેં તેના જેવું સર્વાગ સંપૂર્ણ, સૌરભવતુ દિવ્ય સૌન્દર્ય બીજું જોયું નથી. સૌન્દર્યની વાસ્તવસૃષ્ટિમાં તાત્વિક દષ્ટિએ હજી તે અપ્રતિમ જ મને ભાસી છે. તેની સરખામણીમાં તે સાહિત્ય કે કલાસર્જનની સર્વોત્તમ સુંદરીઓજ ઊતરી શકે, એ તો મારા જીવનની-બાહ્ય અને આંતર–શકુન્તલા છે. જે જગતનું અનર્થ કર્યું છે તે જ યંત્ર જગતની બેનમુન સેવા પણ બનાવી શકે. તે પછી જોખમદાર કોણ? યંત્ર કે યંત્રની ઉપર કાબૂ મેળવનાર માનવ-મૂડીદાર ? આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય છે. એક રીતે માનવી સંપૂર્ણ રીતે જોખમદાર છે કારણ કે તેણે યંત્રનો સમસ્ત માનવજાતને આર્થિક કલ્યાણ અને સેવાને અર્થે ઉપયોગ નહિ કરતાં, પિતાના સ્વાર્થ માટે અને માનવજાતના મોટા સમુદાયના શ્રમજીવીઓના, શોષણ અર્થે કરેલ છે. બીજી રીતે યંત્ર જોખમદાર છે કારણ કે યંત્રને પ્રકાર જ એવે છે. યંત્રને પ્રભાવ અને ગુણ એવા પ્રકારનાં છે કે તેમાંથી અનર્થ ઉદભવ્યા વિના રહેતું જ નથી. માનવીએ યંત્રનું પતન કર્યું પણ યંત્ર માનવીની અધોગતિ કરેલ છે. આપણે ઉપર જોઈ ગયા કે યંત્રની સાથે જથ્થાબંધ ઉત્પાદન, શ્રમહેંચણી, મૂડીદાર પ્રથા અનિવાર્ય રીતે જોડાયેલાં છે, પરિણામે જગતમાં વ્યાપેલા આર્થિક અનર્થો માટે યંત્ર સંપૂર્ણ રીતે જોખમદાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com