________________
૨૨૦ સુવાસ : ભાદ્રપદ ૧૫
યંત્રની શકિત અમર્યાદિત છે, અતુલ છે, અકલ્પનીય છે. યંત્રની શકિતદ્વારા માનવીએ રે, મોટર અને એરોપ્લેન રૂપે વિરાટ પગની ભાવના મૂર્ત કરી છે; માનવીનાં ઉપભોગ સાધન ઉત્પન્ન કરતાં અનેક યંત્ર અને કારખાનાંઓ તેના વિરાટ હાથની ભાવનાને ખ્યાલ આપનારાં છે; રેડિયે, તાર અને ટેલીફોન માનવીના વિરાટ શબ્દની પ્રતિતી કરાવે છે; ટેલીસ્કોપ, માઈક્રોસ્કોપ, Gray, અને ટેલીવીઝન માનવીની વિરાટ છે. યંત્રથી માનવીનું સ્વરૂપ વિરાટ બન્યું છે, પણ આ વિરાટ સ્વરૂપનો આધાર કેવળ ભૈતિક જ્ઞાન ઉપર હોવાથી એ અનાશવંત બન્યું નથી, બલકે એ વિરાટ સ્વરૂપનું ભક્ષણ યંત્રરૂપી રાક્ષસ કયારે કરી જશે તે કળી શકાતું નથી. વિજ્ઞાનના વિકાસથી માનવીએ ભૌતિકજીવનની વિરાટ ભાવનાનો આવિર્ભાવ કર્યો છે પણ તે કેવળ ભૌતિક હોવાથી માનવી વિનાશને આરે જઈ ઊભો છે. યંત્રની શકિત જેમ ઉત્પાદન કરી શકે છે, તેમ તે જ શક્તિ વિનાશ પણ કરી શકે છે.
યંત્રની શક્યતાઓ તેની શક્તિ કરતાં પણ વિશેષ છે. માનવીથી અલભ્ય અને અશક્ય એવાં ભારે કાર્યો યંત્ર પાર પાડી શકે છે. માનવીના શ્રમ કરતાં યંત્ર એક જ પ્રકારનું કાર્ય વધારે સહેલાઈથી, ઓછા ખર્ચથી તેમજ બિલકુલ ચોક્કસપણે કરી શકે છે. જેમ જેમ યંત્રને વિકાસ થતો જાય છે તેમ તેમ યંત્ર વિશિષ્ટ પ્રકારનું ઉત્પાદનના દરેક વિભાગ માટે વિશિષ્ટ પ્રકારનું બનતું જાય છે. તેમ થવાથી ઉત્પાદન ઘણી જ પ્રગતિ કરી શકે છે.
યંત્ર વરાળશકિત કે વિદ્યુતશકિતનો ઉપયોગ કરે છે અને યંત્ર વડે માનવી કલ્પનામાં ન આવી શકે એવાં ભારે કાર્યો કરે છે. હજાર ટનના ભારવાળા હડાઓ યંત્ર સિવાય કોઈ દિવસ માનવીથી ઉપડાવાના પણ હતા ? માનવીના શ્રમ કરતો પત્ર અનેકગણું વેગથી કાર્ય કરી શકે છે, માત્ર વેગથીજ નહિ પણ ઘણી જ એકસાઈથી કાર્ય કરી શકે છે. એક કલાકમાં વીસ વીસ માઈલ જેટલી લાંબી છા૫ણી કે એક કલાકમાં કરોડો દિવાસળીની પેટીઓ યંત્ર વિના માનવીથી કઈ દિવસ થઈ શકવાનાં હતાં ? મોટર, રેલવે, એરોપ્લેન, રેડિયો, તાર, ટેલીફેન તથા અનેક જાતનાં ઉત્પાદનનાં કારખાનાં યંત્ર વિના માનવી માટે અલભ્ય અને અશકય બનત. યંત્ર અર્વાચીન જગતમાં સર્વવ્યાપી બનેલું છે. માનવીને આર્થિક જીવનના ખૂણેખૂણું સુધી તેણે પ્રવેશ કરે છે. યંત્ર અને માનવી પરસ્પર વણાઈ ગયાં છે. આજે માનવી યંત્ર વિના એક પળ પણ ચલાવી શકતો નથી. યંત્રના આધાર વિનાને માનવી પાંગળો છે. ઠીંગ છે. એકજ શબ્દમાં કહીએ તે યંત્રદેવ સમક્ષ માનવીએ સંપૂર્ણ પરતંત્રતા કબૂલ કરી છે. યંત્રના ભાર નીચે માનવી દબાઈ ગયા છે.
યંત્ર માનવીને પરતંત્ર કરી અટકયું નથી. માત્ર પિતાને આધીન બનાવે ત્યાં સુધી યંત્ર હજુ ભયંકર નથી. યંત્રની ખરી ભયંકરતા તો તેની શોષણગાથામાં છે. માનવજાતના મેટા સમુદાયના શ્રમજીવીઓના શોષણના સાધનરૂપ થઈ પડેલું યંત્ર ખરેખર ભયાનક છે.
યંત્ર, યંત્રને પરિણામે ઔદ્યોગિક કાન્તિ, ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે જથ્થાબંધ ઉત્પાદન, જથ્થાબંધ ઉત્પાદનને પરિણામે મૂડીવાદ, મૂડીવાદને પરિણામે આધુનિક સામ્રાજ્યવાદ, સામ્રાજ્યવાદને પરિણામે નિર્બળ પ્રજાઓ-રંગીન પ્રજાઓને વિનાશ, નિર્બળ રાષ્ટ્રોનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com