________________
ન. હ. વ્યાસ
ચૈત્ર એટલે ભૌતિકવિજ્ઞાનની પ્રગતિનું પ્રતીક. વિજ્ઞાને યંત્રને જન્મ આપ્યો અને યંત્ર વિજ્ઞાનને અકલ્પનીય વેગ અને વિકાસ આપ્યાં. આજનું જગત વિજ્ઞાનમય છે. આજના જગતનું ભૈતિકજીવન મંત્રમય છે. માનવજીવનની પ્રત્યેક બાજુને યંત્ર સ્પર્શ છે; જીવન એ હદ સુધી યંત્રપરાયણ બનતું જાય છે કે યંત્ર જાણે માનવજાતને ગૂંગળાવી ન નાખતું હોય? ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રમાં માનવી અવિરત પ્રગતિ કર્યો જાય છે, યાંત્રિક બળ વડે પ્રકૃતિની અખૂટ શક્તિઓ ઉપર પ્રભુત્વ મેળવતો જાય છે. આજે તે ક્ષણભર અટકીને, એ પ્રગતિ અને પ્રભુત્વનું શું પરિણામ આવવાનું છે, તે વિચારવાની દરકાર નથી કરતે; સૈતિકવિજ્ઞાનની પ્રગતિ અને વિકાસની મર્યાદાઓને તે ભૂલી ગયો છે. આજે તે તેને એક જ ધૂન છેઃ અવિરત પ્રગતિની અને અમર્યાદિત વિકાસની.
જગતમાં યંત્ર આવ્યું, યંત્રને પરિણામે ઔદ્યોગિક ક્રાતિ ઉદ્દભવી. આ ક્રાતિએ જગતના આર્થિક જીવનમાં જબરદસ્ત પલ્ટો આપે. ઉત્પાદનનું સ્વરૂપ તદન બદલાઈ ગયું. નિસર્ગ સાથે માનવીને સીધે સંબંધ એકદમ ઓછો થવા લાગ્યો અને પ્રકૃતિનું પરિવર્તન માનવી પોતાના ઉપગ અર્થે અનેક રીતે યંત્રદ્વારા કરવા લાગ્યા. પ્રત્યેક દિવસે માનવી પ્રકૃતિને ખેળેથી દૂર થઈ યંત્રને શરણે જઈ રહ્યો હતો. યંત્ર મોહક હતું, તેની માહિતી અદ્દભુત હતી; જોતજોતામાં સમસ્ત માનવજાત યંત્રની જાળમાં ફસાઈ ગઈ. આજે માનવ જાતના જીવન ઉપર પ્રકૃતિને કાબૂ નથી, યંત્રનો કાબૂ છે. અને એ કાબૂ એટલે બધે મજબૂત તેમજ ભયાનક છે, કે કઈ ક્ષણે વિકાસ પામેલું વિજ્ઞાન અને પ્રગતિની છેલ્લી ટોચે જઈ બેઠેલું યંત્ર માનવજાતનો વિનાશ પિકારે તે કલ્પી શકાતું નથી. પ્રકૃતિની મર્યાદાઓને લેપ કરી માનવીએ જે વિકાસ સાધ્યો છે તે વાસ્તવમાં વિકાસ નથી, માત્ર વિકાસનો આભાસ છે. આજે જગત ઝપાટાબંધ ભૈતિકવિજ્ઞાન અને યંત્રદ્વારા વિનાશને પંથે ઘસડાઈ રહ્યું છે.
આ યંત્ર એટલે શું? એમાં એવી તે કઈ અદભુત શક્તિ રહી છે કે જેના વડે સારા જગતના જીવનમાં તેણે પરિવર્તન આણ્યું? આ પ્રશ્નો સમજવા માટે આપણે યંત્રનું કલેવર તપાસવું પડશે તેમજ યંત્રની શક્તિ અને શકયતાઓને પણ જેવાં પડશે.
આજનું યંત્ર આગળના જમાનાનાં ઓજાર કરતાં ભિન્ન પ્રકારનું છે. એ સાદાં હતાં અને માનવી પિતાની શક્તિથી ઓજારો વડે જરૂરી પ્રમાણમાં ઉત્પાદનની પ્રવૃતિ કરતે. યંત્રનું કલેવર માનવીના શરીરની જેમ, વિવિધ અંગેનું સંયોજન છે. યંત્રનું સ્વરૂપ ઘણું જ સંયુક્ત છે. યંત્ર શકિત ઉત્પન્ન કરે છે, અથવા તો કુદરતની શકિતઓને કાબૂમાં લ્ય છે અને એ શકિતવડે વેગ પ્રાપ્ત કરી પોતાનાં જ જુદાં જુદાં અંગો વડે જથ્થાબંધ ઉત્પાદન આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com