SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા કે મરે છે, તે કરતાં પણ વધારે સ્વાસ્થ આપવાના ઇજારદાર ગણાતા ડાકટરા અને વૈદ્યોને હાથે મર્યાં છે અને રેાજ રેાજ મરતાં જાય છે. હ્યુરીથી કાનુ' ખૂન કરનારને સરકારી કાયદામાં ફાંસીની સજા છે, જ્યારે આપણા પરવાનાવાળા ખુનીઓને માટે બારે દરવાજા મેાકળા છે. વળી દીપરના તેમના ઉપકાર અને ચગદી નાખે તેવી ફી તા જુએ! માટેજ એક જુની સાધારણ કહેવત લેાકેામાં પ્રચલિત છે કેवैद्यराजं नमस्तुभ्यं यमराज सहोदरम् । यमस्तु हरति प्राणान् वैद्यः प्राणान् धनानि च ॥ અર્થાત્ હે વૈદ્ય–ડૉક્ટર! તને નમસ્કાર; કેમકે તું યમરાજાને ભાઇ છે. યમ તે માત્ર પ્રાણજ હરે છે, પણ તું તેા પ્રાણ અને ધન બન્ને હરે છે, ડૉકટરા અને વૈદ્યોનાં આ મહાપાપની પ્રતીતિ આપણને થઇ નથી અને તેથીજ એ લેાકેાનું ટકું ચાલે છે અને પાપીઓને બદલે તેઓ ઉપકારક ગણાય છે. અમેરિકામાં હવે આ પાપની સામે અવાજ ઉઠયા છે. આપણે પણ જ્યારે કુદરતને વધારે અનુસરતું જીવન ગાળીશુ' ત્યારે તેવી પ્રતીતિ આપણને પણ થશેજ થશે. શાસ્ત્રવિદે। કહે છે કે मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदाः । आगमापायिनोऽनित्यां न तेषु रमते बुधः। અર્થાત-ઇંદ્રિયાના ભાગા કદી શીત, કદી ઉષ્ણ, કદી સુખદાયક તે કદી દુઃખમય છે. તથા અસ્થિર અને અનિત્ય છે; માટે બુદ્ધિમાન પુરુષ તેમાં કદી પણ ક્રૂસાઈ રમણુ કરતા નથી; અર્થાત્ અક્ષયસુખ બાહ્ય વસ્તુઓમાં નથી પણ પરમાત્માથી મેળવાય છે અને તેથીજ આપણાં ઉપનિષદે આત્માને ઓળખવાનું કહે છે; તેમ “નૈસગિક ચિકિત્સકા” અને ઉપવાસચિકિત્સકેા કાઇ પણ બાહ્ય દવાની જરૂર નથી અને આપણાં આ શરીરમાંજ સંપૂર્ણ સ્વાસ્થ્યના ઝરેા છે, એમ બતાવે છે. આત્માની ઓળખાણવગર મનુષ્ય જેમ દુ:ખી થાય છે, તેમજ શરીરની જાણ વગર મનુષ્ય રાગી અને પીડિત બનેલેા છે. (તા. ૨૭–૧–૧૯૨૮ના પ્રગતિ”માં લેખકઃ–શ્રી ડા. વિશ્વામિત્ર કૌશિક પંડિત ) २८ - भणतर अने पोषाक वच्चे संबंध ભણતરને અને પેાષાકને શા સબંધ છે એ સમજવાની બુદ્ધિ હાલના વિદ્યાર્થી એમાં આવી જણાતી નથી. ‘સાદું` છત્રન અને ઉન્નત વિચારણા’નું સૂત્ર જે ભાષામાંથી તેમને મેએ ચઢયુ છે તેજ ભાષાના અભ્યાસ કરતી વેળા તેમની રીતભાત જુએ તે મેટા વિરાધ દેખાશે. એ ભાષાના સંસ્કારથી રંગાયેલા વિદ્યાગુરુએ અને પ્રફેસરા પણ એવાજ તર્ક ગાઠવે છે કે, વિદ્વાન કે પ્રફેસર અનવાને જીવન ખર્ચાળ હેાવુ જોઇએ. તે પરદેશી સંસ્કૃતિ પ્રચારે છે કે વિકૃતિ તેનેા વિચાર કરવા જેટલી પુરસદ તેમને કેમ નહિ મળતી હેાય ? ઘણા સાહેબ અનેલા વિદ્યાગુરુએ અને તેમને પગલે ચાલતા પારસી અને દેશી પ્રફેસરા આ બાબતમાં વિદ્યાર્થીને ટપલા મારતાંએ શરમાતા નથી ! વિદ્યાર્થી જાણે લખત કરી બંધાયેલેા ગુલામ હાય, તેને સ્વાભિમાન કે દેશપ્રેમ નજ હાય એવા નિર્માલ્ય ગણી પાશાક અને રીતભાતની ખાખતમાં કૅલેજ કે હાઇસ્કૂલના રાજાધિરાજો તરફથી કડક ફરમાનેા આપવામાં આવે છે. તે સામે અવાજ કાઢતાં પણ થથરે એવા માનસવાળા વિદ્યાર્થી એમાં (જ્ઞાન એ પરમ શક્તિ છે) એ અનુભવ શી રીતે ઉતરે ? જોડા પહેરવાને જ્યાં સખત કાયદા હતા તે કૅલેજમાં ઉધાડે પગે જવાની હિં`મત દાખવનારા અમુભાઇ પુરાણીના જવાબ બધાને માંએથી કયારે નીકળશે ? · જ્ઞાન તે આંખા અને મગજવડે ગ્રહણ કરવાનું છે; પગેથી નથી પેસવાનું; ઉઘાડા પગને તેની સાથે શી લેવાદેવા છે?” એક કૅલેજમાંથી મારાપર એક ભાઇએ પત્ર લખ્યા છે તેમાં પાશાક અને રીતભાતવિષે જે સ્થિતિ રજુ કરે છે તે વાંચવાથી ઉપરની વાતને ટેકે! મળશેઃ ‘ધણીખરી સ’સ્થાઓમાં પશ્ચિમના ગુરુએ ભણાવે છે. તેમના એક હેતુ હિંદુસ્તાનમાં પશ્ચિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy