SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ ચિકિત્સા અને તેના લાલે ભોજનસિવાય જીવી શકાય છે, એવો વિશ્વાસ આવવા માંડ્યો. આઠ દિવસ પૂરા કરી નવમે દિવસે સંતરાં અને મોસંબી લીધાં અને મારા હર્ષની વચ્ચે ઘણે લાંબે વખતે મેં સુસંગઠિત અને સારા રંગનો–બંધાયેલો ઝાડો આવેલો છે. મંદાગ્નિ દૂર થઈ ગયો અને ભૂખ લાગવા માંડી અને શરીર સ્વાભાવિક શક્તિ પકડવા માંડયું. લગભગ બેએક વર્ષ સુધી સખ્ત શારીરિક દુઃખ અને બિમારી સહેવા પછી જે આ અમૂલ્ય સ્વાથ્યલાભ મેળવ્યા તેથી કેટલો બધે હર્ષમાં આવ્યો હઈશ, તેનું શબ્દોમાં વર્ણન કરવું. લગભગ અશક્ય છે. બસ, ત્યારથી જ હું “ઉપવાસચિકિત્સાને ભક્ત બન્યો. હવે જ્યારે જ્યારે કંઈ પણ શારીરિક કષ્ટ માલમ પડતું ત્યારે ઉપવાસરૂપી ઉત્તમ “રામબાણ” શસ્ત્રથી તેને ભેદી નાખતો. ઉપવાસમાં પૂર્ણ શ્રદ્ધા બેઠી અને તેને પરમભક્ત બની યમાં અને તેને લગતાં નૈસગિક ચિકિત્સાનાં પુસ્તકો. જે જે સારા સારા અમેરિકન અને બીજા લેખકોએ લખ્યાં હતાં તે સર્વ વાંચ્યાં. મી. બરનાર મેકફેડન આ લેખકોમાં મુખ્ય હતે. એનું માસિક ફીઝીકલ કલ્ચર” હું હંમેશ વાંચતે. હાલ પણ વાંચું છું. હવે મને મારા આત્મામાં આરોયસંપાદન વિષે એટલો બધે તે વિશ્વાસ ઉત્પન્ન થયો કે તેને હું મારા એક હાથની વસ્તુ સમજવા લાગ્યો. ઉષ્ણ જલપચાર, બાષ્પસ્નાન, શીત જલોપચાર, બસ્તિસ્નાન, અસ્થિ મર્દનચિકિત્સા, આતપચિકિત્સા, રંગચિકિત્સા, શરીરમર્દનચિકિત્સા (મસાજ), યોગાસનચિકિત્સા, પ્રાણચિકિત્સા અને માનસપચાર પદ્ધતિ, એ સર્વ વિષયોમાં ધીમે ધીમે મેં પ્રવેશ કરવા માંડ્યો અને બીજા દર્દીઓના પણ ઇલાજો કરવા માંડયા. આટલી પ્રસ્તાવના કે જે મને મારા છે લગભગ દેઢ માસ પૂર્વે કરેલા બેંતાળીસ ઉપવાસનો અનુભવ જનતા પાસે મૂકે તે પહેલાં કરવી જરૂરની જણાઈ. ઉપવાસથી લગભગ બધા રોગો નષ્ટ થઈ જાય છે. માત્ર તેને પદ્ધતિસર કરવા જોઈએ. ઉપવાસ પાસે લગભગ કોઈ પણ અસાધ્ય રોગ ગણાતો નથી. ભગવદગીતામાં જેમ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુસ્થતિ તવઃ અર્થાત અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે માટે જ પ્રાણીઓ દુઃખી થાય છે. ખરેખર એમજ છે. એક ગ્રામવાસી સાધારણ માનવથી માંડી મોટા મોટા શિક્ષિત સુધી સર્વ મનુષ્ય અંધારામાં જ ગોથાં ખાય છે એમ તત્ત્વદષ્ટિથી અંતરને સહજ દેખાઈ આવે છે; બકે ઘણી વાર એમજ બને છે કે, એક ગ્રામ્ય અશિક્ષિત મનુષ્ય સ્વભાવતઃ સ્વપ્રેરણશક્તિથી દોરવાઈ જેટલો સન્માર્ગે ચાલે છે અને સુખી જીવન ગાળે છે તેટલું આપણે શિક્ષિત કહેવાતા લોકોમાં જોઈશું નહિ. ફરક માત્ર એટલો જ છે કે, એ ગામડીઓ. પોતાની ભૂલો કે અમુક વિષયની અજ્ઞાનતા છુપાવી શકતા નથી અને તે વિદ્યા તેને આવડતીએ નથી; જ્યારે આપણા શિક્ષિત કહેવાતા લોકે એ ગ્રામ્ય અને ભેળા માણસની સરળતા અને ભેળપણને મૂર્ખતા લેખે છે અને પિતાની તેથી સેંકડે અંશે કરેલી વધુ ભૂલોને યુક્તિવાદ અને વાક્ચાતુર્ય થી કૃત્રિમ ગીલેટ કરી પિતાને પંડિતમન્ય સમજે છે. વનમાં વસતા પશુને કે ખુલ્લા મેદાનમાં વિચરતા એક દંડધારી ઉજજડ રબારીને કયારે ખાવું, કેમ ખાવું અને શું ખાવું, એ જેટલી ખબર છે તેટલીએ ખબર આપણે મોટામાં મોટા બહુ ઉંચું શિક્ષણ પામેલાને ખબર નથી. એ વનચર પશુ કે કે ભરવાડ જેટલા તંદુરસ્ત અને આનંદી રહે છે, તેના સેમા હિસ્સા જેટલું સ્વાથ્ય અને આનંદ આપણે નસીબમાં નથી. વિલાયતમાં ઉંચી ઉંચી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ આવેલા ર્ડોકટરો જે પોતાને સ્વાધ્યના ઇજારદારે સમજે છે અને સ્વાભાવિક કુદરતને વધુ અનુકૂળ પડતું તંદુરસ્ત જીવન ગાળનારા લોકોને અશિક્ષિત અને વિદ્યાહીન કહી પિતાનાં વિષમય ઔષના બાટલાએથી ઘણી વાર પામર અને નિર્જીવ બનાવે છે તેઓ સામાન્ય માનવોને અજ્ઞાનાંધકારમાં જ ગોથાં ખવડાવ્યા કરે છે. એક શસ્ત્રવેદ્ય-સર્જ્યન હમેશ બાપડા ગરજાઉ દર્દી પર પિતાની છુરી જેમ એક કસાઈ પશુપર નિર્દય રીતે ફેરવે છે તેમ ફેરવે છે. એમ કહે કે, તેને એવી રીતે ધુરી ચલાવી ઘણે દાખલાઓમાં, મારી નાખવાને સુદ્ધાંએ પરવાને મળ્યો હોય છે. એક ઘણે અનુભવી વિદ્વાન કહે છે કે, ડોક્ટરો અને વૈદ્યોએ પિતાના પ્રયોગો અને શસ્ત્રપ્રયોગો બાપડા દર્દીઓ પર એટલા બધા અજમાવ્યા છે કે કોઈ મહાયુદ્ધમાં જેટલાં મનુષ્ય મર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy