SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ શુભસંગ્રહ-ભાગ પાંચમો પછી ટોનીક દવા માટે ફાંફાં મારે છે. તેવા સમયમાં તેઓ બૂમો પાડે છે કે, મરું તો મગજ થાકી ગયું છે, અને ખરેખર એવી જ દશા થાય છે. પછી તેઓ ફાવે તેવા ઉપાય કરે છે. કોઈ ૫-૭ વખત ચા અગર કૅફી પીએ છે, કોઈ સીગારેટ પીએ છે, કોઈ તંબાક ખાય છે. કાઈ સુંધે છે, વળી કેાઈ છે તેથી આગળ વધી કેાઈ એવા વાઇન-દારૂને પસંદ કરી ડોઝ પીએ છે. પણ ખરેખર, તેઓ નિરર્થક નહિ પણ નુકસાનકારક ઉપાયો કરી હવામાં બાચકા ભરવા જેવું કરે છે. ઉલટા ફાયદાને બદલે ભયંકર નુકસાન વહોરી લે છે. ઘણી વખત તેઓ બિમારી ભોગવે છે અને વર્ષ નકામું ગુમાવી બેસે છે અને એવું ન થાય તો ઉપરની તેમની દવાઓ તેમની વ્યસનરૂપે થઈ પડે છે. એવા ઘણા દાખલાએ જણાશે. જેનું મગજ થાકી ગયું છે એમ જેને લાગે તેમણે તે અવશ્ય થોડી વાર માટે મગજને તદ્દન શાંતિ આપવી. ઘણા વા જોવામાં આવે છે કે ગમે તેમ થાય તે પણ વાંચવું જ એવા ૧૦-૧૨ કલાક વાંચનારાઓ જેટલા ફતેહમંદ થાય છે તેના કરતાં જેઓ નિયમસર મગજની શક્તિ પ્રમાણે ૩ થી ૪ કલાક વાંચનાર છે તેઓ વધુ ફતેહમંદ થાય છે; છતાં કઈ વખત કુદરતને મદદ કરવા મગજને બળ આપનારી દવાની જરૂર પડે છે તેવે વખતે બીજા કોઈ પણ “બ્રેઇન ટોનિક'ના ઉપાયો બાજુએ રાખી શંખાવળી નામની વનસ્પતિ આવે છે તે કઈ ઓળખીતા પાસેથી લઈ આવી, જેમ બને તેમ તાછ લાવી નીચે જણાવેલ રીતે વાપરવીઃ –શંખાવળી– સંસ્કૃત નામ–ાંaggી, ચંar, શાહ્યા, ઘુમા, પંતપુin, જાવુપુળા, मेध्या, किरीटि, मलविनाशिनी, शंखकुसुमा, भूलना. મરાઠી નામે--વાદુરી, રાંઢી. હિંદી નામો શંખપુષ્પી, કૌડીઆલી. બંગાળી નામ–ડાનકુની. સિંધિ નામ-વિષ્ણક્રાન્તિ. શંખાવળી એ એક બહુજ ઉપયોગી કુદરતની બક્ષિસ છે અને એથી જ તે ઘણીખરી, જગ્યાએ ચોમાસામાં ઉગી નીકળે છે અને ઘણે ઠેકાણે તો તે બારે માસ જોવામાં આવે છે. તેના પૂપ શંખના જેવા ઘાટવાળાં હોવાથી તે શંખાવળી, શંખપુષ્પી, શંખકુસુમા વગેરે નામથી ઓળખાય છે. તે લગભગ ૦૧ ફુટ ઉંચી અને જમીન પર છાતલાની જેમ પથરાયેલી હોય છે. શાખાઓ પાતળી અને લાંબી હોય છે અને પાન સાધારણ પ્રમાણમાં લગભગ 1 ઇંચ લાંબાં અને હા ઈંચ થી ૮ ઈંચ પહોળાં હોય છે. ફલના રંગ ઉપરથી તેની જૂદી જૂદી જાતો મનાય છે. ફૂલના રંગમાં સફેદ, નીલ, લાલ અને પીળા એ ચાર જાત માને છે. ગુણ-શંદ્ધિની સુવિsા જાસપત્તવાનિ ! વિપાપમાન મૂત્તાનું હૃતિ મેગા રહ્યા (ધન્વન્તરીય નિઘંટુ) शंखपुष्पी हिमातिक्ता मेधाकृत् स्वरकारिणी । ग्रह भूतादि दोषनी वशीकरण सिद्धिदा ॥ (રાજનિઘંટુ) शंखपुष्पी सरामेध्या दृष्या मानसरोगहत । रसायनी कषायोष्णा स्मृति कांति बलाग्निदा। (ભાવપ્રકાશ) दोषापस्मार भूताश्रीकुष्ट क्रिमि विषप्रणुत ॥ शंखपुष्पी तु तीक्ष्णाष्णा मेध्या क्रिमिविषापहा ॥ (રાજવલ્લભ). આ ઉપરના મહાન વૈદ્યોના મતો ઉપરથી આપણને સ્પષ્ટ જણાય છે કે તે સર્વ આ ઔષધિને મેધ્ય-મેધાને સુધારનાર, રસાયણી, ઘડપણું અને વ્યાધિને દૂર કરનાર, અપમાર, ઉમાદ-મગજની નબળાઈને દૂર કરનાર માને છે. આયુર્વેદની અંદર મગજના ઘણાખરા રોગોની દવામાં શંખપુષ્પી આવે છે. આયુર્વેદનું જૂનામાં જૂનું અને છતાં સર્વશ્રેષ્ઠ પુસ્તક વાહિતા માં પણ શંખપુષ્પીને માટે મેધાને સુધારનાર દવા લખતાં લખે છેઃ મેઘા ઘિરે તુ શંard II (, , જિ. સ્થાન, ચરકસંહિતા.) અપસ્મારની અંદરના એક પ્રયોગમાં લખે છે કે તરવરેલ્વે રહgs = પાડ્યું લાચનમ્ | www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy