SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત-સમાજસેવા મંડળ પિષ-અમદાવાદ १४२ - गुजरात - समाजसेवा मंडळ परिषद् - अमदावाद તેમાં પસાર થયેલા ડરાવા ૩૩૭ (૧) ગાંધીજી અને શાસ્ત્રીજીને અભિનંદન સમગ્ર દેશને અને ખાસ કરીને ગુજરાતને આચરણદ્વારા સેવાધર્માંતેા પાઠ આપનાર મહાત્મા ગાંધી ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયાના હીરક મહેાત્સવપ્રસંગે આ પરિષદ સાદર અભિનંદન આપે છે; અને લેાકશાહીના આ યુગમાં સેવાધર્માંનું જાગ્રત અને પ્રેરક બળ તે ઉત્તમ તંદુરસ્તી સાથે વર્ષોં સુધી આપ્યાંજ કરે એવી પ્રભુપ્રત્યે આ પરિષદ પ્રાના કરે છે. હિંદુ સેવક સમાજના પ્રમુખ નરેબલ શ્રીનિવાસ શાસ્ત્રી ૬૦ વર્ષ પૂરાં કરે છે તે પ્રસ ંગે આ પરિષદ તેમને અંતઃકરણપૂર્વક અભિનંદન આપે છે. આપણા દેશનું ગૌરવ અને પ્રતિષ્ઠા વિદેશમાં વધારવા માટે તેમજ સમસ્ત દેશના રાજકીય તથા સામાજિક ક્ષેત્રમાં આગળ પડતા ભાગ લેનાર દેશનેતાતરીકે તેમની ઉજજવલ સેવાની આ પરિષદ આભારપૂર્વક કદર કરે છે અને નામદાર શાસ્ત્રી લાંબી મુદત સુધી તંદુરસ્ત રહી દેશસેવાનાં ઉન્નતકામાં પ્રવૃત્ત રહેવા શક્તિમાન થાય એવી પરમાત્માપ્રત્યે પ્રાર્થના કરે છે. (૨) મદ્યપાનનિષેધ હિંદુસ્તાનની એ મેટી કામે-હિંદુ અને મુસલમાનનાં ધર્માંશાસ્ત્રામાં દારૂ પીવાની સખ્ત મના કરેલી છે; તેમ છતાં સરકારની આબકારી રીતિનીતિના કારણે દેશમાં દારૂના વપરાશ દિનપ્રતિદિન વધતો જાય છે; અને તેના પરિણામે પ્રજાની મેાટી પાયમાલી થાય છે. તેથી આ પરિષદે નામદાર મુંબઈ સરકારને દારૂ અને માદક પદાર્થો સદંતર બંધ કરવાનું જાહેર કરેલું છે, તે ધ્યેયને વળગી રહી દશ વર્ષમાં તેને પૂરેપૂરા અમલ થવા અને પ્રારંભિક ઉપાયતરીકે લેાકલ એપ્શનના હક્ક પ્રજાને આપવા અને દારૂની દુકાનેાની સંખ્યા અમુક પ્રમાણમાં પ્રતિવર્ષ કમી કરવા પગલાં લેવા માગણી કરે છે; અને તે સાથે જૂદાં જૂદાં સેવામડળેને દરેક મેટા ગામમાં જ્યાં હાલ મદ્યપાનનિષેધક મડળીએ નથી ત્યાં તે સ્થાપવા, તથા વ્યાખ્યાન, કીર્તના અને સીનેમાદ્વારા દારૂના ઉપયેગથી શારીરિક, માનસિક અને આર્થિક હાનિ થાય છે તે બતાવવા, અને શકય હોય ત્યાં શાંત ચેકી કરવાને અને દારૂબંધી માટે કામનાં તથા ગામનાં સગઠન કરવાની યોગ્ય તજવીજ કરવા આગ્રહપૂર્વક ભલામણ કરે છે. (૩) વિધવાશ્રમ વિધવાનાં જીવન હતાશ અને નિરર્થક ન બને, પણ જનસમાજમાં ઉપયોગી અંગ અની, સ્વાશ્રયી થાય અને સમાજને ઉન્નત કરવામાં પોતે પેાતાના યાગ્ય હિરસા આપી શકે તે માટે આખા દેશમાં દેકાણે ઠેકાણે વિધવાશ્રમેા સ્થાપવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે. આવા આ મેમાં વિધવાઓને સામાન્ય શિક્ષણ ઉપરાંત ધંધા અને હુન્નરઉદ્યોગનું તેમજ સામાજિક સેવાના કાર્યનું શિક્ષણ મળે એવી સર્વ પ્રકારની સવડ થવી જોઇએ; અને તેએ અમુક મુદત પછી આશ્રમમાં છૂટાં થઇ, પેાતાનું વ્યક્તિગત જીવન સ્વતંત્ર રીતે ગાળી શકે અને જનસેવાના કાર્યમાં ઉપયાગી થઈ પડે, એવી એ આશ્રમેાની યેાજના રચાવી જોઇએ. તેથી આ પરિષદ આપણા પ્રાંતમાં હાલમાં ચાલતા વિધવાશ્રમેાના સંચાલકાને ઉપર મુજબ ઘટતી વ્યવસ્થા કરવા આગ્રહ કરે છે. (૪) અતગમતા હાલની પ્રા રમવાની જગાએ અને રમવાનાં યોગ્ય સાધતેને અભાવે નિળ અને નિરૂત્સાહી થતી જાય છે, તેથી તેમ થતું અટકાવવા અને શારીરિક, માનસિક, નૈતિક બળવાળાં નવી ઉછરતી પ્રન્ન થાય, તે સારૂ શાળામાં ભણતા અને શહેરમાં અન્ય બાળકાને રમવાનાં ખુલ્લાં સ્થળે ઉભાં કરવા તથા સાધના અપાવવા આ પરિષદ્ મ્યુનીસિપાલિટીએ, લેાકલ ખેŪ અને ધનિક વર્ગોને ભલામણ કરે છે; અને યુવાને અને યુવતીઓને અનેક રમતે શીખી તે રમતે શુ. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy