SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણ પરમાત્મા ઉપર મંડાયેલે કેસ १०३-श्रीकृष्ण परमात्मा उपर मंडायेलो केस સવારનો પહે ર હતો. આજે અલકાપુરીમાં દેવ, ગંધર્વ, કિન્નર, અપ્સરા, ઋષિમુનિઓ વગેરે ઇદ્ર મહારાજની કચેરી તરફ જઈ રહ્યાં હતાં અને પરસ્પર હસી હસીને વાત કરતાં હતાં કે આજે તે શ્રીકૃષ્ણ પરમાત્મા ઉપર કોઈ મૃત્યુલોકનો માનવી કેસ ચલાવવા આવ્યા છે. આ ચર્ચાથી સમસ્ત ર૯નાં નરનારી “શ્રીકૃષ્ણ ભગવાન ઉપર કેસ ચલાવનાર મૃત્યુલોકનો માનવી કેવો હશે, એ કુતૂહ૦થી આજે જોતજોતામાં શ્રી ઈદ્રદેવનો દરબાર ખીચોખીચ ભરાઈ ગયો હતે. શ્રી ઈદ્ર મહાર જ પિતાના બહુમૂલ્ય સિંહાસનારૂઢ હતા. બાજુમાં તેમનાથી ઉતરતાં દેવદેવીઓ વિરાજમાન હતાં. સામા આસન ઉપર એક ગરીબ જેવો જણાતે બે બાજુથી ફેલી ખવાયેલો અને જેની શરીરમાં હાડકાં અને માંસવિના કશું જ ન હતું એવો મૃત્યુલોકમાં આવેલા હિંદ નામના દેશમાં વસતા હિંદુસમાજ નામનો મનુથાકાર સ્થિત હતા. અને તેની બાજુમાં જ મૃત્યુલો ના માનવી સ્વામી શ્રી. શ્રદ્ધાનંદજી મહારાજ વીરતાથી અડગ રીતે આ કેસ કેવી કુનેહથી ચલાવો તેના વિચારમાં બેઠા હતા, અને એટલામાંજ સભામાં હા હા થઈ. સામેથી એ મયૂરપયુત મુકુટધારી બંસીના બજાવનાર, સ મૂલ્યવાન અલંકાર આદિથી વિભૂષિત, જેમની પાછળ મખમલનો કિંમતી ઝબ્બો લટકે છે તેવા ભક્તવત્સલ શ્રીકૃષ્ણ પરમાત્મા આવી પહોંચ્યા. સા એમને જોતાંજ ઉભી થઈ ગઈ અને માન આપ્યું. શ્રી ઇંદ્ર પણ સન્માનથી પિતાની નજીક આરસન આપ્યું અને કાર્યવાહી શરૂ થઈ. શરૂમાં સ્વા. ધાનંદજી પિતે દબદબાથી દરબારમાં ઉભા થયા અને જણાવ્યું કે, મેં મારા પ્રાણપ્યારા ધર્મને સેવા દેહબલિદાન જમવું હોવાથી આ શ્રી ઈદ મહારાજના દરબારમાં મારા હિંદુ સમાજને મુકદમો ચલાવવાને મને સંપૂર્ણ અંધકાર છે, જેમાં શ્રી ઈદ મહારાજ કોઈપણ તો વાંધો લેશે નહિ. આ ‘હિંદુ સમાજ'-મારા અસીલની નીચે મુજબની ફરિયાદ છે કે જે હુ આંક ૧ તરીકે રજુ કરૂં છું. ફરિયાદ અરજી હું મૃત્યુલોકમાં ભારતવર્ષ નામના રમણીય દેશનો રહેવાસી હિંદુ સમાજ ઘણીજ નમ્રતાપૂર્વક ન્યાયપરાયણ શ્રી ઈદ્ર મહારાજની વરિષ્ઠ અદાલતમાં ભારતવર્ષમાં દ્વારિકાપુરી નામની નગરીમાં વસેલા અને હાલ ક્ષીરસાગરમાં વાસ કરી રહેલા શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્મા જે વસુદેવના પુત્ર છે અને ભક્તવત્સલનું ખોટું વિશેષણ જેમને લગાડવામાં આવે છે, તેમના વિરુદ્ધ મારી આ ફરિયાદ છે. જ્યારે દ્વાપર યુગમાં ધર્મનો લોપ થવા માંડે ત્યારે તેમણે અમારા ભારતવર્ષમાં જન્મ ધર્યો હતો, અને બાળ૫ થીજ પૂતના, કંસ, જરાસંધ, બકાસુર આદિ રાક્ષસોનો સંહાર કરવા માંડ્યા હતા અને શિશુપાળને વધ કર્યો હતો. ત્યારબાદ ધર્મપ્રિય પાંડવોની રક્ષાર્થે કુરુક્ષેત્રમાં અતુલ યુદ્ધ કૌરવ સૈન્ય સામે છે હ્યું હતું. અને તે સમયે જ્યારે અર્જુનને મેહ થયો ત્યારે તેમણે ગીતાનું જ્ઞાન તેને આયું હતું. તે વખતે તેમણે કહ્યું હતું કે – यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतास् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे॥ - અમે અત્યારે હડહડતા કળિયુગમાં જ્યારે સમસ્ત હિંદમાં ખેછાને હાહાકાર વર્તાઈ રહ્યો છે ત્યારે તેમના આગમનની રાહ જોતાં તેમના પ્રથમના શબ્દ ઉપર વિશ્વાસ રાખીને બેઠા મારું શરીર ઈસાઈ અને ઇસ્લામી મતના અનુયાયીઓથી ખવાઈ ગયું છે. હું મરણપ્રાપ્ત સ્થિતિએ છું, છતાં પિતાના નો ભંગ કરી એટલે વિશ્વાસઘાત કરીને એ કહેવાતા ભકતવત્સલ શ્રીકૃષ્ણચંદ્ર મારી વહારે આવતા નથી. એટલે ભારતવર્ષમાં અવતાર ધારણ કરી મારી રક્ષા ન આવી સાધુ પુરુષોના રક્ષણ કરવાની ફરજમાંથી તેઓ છટકી જવા યત્ન કરે છે. મારી આપ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy