SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ પણ કામ પણ . આ દ્રો અને તહેવારે તંદુરસ્તી અને આત્મિક શક્તિ માટે છે, રપપ કર્મ કરવામાં આવે છે. દેવગે પૂર્ણિમાને દિવસે ચંદ્રગ્રહણ કે સંક્રાંતિ હોય છે તે ઉપાકર્મ, રક્ષાબંધન વગેરે શ્રાવણ સુદ ૫ ને રોજ કરવામાં આવે છે. ઉપાકર્મ સાથે રક્ષાબંધન સંકળાયેલીજ છે, એમ ગૃહ્યસૂત્ર કહે છે. શ્રાવણીને દિવસે ઉપકર્મ કર્યા પછી આચાર્યોને ત્યાં વેદાધ્યયન થતું જે પ. પૂર્ણિમાએ સમાપ્ત થતું. ઉપાકમમાં પંચગવ્યો (ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણ) એટલા માટે વપરાય છે કે તેથી આંતરિક અને બાહ્યશુદ્ધિ થાય છે. ગાય જંગલમાં ચરીને અનેક વ ાસ્પતિ ખાય છે અને તેમાંથી છીણ બને છે. માટે છાણ(ગોબર)ને પવિત્ર ગયું છે. દર્ભના સપ્તર્ષિમાં કશ્યપ, ભરદ્વાજ, ગૌતમ, અગ્નિ, યમદગ્નિ, અરૂંધતી સાથે વસિષ્ઠ અને વિશ્વામિત્ર, એમ સાત ઋષિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. શ્રાવણમાં વર્ષાઋતુની પ્રબળતાથી દૂર્વા, અધેડા (અપામાર્ગ અને બીજી દૈવી વનસ્પતિઓ પુષ્કળ થાય છે. દૂર્વા અમૃત છે, અપામાર્ગ અને કુશા (દાભડો) અનેક રોગો તથા પાપોનો નાશ કરે છે. આ પાપનાશક વસ્તુઓ છે. માર્જ ન કરવાથી સ્વરછતા. શીતળતા અને પ્રબળતા પ્રાપ્ત થાય છે. પંચગવ્યથી વાત, પિત્ત અને કફના રેગે, રક્તદોષ, ભ્રમ, શ્રમ, વિષજવર, અર્શ, સંગ્રહણી, ગુ૯મ, પાંડુ, શૂળ, ખુજલી, શ્વાસ, આમજવર, અજીર્ણ, સજા, મૂખ અને નેત્રરોગ, અપસ્માર વગેરે મટે છે; દેહશુદ્ધિ થાય છેનેત્રનું તેજ વધે છે; બુદ્ધિ તેજ થાય છે; ભૂતબધાનું નિવારણ થાય છે; આયુષ્ય વધે છે; મંગળરૂ૫, હાઈ હૃદય હિતકારી થાય છે અને અમૃતસમાન ગુણ કરે છે. માટી અને ભસ્મથી ચામડી સાફ થઇ કુષ્ઠરોગ મટે છે. દાહ, દુધ, વાતાદિ રોગ નાશ પામે છે. આ બધી વાતો પાશ્ચાત્ય રંગે રંગાયેલા આપણા દાક્તર સાહેબેને ગળે નહિ ઉતરે, પણ આજ બાબત અમેરિકા અથવા યૂરોપમાંથી જાહેર થાય તે ડૉક્ટર સાહેબ કહેશે કે, નવી શોધ બહાર પડી છે ! છાણમાં જંતુઓ નાશ કરનારું તત્ત્વ છે એમ અમેરિકાના સુપ્રસિદ્ધ વિદ્વાન વિજ્ઞાનશિરોમણિ ડો. અબ્રાહમ લિંકને જાહેર કર્યું છે. વર્ષાઋતુમાં પિત્ત સંચય થાય છે તે આ ક્રિયાથી નાશ પામે છે. આ તો ઉપાકર્મનું વૈદ્યક વિજ્ઞાન થયું, પણ તેનું તાત્ત્વિક વિજ્ઞાન તો ઘણું છે. રક્ષાબંધન ઉપકમ થઈ રહ્યા પછી બપોર પછી થવું જોઇએ. સરસવ, ચોખા અને સુવર્ણની એક પોટલી બનાવી તેને રેશમી દેરે બાંધી પૂર્વદિશા તરફ ઉભા રહી મંત્રવડે હાથે બંધાવવી. બલિરાજાને રક્ષા બાંધવાથી તે મહાબળવાન અને દાનવીર થયા હતા. પ્રાચીનકાળમાં રાજાએ રાખડી બંધાવી રણસંગ્રામમાં સીધાવતા હતા અને વિજય મેળવતા હતા. ભારતીય રાંગનાઓ વિધમઓના આક્રમણ વખતે ધર્મદષ્ટિએ રાખડી બાંધી અત્યાચારીને ભાઇ બનાવી દેતી અને એ પ્રમાણે પોતાનું પતિવ્રત પાળી લેતી હતી. વ્રતો અને તહેવારનાં માતા બતાવનારાં અનેક પુસ્તકો બહાર પડ્યાં છે, એટલે આ ઠેકાણે તે બધાંનું વર્ણન અશક્ય છે, પણ મુખ્ય તહેવાર નમુનારૂપે અત્રે લખ્યો છે. જૈન ધર્મના પર્યુષણ પર્વ પણ શ્રાવણ માસમાં આવે છે. મુસલમાનોના પેગંબરની જન્મતિથિ અને પારસીએના કેટલાક તહેવારે પણ શ્રાવણમાસમાં આવે છે. હિંદુએ શ્રાવણ માસને પવિત્ર માસ ગણી એક વખત જમે છે. સ્ત્રીઓ ગાયોની પૂજા કરે છે. શ્રાવણના મેળાઓનું રહસ્ય પણ ઘણું ઊંડું છે. સુધરેલા દ તાવરણે જોઈ અને શિખા (ચોટલી) કઢાવી નાખી નેકટાઈ અને બાબરી દાખલ કરી છે, જે બ્રાહ્મણો સુધી પણ પહોંચી છે. “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ હિસાબે હવે બધું “હા રાખે' જેવું ચાલે છે. જતવાદના આ જમાનામાં હેટેલ, થીએટર, રેવે ટ્રને અને ધર્મશાળાઓ જંતુઓ ફેલાવે છે. જમતી વખતે નહાવાનું તો દૂર રહ્યું, પણ બહારના સંસર્ગવાળાં કપડાં બદલવાનું અને હાથ, પગ અને માં જે સૌથી વધારે અસ્વસ્થ હોય છે તે પણ ધોવાનું આળસ કહે કે ફેશન કહે તેણે ઘર ઘાલ્યું છે, પરિણામે દર્દી અને અકાળ મરણ વચ્ચે જાય છે. (કટોબર-૧૯૨૯ના વૈદ્યકલ્પતરુ'માં લખનાર “જે”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy