SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ८३ - शेरभर सुधारा साथे पेसी गयेलो सवामण बिगाडो ! પહેલાંના સમયમાં ભારતવર્ષનાં સ્ત્રીપુરુષાને વાળ ધાવા અથવા શરીરને સ્વચ્છ કરવા માટે સાબુની જરૂર નહાતી પડતી. ધનવાનની સ્ત્રીએ વેસણુ, સુગધી, ચારેાળી અને સરસવ વગેરેનુ મિશ્રણ ખનાવતી અને ગરીબેાની સ્ત્રીએ અરીઠાં અને દહી'થીજ માથાના વાળ ધોતી હતી. જ્યારે આપણા દેશમાં પહેલવહેલા સાબુ આવ્યા તે વખતે ચરબીને લીધે લેાકેા તેને અડકતા પણ નહિ. ઘણાખરા લેાકેા સૂર્યોદય પહેલાં પ્રાતઃસ્નાન કરતા હતા. કાર્તિક અને મહા મહિનામાં બધાજ લેાકેા નિયમપૂર્ણાંક પ્રાતઃસ્નાન કરતા હતા અને સાથે સાથે રાજ કાઇ દેવતાના સ્તંત્રને પાઠ યા ધર્મગ્રંથો સ્વાધ્યાય કરતા હતા. વળી ભેાજનમાંથી કાઇપણ એક પદાર્થના ત્યાગ પણ કરતા હતા. એકાદશીનું વ્રત કરી દ્વાદશીને દિવસે એકટાણુ કરી બ્રાહ્મણભેાજનની પદ્ધતિ હતી. બ્રાહ્મણેાને દ્વાદશીને દિવસે એટલાં બધાં નિમંત્રણ આવતાં કે એક નિયંત્રણને સ્વીકાર કરી ખીજા એ ત્રણ માણસાને ના પાડી નારાજ કરવાં પડતાં હતાં. પહેલાંના સમયમાં ગૃહસ્થાનાં ધરામાં કનિષ્ઠ અને ધર્મપરાયણ વિધવાએ હતી. પ્રત્યેક ઘરમાં દાદી, માતા, કાકી, મામી, માસી, ફાઇ, બહેન કે ભાભીમાંથી કાઇ ને કાઈ હાયજ વખતની સૌભાગ્યવતી સ્ત્રીએ તેમના પતિ અને તે વિધવાએની આજ્ઞા પાળતી હતી. તેએ ધરની વૃદ્ધ વિધવાઆના ભયથી સ્વેચ્છાનુસાર કાઇ પણ કામ કરતી ન હતી. બહાર પિતા, મેાટાભાઇ વગેરેનું રાજ્ય ચાલતું તે। ઘરમાં વિધવા દાદી, કાકી, વગેરેનું ચલણ હતું. આજકાલની પેઠે વિધવાએ રસેઇ બનાવવાનું કામ નહેાતી કરતી, પરંતુ તેમની આજ્ઞા પ્રમાણે તે સમયની વહુએ રાતિદવસ ગૃહકા કર્યાં કરતી હતી. તે સમયની વિધવાએ પ્રાતઃસ્નાન કર્યાં પછી રેશમી અથવા ઉનનાં સફેદ વસ્ત્ર પહેરી ભગવાનના સિંહાસન પાસે બેસીને જપતપ વગેરે કરતાં કરતાં પેાતાના સમયના ઘણા ખરા ભાગ ભગવાનની ઉપાસનામાં ગાળતી. તેમનાં મુખ અને શરીરમાંથી એક પ્રકારની જ્યોતિ નીકળતી હતી. તેમને શ્વેતાંજ પાખંડી પુરુષના પણ મનમાં ભય અને ભક્તિની લહેરા ઉઠવા લાગતી હતી. તે સમયમાં પ્રત્યેક હિંદુ ધરમાં બાર મહિના ને તેર તહેવાર આવ્યા કરતા હતા. કાઇપણુ મહિના પૂર્વજોના શ્રાદ્ધવિના ખાલી જતા નહિ. માતા, પિતા, દાદી-દાદાનાં શ્રાદ્ધ સૌ કાઇ કરતા હતા. એ સિવાય વિધવાએાનાં ત્રાદ્યાપન ચાલુજ રહેતાં હતાં. ઘણાં ખરાં ધરામાં વિધવાઓની ઇચ્છાથી પ્રતિદિન પ્રાતઃકાળને સમયે ચેાગ્ય કથા કહેનારાઓ દ્વારા મહાભારત, રામાયણાદિનાં પારાયણા થયા કરતાં હતાં. મહેાલ્લાના બધા લેાકેા તે સાંભળતા હતા તેથી સ્ત્રીપુરુષ અને બાળકખાલિકાઓને પણ ધ, ક, આચાર, નીતિ શીખવાની સગવડ થતી હતી. કયી તિથિએ જમવુ અને શું કામ કરવું તથા શુ' નહિ કરવુ જોઇએ, એ બાબત તે સમયની સ્ત્રીએ અને બાળકે સુદ્ધાં જાણતાં હતાં. તે સમયની સ્ત્રીએ લખવાવાંચવાનું નહોતી જાણતી, છતાં પણ કર્તવ્ય-અકત બ્યના વિવેક જાણતી હતી. તે સમયની વિધવાઓને મંત્ર આપવાનુ સાહસ પ્રત્યેક બ્રાહ્મણ કરી શકતા નહે. પહેલાંના સમયનાં બાળકા માત્ર કથાના કે મદિરાના પ્રસાદ લેવા માટેજ મ ગ રાખતાં ન હતાં, પરંતુ પૂજાને સમય અને સંધ્યા-આરતીના સમય થતાંજ બગીચાએ માંથી ફૂલ લાવીને આપતાં હતાં, ભગવાનના મંદિરમાં દીવા પ્રગટાવતાં હતાં અને પૂજારીને શ ંખ વાગતાંજ ઘટ, ડિયાળ વગાડવા લાગતાં હતાં. પ્રાતઃકાળમાં સ્નાન કર્યાંસિવાય અને ભગવાનનું ચરણામૃત લીધા સિવાય ભાજન કરવા પામતાં નહિ, જેમને જતાઇ ન હેાય તેએ પણ પ્રાતઃકાળમાં સ્નાન કરીને સૂર્યને જળ ચઢાવવાના નિયમ રાખતાં હતાં, પેાતાનાં માતાપિતાનાં ધર્માચરણ તેને તેમનાં હૃદયમાં પણ ભક્તિનાં મેાજા' ઉઠતાં હતાં અને ધમ ભક્તિની અસરે। પડતી હતી. તે ભક્તિનાં ખીજમાંથી ગુપ્તપણે અંકુર ફૂટીને ક્રમે ક્રમે મેટું વૃક્ષ ઉત્પન્ન થતુ હતું કે જે અર્વાચીન સ્કૂલલેજોના શિક્ષણથી બની શકતું નથી અને એ જામેલુ' વૃક્ષ સ્કૂલેાના ભણતરથી ઉખડી પણ શકતું નહિ. એવુ શિક્ષણુ પામેલા સુપુત્રેાથી માતાપિતા સદા સુખ પામતાં હતાં અને કુટુંબની સનાતન મર્યાદા અચળ રહેતી. સાર એ છે કે, માતાપિતાના આચારવિચાર જોઈનેજ બાળકાનાં જીવન ઘડાય છે. ૨૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy