SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહા નવલકથાઓ, માસિકા તથા વર્તમાનપત્રા કે જેમાં પુરુષા કરતાં શૃંગારમય સ્ત્રીઓનાં ચિત્રા તથા વાતા વધારે છે તેના ત્યાગ કરવા જોઇએ. (૨) સ્પવિષય-ચેાખ્ખી સ્વચ્છ હવાવાળા અને કાણુ જમીનપર આસન પાથરી તેના પર સૂવાનું રાખવું; અને અતિ કામળ તથા નાજુક બિછાનાં, વસ્ત્ર, એશિકાં અને પલંગાના ત્યાગ કરવે. આ વિષય ઉપર અમેરિકન ડૅાકટર મી. સ્ટેાલનાં પુસ્તકા લખાયાં છે. સંસ્કૃતમાં તે અનેક પુસ્તકા છેજ, સિંહ પોતે પણ પેાતાના સૂવાનું સ્થાન આવું પસંદ કરે છે. તેના રહેઠાણુમાં સ્વચ્છ સુંદર હવા હોય છે. મચ્છર, ચાંચડ, ગંદકી તથા અધારૂં બિલકુલ હાતુ નથી. ટુકામાં તે ગુફામાં સૂતા નથી. (૩) રૂપના સચમ-સૃષ્ટિનું. કુદરતી સાંય જોવાથી પ્રભુની અદ્ભુત કારીગરીના આપણુને ખ્યાલ આવે છે; પરંતુ વીને નાશ થાય એવા પ્રકારના રૂપમાં મન ચાંટાડવુ નહિ. આને માટે મનને હમેશાં સારા વિષયેામાં રાકી રાખવું. ૐકારના જપ અને સૃષ્ટિસૌંદર્યાંનું નિરીક્ષણુ આ બે વસ્તુ ઘણીજ સરસ છે. (૪) રવિષય-સૌ કાઇએ મશાલા, મરચાં અને ગરમ વસાણાના ત્યાગ કરવા. ચરબીવાળા અને ભારે ખારાક, ભારે મિષ્ટાન્ન, મિઠાઇ અને તળેલા પદાર્થો ખાવા છેડી દેવા. આવા પદાર્થો ખાનાર ભલે બ્રહ્મચર્યંની વાત કરે, પણ તેનું જીવન જો ઉંડાણમાં તપાસવામાં આવશે તે જરૂર તેને દભ બહાર પડશે. માટે સાવ સાદી દાળ, રાટી, દૂધ, ચેાખા, ઘી, સાદી શાકભાજી તથા ખાટાં લીંબુ, પાકાં ટમેટાં, તાંદળજો, મેથીની ભાજી, દુધી, સુરણનુ શાક, નારંગી, સંત્રાં વગેરે ચીજો સાત્ત્વિક વૃત્તિથી ખાવી જોઇએ. આ પ્રમાણે કરવાથી જીવનના ગુલામ થતા અટકાશે. (૫) ગધ-ગંધની બાબતમાં આપણા રહેવાના સ્થાનકની પાસે થેડાં સુગંધી પુષ્પાના છેડ વાવવા, અને સ્વામી રામકૃષ્ણના મત પ્રમાણે તે ફૂલેને ચુંટવા સિવાય તમામ ફૂલા પ્રભુનેજ અણુ થયેલાં છે એમ માની કુદરતી રીતે એની સુગંધી આવે તેને સ્વીકાર કરવા. તે સિવાય તમામ સેન્ટ વગેરેની સુગ'ધીને ત્યાગ કરવા. આ પ્રમાણે પાંચે ઇંદ્રિયાની ગુલામીથી બચવાની જરૂર છે. હાથ અને પગને સત્કાર્યમાં ફેકવા. મેઢાનું કામ પણ એવું હેાવું જોઇએ કે જેથી કાને નુકસાન ન થાય. ગુહ્ય સ્થાને ને મળમૂત્રશુદ્ઘિારા સાફસુફ રાખવાં જોઇએ. ર–સાધારણ રીતે એવા નિયમ છે કે, જેમ યુવાની મેડી આવે એટલે કે બાળપણુનાં વર્ષાં જેમ વધારે તેમ આયુષ્ય પણ વધારે. ગામડાની અંદર જ્યાં મરીમશાલા વગેરે ખાવામાં આવતે નથી અને છે।કરાંઓ જે ધરમાં ધાર્મિક વાતાવરણની અંદર ઉછરે છે ત્યાં સ્ત્રીને સેાળમે વર્ષે યુવાવસ્થા દેખાય છે અને પુરુષને વીસમે વર્ષે દેખાય છે; અને સાધારણ રીતે ખાળપણનાં વર્ષાંતે પાંચે ગુણીએ તેટલાં વર્ષોંનું આયુષ્ય કલ્પી શકાય. આ પ્રમાણે હિંદુસ્તાનના અસલના વખતમાં સાધારણ આયુષ્ય ૧૦ થી ૧૨૦ વર્ષ સુધી હતું. ભગવાન શ્રીકૃષ્ણે ૧૨૦ વર્ષે પેાતાના દેહ છેાડયા. પાંડવ-કૌરવના યુદ્ધ વખતે તેમની ઉંમર ૮૪ વર્ષીની હતી અને તેમનામાં આખા રથને એક હાથથી ઉંચા કરવાની તાકાત હતી. હાલ પણ કોઇ કોઇ જગાએ યુવાનીમાં આવી તાકાત જોવામાં આવે છે, પણ ૮૪ વર્ષ આવી તાકાત જળવાઈ રહી હેાય તેવું દુનિયાના કાઇ પણ ભાગમાં જોવામાં આવ્યું નથી. હાલ હિંદુસ્તાનમાં બાળપણનાં વર્ષોં ધટતાં જાય છે, યુવાવસ્થા વહેલી પ્રકટ થતી જોવામાં આવે છે અને તેથીજ જુવાનીમાં પણ અનેક રાગેાવાળું ઘડપણ પ્રવેશ કરતું અનુભવીએ છીએ. અંગ્રેજીમાં કહેવત છે કે, વહેલા પરણેા તેા વહેલા મરે. જે ઝાડને વહેલાં ફળ આવે છે તે ઝાડનું આયુષ્ય પણુ ઓછુ છે. રાયણ, વડ વગેરેનું જીવન તપાસા. ઉંદરનું જીવન અને તેનું મરણ પણ હિંદુસ્તાનમાં બાળવિવાહનાં કેવાં ફળ થાય છે તેની ઉત્તમ સાક્ષી પૂરે છે. બાળલગ્નથી હિંદુ“સ્તાનમાં સિંહ પુરુષાની એછી આશા રાખી શકાય. ઉંદરડા તેા અનેક થઈ શકે. હવે આપણે અસલના વખતમાં બ્રહ્મચારીઓ કેવી રીતે રહેતા તે તપાસીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy