SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આ તે કારખાનાં કે કસાઈખાનાં? ૧૩. * / w wwwwww wwwwwwww w * * * હમણાં થોડા સમય ઉપરજ સ્ટેટ કાઉન્સિલમાં ભારતીય મેડિકલ સર્વિસના મુખ્ય મેજર જનરલ સાઇમન્સે આ ઘીનો વિરોધ કરતાં કહ્યું હતું કે “આ વરતુનું નામ “ધી” રાખવું જ એગ્ય નથી. એ જમાવેલું તેલ છે અને તેલને ઘી તરીકે ગણવું બીલકુલ યોગ્ય નથી. એમાં ઘીનાં પૌષ્ટિક તત્તવોનું તો નામનિશાન પણ નથી.” આ ઘી તંદુરસ્તીને માટે લાભદાયક છે કે નહિ, આ દેશમાં પણ તે તૈયાર કરી શકાય કે નહિ અને તેને ઘી” કહેવાય કે નહિ વગેરે બાબતો ઉપર સ્ટેટ કાઉન્સિલમાં ચર્ચા ચાલી હતી. આ ઘી આરોગ્યને માટે લાભદાયક છે કે નહિ એ વિષે અમે વિશેષ નહિ લખીએ. જ્યારે એમાં ઘીનાં પૌષ્ટિક તોજ નથી તો પછી એ ઘીના ફાયદા શી રીતે પહોંચાડી શકે ? અનુભવી ડોકટરોનો અભિપ્રાય છે કે, એથી તે નુકસાન જ વિશેષ થાય. બાળકને તો તે કદી પણ આપવું જોઈએ નહિ. એથી તેઓની વૃદ્ધિજ અટકી જાય છે. વળી એના સેવનથી ગળું અને દાંતનાં દરદો થાય છે તથા ફેફસાં નબળાં પડી જાય છે. જ્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિએ ખરા ઘીનાં તો એ બનાવટી ઘીમાં છે એવું સાબીત ન કરી શકાય ત્યાંસુધી કાયદો કરીને પણ તેનું વેચાણ બંધ કરવું જોઈએ. જનતા અને વેપારીઓને સ્વાર્થ એક નજ હોઈ શંકે. વેપારીઓના સ્વાર્થને ખાતર સામાન્ય જનતાના અરોગ્ય ઉપર છરી ફરવા દેવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. જ્યાં સામાન્ય જનતાના સ્વાધ્યનો સવાલ હોય ત્યાં વેપારીઓના સ્વાર્થનું બલિદાન આપવું એજ ન્યાય છે. સરકારે આવાં બનાવટી ઘીની આવક અને વેચાણ રોકવા માટે કાયદા બનાવવા જોઈએ. આ બાબતને ખાસ પ્રયત્ન થવો જોઈએ અને સરકારને કાયદો કરવાની ફરજ પાડવી જોઈએ. એછામાં એટલું તે થવું જ જોઈએ કે, વનસ્પતિ ઘીની જાહેરાતોમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે આ વનસ્પતિ-પદાર્થ ઘીથી જૂદા જ પ્રકારનો છે અને તેમાં ઘીનાં પૌષ્ટિક તને સદંતર અભાવ છે, કે જેથી ખરીદનારાઓને છેતરાવાને સંભવ ન રહે. ઇંગ્લેંડ વગેરે દેશમાં આવા કાયદા બન્યા છે. જે ખાવાના પદાર્થો જનતાના આરોગ્યને અનુકુળ નથી હોતા તેનું વેચાણ બંધ કરવામાં આવે છે અને કયાંક દેખાય છે તેનો નાશ કરવામાં આવે છે. ભારત સરકાર આ બાબતમાં બહુ બેદરકાર અને આળસુ છે, પણ આપણે આપણે પ્રયત્ન નહિ છેડો જોઈએ. પ્રત્યેક મ્યુનિસિપાલિટી અને જીલ્લા બોર્ડોએ પણ આ ઘીના વેપારને ઓછામાં એ પિતાની હદમાંથી તે દેશનિકાલ કરજ જોઈએ. (“સરસ્વતી' ના એક અંકમાં થી શ્રીનાથ સિંહના લેખનો અનુવાદ) ७३-आ ते कारखानां के कसाइखानां ? ઇંગ્લાંડની નદીઓનાં પાણી ઝેરી થતાં જાય છે. નદીઓનાં પાણી ચોખ્ખાં રાખવાની લડત ચલાવનારી એક સોસાઇટી ઈગ્લાંડમાં સ્થપાઈ છે અને એ સંસ્થા કહે છે કે, આજે ઈંગ્લાંડની નદીઓનાં પાણી પીવાં જોખમભરેલાં થયાં છે, ગાયના દૂધ ઉપર એ પાણીની ખરાબ અસર થવા લાગી છે, નદીઓની ખીણોમાં ઉગતો ઘાસચારો નાશ પામી પાણીમાં નહાવાનું અને તરવાનું પણ જોખમભર્યું બન્યું છે, નદીકાંઠાનાં વૃક્ષો સૂકાઈ જવા લાગ્યાં છે, પંખી એ નદીકાંઠાને હવે તજી દેવા લાગ્યાં છે અને નદીઓનાં પાણી એવાં ઝેરી થયાં છે કે તેમાં નહાવાથી આંખ અને નાક ઉપર ખરાબ અસર થાય છે ! નદીનાં પાણી ઝેરી થવાનું કારણ એ છે કે, ઇગ્લાંડમાં નદીના કાંઠા પર જાદા જાદા ઉદ્યોગનાં કારખાનાં છે અને એ કારખાનાંઓનો મેળો પાણી તથા કચરે નદીઓમાં વહાવી દેવામાં આવે છે ! અમદાવાદની કલીકે મીલનું ગંદુ પાણી અને અમદાવાદની ગટરોનું ગંદુ પાણી સાબરમતી નદીમાં જવા દેવામાં આવે છે તેનું શું ? (આગળ મળમૂત્રાદિ જમીનમાં ખાતરરૂપે ભળતાં, તે પાશ્ચાત્ય સુધારાના આંધળા અનુકરણના પ્રતાપે હવે ગંગા યમુનાદિ મહાપવિત્ર જળવાળી નદીઓમાં તેના કિનારે આવેલી સુધારક મ્યુનિસિપાલિટીઓ ગટરધારા પધરાવીને એ નદીનું પાણી પીનારા કરોડો મનુષ્યોની સેવા ઉપજાવે છે કે હાનિ ઉપજાવે છે? વિદેશી શિક્ષણે વરાવેલી કુબુદ્ધિ સુધારાને નામે કુધારા ન વર્તાવે તે શું કરે ! ખરાબ ભિક્ષુ-અખંડાનંદ) શુ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy