SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તમાકુ અને તેની ઝેરી અસર ૧૫૧ માઢામાંથી દુર્ગંધ નીકળે છે અને દાંતમાં મેલ ભરાઈને જલદી પડી જાય છે. ૮–ફેફસાં(બ્રોન્શિયલ સરફેસ)ના કામમાં અડચણુ થાય છે, ઉત્તેજના થાય છે અને કર્ફે વધે છે. નિકાટાઇનથી લેહીનાં રજકણાને જે નુકસાન પહેાંચે છે તે સૂક્ષ્મદર્શીક યંત્રથી કાઇ પણ તંબાકુના અંધાણીના લેાહીમાં જોઇ શકાય છે. આ વિષે ડા॰ રિચર્ડસન કહે છે કેઃ– “તંબાકુના’ ઉપયોગ કરનારાઓની બહારની ચામડી ધણે ભાગે ફિક્કી અને સૂજેલી દેખાય છે. સૂક્ષ્મદર્શક ય ંત્રથી જોવામાં આવ્યું છે કે, તંબાકુનું સેવન કરનારાઓના રક્તકણાનેા ગેાળી જેવા આકાર નાશ પામ્યા હેાય છે અને તે ચપટા થઇ ગયા હોય છે. વળી તેને માથાં ઉપસી આવેલાં હાય છે અને તેઓ પરસ્પર ચાંટી રહેવાને બદલે અલગ અલગ થઇ ગયાં હેાય છે. તંબાકુનું ઝેર શ્વાસ ઉપર પણ અસર કરે છે, તે પાચનશક્તિ બગાડે છે, સ્વાદ અને પ્રાણશક્તિને ક્ષીણુ કરે છે, લેાહીને બગાડે છે, મગજમાં વિકાર ઉત્પન્ન કરે છે, હૃદયની નાડીઓને ઉત્તેજિત કરે છે, જ્ઞાનતંતુઓને બરબાદ કરી નાખે છે, યકૃતની હીલચાલમાં અટકાવ નાખે છે, દૃષ્ટિને નિ કરે છે અને પ્રત્યેક માંસતંતુ અને ઇંદ્રિયને નુકસાન કરે છે. • ટુકામાં કહીએ તે તમાકુનુ સેવન કરવુ... એટલે જીવનāાતિના ક્ષય કરવા, જ્ઞાનશક્તિના નાશ કરવા, આયુષ્ય આછું ફરવુ અને શરીના અંત લાવવા,” એજ ડાકટર સાહેબના શબ્દામાં કહીશું કે સ્ત્રીપુરુષાના મેટા ભાગને ખાળપણથીજ તંબાકુના ખૂબ પ્રેમી બનાવેા, પછી તેજ સ્ત્રીપુરુષાને પરણાવે! અને પછી જુએ કે તેમનાદ્વારા દેવાં અયેાગ્ય સતાના ઉત્પન્ન થાય છે.” હવે અમે તબાકુથી થતાં નુકસાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરીએ છીએ:— ત’બાકુ પીવાથી ગળામાં જખમ થાય છે—તમાકુના ઝેરી ગરમ ધૂમાડાથી માં અને ગળાની ઝલ્લી આંતર્ભોગની કામળ ત્વચા)માં ખરબચડાપણું અને નીરસતા પેદા થાય છે. તબાકુ પીનારા કહે છે કે, તેથી ગળું સાફ થાય છે. જો ગળામાં કઇ જખમ થયા હોય તે તંબાકુથી થોડાક સમય માટે તે ઠીક થઇ જાય છે; પરંતુ ગળાના મૂળ જખમમાં આરામ થતા નથી. ઉલટા તે તે। મેટા થાય છે. તમાકુ અને ક્ષય—બગડેલી હવામાં શ્વાસ લેવાથી ફેફસાંને રાગ તથા ક્ષયરેગ થાય છે. તબકુના ઝેરી ધૂમાડા લેાહી તથા ફેફસાંમાં દાખલ થઇને ક્ષયરાગ પેદા કરે છે, વિલાયતનાં મેટ્રોપેલિટન ક્રી હાસ્પિટલના મુખ્ય ડૉક્ટર આના સમનમાં ‘પબ્લિક હેલ્થ' નામના પત્રમાં લખે છે કે ચવકાને ક્ષયરોગ ધણેભાગે તંબાકુ પીવાથીજ થાય છે.” હૃદયનાં દરાનુ તમાકુ એ એક કારણ છે—નાડીથી હૃદયની સ્થિતિનેા ખ્યાલ આવે છે. તંબાકુ પીનારાઓની નાડી ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, તેમનુ હૃદય નબળું પડી ગયું છે, તેની ગતિમાં રાગ પડે છે-અર્થાત્ હૃદય પણ તંબાકુની ખરાબ અસરથી બચવા પામ્યું નથી. તંબાકુના સેવનથીજ ધણ ભાગે હૃદય ધડકવાના રેગ (હૅલ્કેપ વગેરે) થાય છે. તમાકું અને અજીર્ણ —ધણા લેાકેા માને છે કે, તાકુથી પેટના રોગ દૂર થાય છે. પર ંતુ વાસ્તવિક રીતે તે તેનાથીજ ઘણે ભાગે અજીણના રાગ લાગુ પડે છે. તંબાકુના ઉપયેાગથી આમાશયની ક્રિયા શિથિલ થઈ જાય છે અને તે નિળ બની જાય છે. તંબાકુના સેવનથી ભૂખ મરી જાય છે; જો કે શરીરને ભેાજનની જરૂર રહે છે, પરંતુ તંબાકુના નિશ્ચેતન પ્રભાવથી ભૂખ મરી જાય છે. આથી પાચનશક્તિ બગડી જાય છે અને અજીણુ ધર ધાલીને મેસે છે. કેન્સર્ રાગનું કારણ પણ તમાકુ છે—તંબાકુથી ઘણે ભાગે કેન્સર રોગ થાય છે. તે ખાધા-પીધાથી ગાલ, હાઠ અને જીભમાં કૅન્સર રાગ થાય છે. કેન્સર એ એક અસાધ્ય રાગ છે. ભારતવ માં ઘણું કરીને આ રાગ તંબાકુ ખાવાથી અને વિલાયતમાં ચૂંગી(ક્લે પાઇપ)વડે તબાકુ પીવાથી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy