SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શુભસ’ગ્રહ-ભાગ પાંચમા ३७ - संस्कारविधिमा रहेला उत्तम लाभो क्षेत्रभूता स्मृता नारी बीजभूतः स्मृतः पुमान् । क्षेत्रबीजसमायोगात् संभवः सर्वदेहिनाम् ॥ અર્થાત્—સ્ત્રી ક્ષેત્રરૂપ ને પુરુષ બીજરૂપ છે. ક્ષેત્ર અને ખીજના સયેાગે સર્વ પ્રાણીએની ઉત્પત્તિ થાય છે. મનુષ્યનું શરીર, વાણી અને મન શુદ્ધ થવા માટે શાસ્ત્રકારોએ સેાળ સરકાર નક્કી કર્યો છે; કેમકે મેલા કાચમાં જેવી રીતે શરીર સ્વચ્છ દેખાતું નથી, તેમ સસ્કારરહિત અંતઃકરણમાં આત્મજ્ઞાનનું દર્શન તથા અનુભવ થઇ શકતાં નથી. સંસ્કારના અભાવે વમાન સમયમાં વિદ્યા, વી તથા દ્રવ્યના સબંધમાં આપણી સ્થિતિ કેવી નિસ્તેજ અને નિર્માણ્ય થતી જાય છે, તે પ્રત્યક્ષ છે. માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શત્રુ, એ ચાર વર્ણમાં પહેલાં ત્રણ જે ‘દ્વિજ' કહેવાય છે; તેમણે ગર્ભાધાનથી લઈ અંત્યેષ્ટિ સુધીના સ` સ`સ્કાર કરવા, એવી શાસ્ત્રાજ્ઞા છે. વળી આ વિષય સ્રીતિ માટે હાવાથી સ` દંપતીને અનુકૂળ એવુ કષ્ટક વિવેચન અત્રે કરીશ. કયા સંસ્કાર ક્યારે કરવા? (૧) ઋતુકાલમાં ગર્ભાધાન સત્કાર કરવા, (૨) ગર્ભ ક્રૂરમ્યા પહેલાં પુંસવન સંસ્કાર કરવા, (૩) છઠ્ઠું અથવા આઠમે માસે સીમત સંસ્કાર કરવા, (૪) જન્મ્યા પછી જાતક સંસ્કાર કરવા, (૫) અગિયારમે માસે નામકરણ સંસ્કાર કરવા, () ચેાથે માસે નિષ્ક્રમણ સંસ્કાર કરવા, (૭) અે માસે અન્નપ્રાશન સંસ્કાર કરવા અને (૮) કુલાચાર પ્રમાણે ચૌલ સ`સ્કાર કરવા. મનેાખળ ઉપરજ સરકારનેા આધાર હેાવાથી દરેક કામના આર્ભમાં સારા સંકલ્પ કરવાની ટેવ રાખવી. આપણામાં એ ઉપર એક કહેવત પણ છે કે “ભાવના તેવી સિદ્ધિ !” માટે ઉચ્ચ ભાવના અને વિચાર પણ ઉચ્ચ રાખવા. મુખ્ય સસ્કાર અને તેનુ રહસ્ય સીમંતસંરકાર વખતે વર તરફથી ખેાલાતા મત્રતા એવા અ` છે કેઃ-હું સીમાંતિનિ ! હુ તને ત્રણે લેાકનુ સુખ પ્રાપ્ત કરાવું છું; ખળવાન વૃક્ષની ફળવાળી શાખાની પેઠે તું પુત્રવતી થા.” આ પ્રસંગે સ્ત્રીની પાસે જે ઔષધિઓ તથા પાંચ વસ્તુઓ મૂકવામાં આવે છે, તેમાં (૧) કૃષિ (ખેતી), (૨) ક`કાંડ, (૩) લેખનવિદ્યા, (૪) ક્ષત્રીધર્મ અને (૫) હુન્નર-ઉદ્યોગ સૂચવે છે. વળી ગાનતાનથી ગર્ભિણીનું મન પ્રક્ષિત કરવા કહ્યું છે; કેમકે પાંચ માસ પછી જેવા સરકાર ગર્ભિણી ઉપર પાડવામાં આવે, તેવાજ સંસ્કાર ગભ (ભાવિ પ્રજા) ઉપર પડે છે; માટે સારી સંતતિની ઇચ્છાવાળાં સ્ત્રી-પુરુષે આ વિષયમાં પ્રથમથીજ ધ્યાન આપવું જોઇએ. જ્ઞાતજ્ઞર્મ-આ સંસ્કારપ્રસ`ગે કરવામાં આવતી પ્રાનાના અથ એવા છે કે “જેવી રીતે વાયુ અને સમુદ્ર ચલાયમાન થાય છે, તેવી રીતે આ દશ માસને ગર્ભ, પ્રસવ થવા માટે પડદા સાથે ચલાયમાન થાએ.. જેવી રીતે વાયુ સર્વ દિશામાં ગતિ કરે છે, તે પ્રમાણે આ ગર્ભ પડદાસહિત ગતિ કરેા. હે જીવ ! જરાયુ કહેતાં પડદા, જે જીવાત્માનુ નિવાસસ્થાન છે તેને ત્યાગ કરી ગભ તથા આરની સાથે બહાર આવ.” વિવાદ્—આ સંસ્કારમાં લાગ્ન એટલે શેકેલી ડાંગર (સાળ) પરણનાર સ્ત્રીના હાથમાં વર પેાતાને હાથે નાખે છે. આ લાજાહેામની ત્રણ આહુતિ આપતી વખતે સ્ત્રી કહે છે કે, હું સૂર્યદેવતા ! મેં સારા વરની પ્રાપ્તિ માટે તારૂ યજન કર્યુ` હતું. મને મારા પતિના ગ્રહસ્થાને એવી રીતે જોડ કે કદી છૂટી પડવાના વખત ન આવે. મારે પતિ દીર્ધાયુ થાએ અને કુટુંબ વૃદ્ધિ પામે. હે અગ્નિદેવ ! અમે। દંપતીની પ્રીતિને સદા અનુમેાદન આપે. તે પછી પતિ કહે છે કે હે કન્યા ! સતાન અને સૌભાગ્યની સિદ્ધિને સારૂ હું તારા હસ્ત ગ્રહણુ કરૂ. છું. તું મારી સાથે આનદ ભોગવી વૃલ્હાવસ્થા પ્રાપ્ત કર, ભગવાન સૂર્ય તથા અમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy