SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ १८-सगुण भक्ति वधारे उपकारक छे. દેવ એક છે અને તે સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. “સગુણનાજ આધારથી, નિર્ગુણ ખાત્રીપૂર્વક જોઈ શકાય” એવો સમર્થ સરખા બ્રહ્મવેત્તાનો ઉપદેશ છે. તેથી સગુણ પ્રેમને યત્કિંચિત ધક્કો ન મારતાં નિર્ગુણ બંધની જે હથોટી સંતજનો છે, તે જ કલ્યાણકારક છે. ઉપનિષદો, પંચદશી, યોગવાસિષ્ટ ઇત્યાદિ વેદાંત ઉપરના ગ્રંથો વાંચીને તે સમજતાં (પચાવતાં) ન આવડયાના લીધે તથા સત્સંગમાં ખરા પરમાર્થને મર્મ ન સમજવાને લીધે કેટલાક લોક-જૂના અને નવા શિક્ષણની પરંપરાથી–એવા નિર્માણ થયા છે, કે તે સગુણનો ઉચ્છેદ થતા જુએ છે; પણ સગુણને પ્રેમ અતિશય વધારવામાંજ પરમાર્થશ્રવણનું પરિણામ થવું જોઈએ. સંતો ને માર્ગ આ છે. સંત રૂક્ષ વેદાંતી નહોતા. તે નિસીમ ભક્ત હતા, તે પ્રેમમૂતિ હતા. જ્ઞાનેશ્વરી - અમૃતાનુભવ સરખા અલૌકિક બ્રહ્મજ્ઞાનના ગ્રંથ નિર્માણ કરનારા શ્રી જ્ઞાનેશ્વર મહારાજ નિઃસીમ કૃણભક્ત ઉર્ફે વિઠ્ઠલોપાસક હતા. આ સ્વચ્છ આરસે સર્વ મુમુક્ષુએ પિતાની આંખો સામે રાખી નિર્ગુણને બોધ અને સગુણને પ્રેમ એનું ઐક્ય કરી પિતાનું અને પારકાનું હિત સાધવું. દાસબેધનું દશક ૬ સમાસ ૭ વાચકોએ જોવું. સમર્થના મુખથી બ્રહ્મજ્ઞાન સાંભળીને એટલે કે નિર્ગુણ નિરાકાર નિરંજનનું પ્રકરણ સાંભળીને એક થતા કહેવા લાગ્યો કે, “ઠીક થયું ! હું બ્રહ્મ છું અને જગત મિથ્યા છે, એ મને સમજાયું. હવે પૂજા–અર્ચાની જરૂર નથી” એ જોતાં જ -રામ-ભકિતથી ઉભરાતા અંતઃકરણથી સમર્થ કહે છે કે – અરે! ભોજન કરવું પડે છે, પાણી પીવું પડે છે, મળમૂત્ર ત્યાગ કરવો પડે છે, તે પણ છૂટતું નથી; માણસોનું સમાધાન રાખવું, પિતાનું પારકું એાળખવું, અને ભજન ન કરવું, એ કયું જ્ઞાન ? સાહેબને ત્યાં આળોટવા જવું, નીચ સરખા થવું, અને દેવને ન માનવા, એ કયું જ્ઞાન? હરિહર બ્રહ્માદિક, હે જયના આજ્ઞાધારક! તું એક રંક માનવી, ભજવામાં તારું શું ગયું? અમારા કુલ રઘુનાથ, રઘુનાથ અમારે પરમાર્થ, જે સમર્થને પણ સમર્થ, તે દેવ છોડાવ હવે; તેને અમે સેવક જન, સેવા કરતાં થયું જ્ઞાન, તેનાથી અભાવે કર્યું પતન થવાય છે. રામસેવા કરતાં કરતાં આ બ્રહ્મજ્ઞાન અમોને પ્રાપ્ત થયું, એમ સમર્થ પિતે કહે છે. ત્યારે પછી સેવા-ઉપાસના છોડીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાને બીજે કયો સરળ માર્ગ છે? તેથી જ ઉપાસના બળવાળી જઈએ, એકનિષ્ઠ પ્રેમ જોઈએ અને હરિના ગુણનું શ્રવણ કીર્તન અવશ્ય જોઈએ. श्रवणं कीर्तनं ध्यानं हरेरद्भुतकर्मणः। ગન્મ વર્ષ જુના ૨ ત૨ર્થsણદિતમ્ (ભાગવત ૧૧-૩-૨૭) એટલે અભુત લીલા કરના હરિના અવતારનું, ચરિત્રોનું અને ગુણોનું શ્રવણ, કીર્તન અને ધ્યાન કરવું અને સર્વ કર્મ ભગવતપ્રીત્યર્થ કરવાં, એ ભક્તને સ્વભાવજ બની જાય છે. ભક્તિગ સહેલો અને સર્વસાધ્ય છે. “ હે ઈશ્વર ! તને આપવાને મારી પાસે દ્રવ્ય નથી, તને જાણું એવી બુદ્ધિ નથી, યોગાભ્યાસ કરવાનું મારા હાથમાં નથી અને વખત પણ નથી, એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy