SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શુભસંગ્રહ-ભાગ ચેાથેા છે. જેમાં જેએ અધિક સમય જોડાયલા રહે છે, તેજ તેમના અધિક પ્રેમને વિષય છે; અને જેમાં જેએક અત્યંત ન્યૂન સમય જોડાયલા રહે છે, તે તેમના અત્યંત ન્યૂન પ્રેમના વિષય છે. અસંખ્ય મનુષ્યા પરમેશ્વરને મેળવવા ઈચ્છે છે, પણ તેમાંથી કાઇકનેજ પરમેશ્વરના અનુભવ થાય છે; કારણકે અસંખ્ય મનુષ્યેામાંથી કાકજ પરમેશ્વરના ઉપર અત્યંત પ્રેમ કરે છે, અન્ય સના અત્યંત પ્રેમના વિષય પરમેશ્વર હાતાજ નથી અને તેથી તેમના મનમાં પરમેશ્વરનું અખડ ચિંતન થતું હતુંજ નથી, જેના ઉપર તેમને અત્યંત પ્રેમ હેાય છે, તેનુ ંજ અધિક ચિંતન તે કર્યાં કરે છે, અને તેથી તેજ તેમને પ્રાપ્ત થાય છે. દ્રવ્યને અથવા વિભવાને અથવા શબ્દાદિ અન્ય વિષયાને જેવા ભારે પ્રેમથી આપણે ચાહીએ છીએ, તેવાજ ભારે પ્રેમ આપણે પરમેશ્વર ઉપર જ્યારે કરીએ છીએ, ત્યારેજ પરમેશ્વરને પ્રાપ્ત કરવાનાં સાધના અડિતપણે આપણાવડે સેવાય છે. અંતઃકરણના સપૂર્ણ પ્રેમથી પરમેશ્વરને આપણે ચાહીએ છીએ, ત્યારેજ આપણા મનમાં પરમેશ્વરસંબંધી અખંડ ચિંતન ચાલે છે, અને ત્યારેજ આપણું જીવન આધ્યાત્મિક થઇ પરમેશ્વરના સ્વરૂપને સમજવાની આપણામાં યોગ્યતા આવે છે. પરમેશ્વરનું અખંડ ચિંતન થતાં આપણા અણુમાત્રની અત્યંત શુદ્ધિ થાય છે; કારણ કે જેવું આપણે સૌથી અધિક ચિંતન કરીએ છીએ, તેના જેવાજ આપણે અતખ્ખલ થઇએ છીએ. પરમેશ્વર અત્યંત વિશુદ્ધ હાવાથી આપણાં શરીર, મન વગેરે સ અત્યંત વિશુદ્ધ થતાં જાય છે; અને જેમ જેમ તેએ અધિક વિશુદ્ધ થતાં જાય છે, તેમ તેમ આપણામાં પરમેશ્વરના સ્વરૂપને સમજવાનું અધિક સામર્થ્ય આવતું જાય છે, આમ ક્રમે ક્રમે આપણે ઉચ્ચ થતા જઇ પરિણામે પરમેશ્વરરૂપજ થઇ રહીએ છીએ. જેના ઉપર આપણા સૌથી અધિક પ્રેમ હાય છે, તેનું આપણે સ્વભાવથીજ સૌથી અધિક ચિંતન કરીએ છીએ; તેનુ' મુખ્ય કારણ એ છે કે, પ્રેમ અવ્યભિચારી છે. સાચા પ્રેમને અનેક વિષય હાતા નથી. તેને એકજ વિષય હાય છે, અને આ એકજ વિષય ઉપર તેનુ` સંપૂર્ણ ધ્યાન વળેલું રહે છે; અને જેના ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન વળેલુ હાય છે, તેના સંબધીજ આપણા મનમાં વિચાર ચાલે છે, તેથી અધિક પ્રેમના વિષયનું જ આપણે સૌથી અધિક ચિંતન કરીએ છીએ. આપણા પ્રેમના વિષયનુ જ આપણે નિત્ય ચિંતન કરીએ છીએ, તેના આપણુને વ્યવહારમાં નિસ અનુભવ થાય છે. અવલેાકન કરીને જોનારને જ્યાં ત્યાં આ નિયમ પ્રત્ર રહેલા અનુભવમાં આવ્યા વિના રહેતાજ નથી. સામાન્ય વસ્તુએ ઉપર પ્રેમ કરવાથી ઉચ્ચ મનુષ્યા પણ સામાન્ય થઇ જાય છે, અને ઉચ્ચ વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી સાધારણ મનુષ્યા પણ ઉચ્ચ થઈ જાય છે. અત્યંત હલકી સ્થિતિમાં જન્મેલા સેકડા મનુષ્યા આજ નિયમને લીધે અસાધારણ ઉચ્ચ સ્થિતિને પામ્યા છે અને અત્યંત ઉચ્ચ સ્થિતિમાં જન્મેલા આજ નિયમને લીધે ચીંથરેહાલ થઇ ગયા છે. હલકી વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી મનમાં હલકી વસ્તુએનાજ વિચાર। ચાલે છે, અને તેમ થતાં ‘મનુષ્ય જેને અધિક વિચાર કરે છે, તેવેાજ તે થાય છે' એ નિયમ પ્રવર્તાવા માંડે છે. કેટલા કેટલા સુંદર મનુષ્યા લકી વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી કસ્તૂપાં મુખ અને શરીરવાળા થઈ ગયેલા વ્યવહારમાં આપણા જોવામાં આવે છે ! જે બાળક આડ-દશ વર્ષની વયે મને હર આકૃતિવાળા હાય છે, અને જેને જોઇને સર્વને પ્રસન્નતા પ્રકટતી હોય છે, તેજ બાળકની આકૃતિ વીસ વર્ષની ઉંમરે અત્યંત અણુગમે ઉપજાવે એવી થયેલી, વ્યવહારમાં કાના જોવામાં નથી આવી ? તેજ પ્રમાણે સામાન્ય આકૃતિવાળાં મનુષ્યા અત્યંત પ્રૌઢ અને આકર્ષક થયેલાં ઉદાહરણે। કયા દ્િવેકીને ષ્ટિએ નથી પડચાં ? ભય પ્રસંગમાં ઉભય મનુષ્યેાના પ્રેમના વિષયેાજ મુખ્ય કારણ છે. સામાન્ય હલકા વિષયેા ઉપર પ્રેમ કરનારના વિચારો સામાન્ય હલકા પ્રકારનાજ હોય છે; અને આ હલકા વિચારનાં આંદેલને બહુ મ અને સ્થૂલ હેાવાથી શરીરનાં તત્ત્વ મંદ અને સ્થૂલજ રહે છે. એથી ઉલટુ ઉચ્ચ વિષયેા ઉપર પ્રેમ કરનારના વિચારા ઉચ્ચ પ્રકારના હેાવાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy