SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ - ~ ~~ ~~ ~ ~~~ ~ ~~~~ vvvvvvvvvv ૪૯૨ શુભસંગ્રહ ભાગ ચા બેઠી હતી. અહીંથી નાતાલની રાજધાની પીટર મેરીસબર્ગ માત્ર ૧૧૯ માઈલ દૂર હતી. લેડી સ્મીથમાં સર જં વહાઇટ પિતાની સેના સહિત ઘેરાઈ ગયા હતા. બોઅર જનરલે અખુલવાનની પહાડી જગા પર તપખાનું ગઠવ્યું અને ત્યાંથી એવા ગેળા છોડવા શરૂ કર્યા કે જેનું વજન ૯૬ પૌડ થતું હતું. અંગ્રેજ સેનાએ એ તોપનું નામ “લાંગ ટોમ” પાડયું હતું. “લોંગ ટામ’માંથી ગેળો છૂટે એટલે અંગ્રેજ સેનામાં ખળભળાટ મચી જતો હતો. માટી અને રેતીની ગુણ ભરીને ઉપર નીચે ગોઠવી તેની વાડ કરી લીધી હતી. હવે પ્રશ્ન એ હતો કે, કોણ પિતાના જાનપર ખેલીને પિલી ગુણના ઢગલા ઉપર ઉભો રહે અને જ્યારે લોંગ ટીમમાં ગોળો ભરાવા લાગે ત્યારે અંગ્રેજ સેનાને રક્ષિત સ્થાનમાં છુપાઈ જવા માટે સાવધાન કરે? લેગ માંથી ગોળ ઇટીને આ જગાએ પહોંચતાં ૮-૧૦ મિનિટ લાગતી. કેઈ અંગ્રેજ બહાદુરે આવી રીતે પિતાને જીવ જોખમમાં નાખવાનું સાહસ ન કર્યું, પણ વીરભૂમિ ભારતના અતીત ગૌરવની રક્ષાને માટે પ્રભુસિંહે પિતાના પ્રાણની બાજી લગાવવાનું બીડું ઝડપ્યું. તે ગુણોના ઢગલા ઉપર અંગ્રેજી વાવટો યુનિયન જેક–લઈને ઉભા રહેતા અને જ્યારે ‘લેગ ટોમ’માંથી ગેળો છે ત્યારે બસબબસબ” કહીને ઘાંટા પાડતે. એને અવાજ કડક હતા. પેલી બાજુએ તપ ગર્જના કરતી તે આ બાજુએ પ્રભુસિંહ ગર્જના કરી ઉઠતે; એટલે અંગ્રેજ, ભારતીય, હબસી બધા નાસીને રક્ષિત રથાનમાં છુપાઈ જતા. કઈ કઈ વખતે તે ગેળો પ્રભુસિંહની પાસેજ ફાટતે, જેના ટુકડા આફત મચાવી મૂકતા; પરંતુ ચાર મહિના સુધી “તે પ્રભુની કૃપાવડે આ પ્રભુની રક્ષા થઈ. માત્ર એક જ દિવસે એક ગોળા તદ્દન પાસેજ પડયા હતા, જેના આઘાતથી બે પશુ અને બે મનુષ્ય મરણને શરણ થયાં. તેનો એક કકડે પ્રભુસિંહની છાતીમાં અથડાઇને નીચે પડે, જેથી તેના પગના અંગુઠામાં કેટલીક ઇજા થઈ. તે સમયની અવસ્થા વર્ણનાતીત છે. અંગ્રેજોની ખેરાકી ખૂટી. ચારે બાજુએ ઘેરાઈ જવાથી બહારથી કઈ મદદ ન મળી શકી. ઘેડા-ગધેડાનું માંસ પણ સૈિનિકોની હાજરીમાં પડવા લાગ્યું. આવા વિકટ સમયે પ્રભુસિંહ ચોવીસ કલાકમાં માત્ર એક વાર આહાર કરતા અને તે પણ માત્ર બે અધેળ મકાઈના લોટની રાબડી કરીને. આવી રીતે ત્રણ માસ પછી લેડી સ્મીથના ઘેરાનો અંત આવ્યો. બહારની અંગ્રેજ સેના આગળ વધી, ડચ પાછા પડવા. સર જે હાઈટ પ્રસિંહને ધન્યવાદ આપીને વિલાયત ચાલ્યા ગયા. ત્યાં તેમણે પ્રભુસિંહની વીરતાની મુકતકંઠે પ્રશંસા કરી. તેમની બહાદુરીનું વર્ણન સાંભળીને ભારતના તત્કાલીન વાઈસરોયની સ્ત્રી લેડી કને પ્રભુસિંહને એક ઝબ્બે મોકલ્યા અને નાતાલ સરકારને અનુરિધ કર્યો કે, તે પ્રભુસિંહને પાછો સ્વદેશ મોકલી દે. સાર્વજનિક રૂપે પ્રભુસિંહની વીરતા સ્વીકારવા અને લેડી કર્ઝનને “ઝભ્ભો પ્રદાન કરવા ડર્બનની કાઉન્સિલ ચેમ્બરમાં સભા થઈ. આ સભામાં ડર્બનના મેયર ગ્રીન એકર એમ. એલએ.), સર ડેવીડ હંટર, એકટીંગ મેજીસ્ટ્રેટ, પ્રવાસી ભાર તીયના પ્રોટેકટર અને ફેજના ઘણા અમલદારો સિવાય મહાત્મા ગાંધી પણ ઉપસ્થિત હતા. બધાએ પ્રસિંહની વીરતાની ઘણી ઘણી પ્રશંસા કરી. તે વખતે ડરબનના પ્રસિદ્ધ સાપ્તાહિક પત્ર “ધી રીયુ એન્ડ ક્રીટીકે પેતાના ગ્રાહકો પાસેથી ઉઘરાણું કરીને પ્રથમ અને દ્વિતીય શ્રેણીના બે ચાંદ તૈયાર કર્યા અને નિશ્ચય કર્યો કે, બેઅર યુદ્ધમાં જેમણે સૌથી વધારે વીરતાનું કામ કર્યું હશે, તેમનેજ આ ચાંદ આપવામાં આવશે. તા. ૬ ઠ્ઠી ઓકટોબર ૧૯૦૦ ના અંકમાં આ પત્રે ઘોષણા કરી હતી કે, પ્રથમ શ્રેણીનો ચાંદ મેળવવા પ્રસિંહ યોગ્ય વ્યક્તિ છે અને તેમને જ આ ચાંદ આપવામાં આવશે. પરંતુ દુર્ભાગ્યવશ પ્રભુસિંહ ચાંદ મળે તે પહેલાંજ નાતાલથી ભારત આવી ગયા હતા. ભારત આવ્યા ત્યારે મહાત્મા ગાંધીએ સુરેંદ્રનાથ બેનરજી ઉપર એક પત્ર લખીને પ્રભુસિંહને આપ્યો હતો. તેમાં બેનરજી મહોદયને પ્રાર્થના કરી હતી કે, લૈર્ડ અને લેડી કર્ઝન સાથે પ્રભુસિંહને મેળાપ કરાવી દે, પરંતુ અશિક્ષિત વીર પ્રમુસિંહ એ પત્રનો મર્મ ન જાણી શક્યા, તેથી એ સૌભાગ્યથી વંચિત રહ્યા. પ્રભુસિંહ લેડી કર્ઝનને ઝબ્બો અને ૯૦ ગીની લઈને ઘેર પહોંચ્યા. આ રકમમાં તેમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy