SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. શુભસ’ગ્રહ–ભાગ ચાથા તેમને સ્થાન ન મળ્યું. એ ડેસે પૂજ્ય ગુરુદેવને મળ્યું. આંખમાં આંસુ લાવી તેણે કહ્યું–“આ મારાં ફૂલ જેવાં બાળકાને સંભાળનાર કાઇક મળે તેા મારા જીવનની મને દરકાર નથી. હું જીવું કે શરૂ તેની મને લેશમાત્ર ચિંતા નથી.’ મહારાજશ્રીનું હૃદય આ વચન સાંભળી પીગળ્યું–હાય ! માનવીની આ દશા ! ગુરુદેવના હૃદયમાં માનવસેવા ઉભરી નીકળી. ડેાસાને આશ્વાસન આપી બાળકાને રહેવાને માટે બીજે તપાસ કરી, પણ કયાંય બાળકોને સ્થાન ન મળ્યું. મહારાજશ્રીને વિચાર આવ્યા કે, અહીં પાઠશાળા ચાલે છે તે તેને અંગે એર્ડિંગ ખેલવામાં આવે તે ઘણું! લાભ થાય. આવા સેંકડા અનાથ જૈન બાળકે તેને લાભ લે. અહીં રહી ભણે, તૈયાર થાય અને ભવિષ્યમાં સમાજને સેવા અર્પે. એ તે! નિયમ છે કે જેના ઉપદેશકે ખળવાન તેમને ધ ખળવાન'' આમ વિચારી પાઠશાળાને અંગે ખેડિંગ ખેલી અને પાઠશાળાનું નામ “શ્રી યશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ખેડિંગ” રાખ્યું. એડિંગ થવાથી આજુબાજુના ઘણા ગરીબ જૈન ખાળી અભ્યાસ માટે દાખલ થવા આવ્યા. વિશેષ મદદ માટે પેાતાના પરમ સ્નેહી અને વડીલ આચાય વિજયધ સુરી પાસે માગણી કરી અને આચાર્યશ્રીએ પણ અમુક સમય સુધી મદદ આપવાની હા કહી. બાળકાને અભ્યાસ સુંદર રીતે ઝડપથી આગળ વધતા ગયા. અધ્યયન-અધ્યાપનની અધી બાબતમાં ગુરુદેવ જાતેજ દેખરેખ રાખતા. ટુંક સમયમાંજ આ સંસ્થામાંથી ચાર વિદ્યાર્થી એ અઢારહજારી સિદ્ધહેમ વ્યાકરણ ભણી કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાકરણની મધ્યમ પરીક્ષા આપવા ગયા અને તેમાંથી ત્રણુ ઉ ંચે નબરે પાસ થયા. પાલિતાણામાં ભયંકર જળપ્રલય અને મહારાજશ્રીની ભગીરલ સેવા આ વખતે સંસ્થાની ખૂબ પ્રગતિ થઇ હતી. સંસ્થા અત્યારે ઉન્નતિને શિખરે હતી. આખી જૈન કામમાં અપૂર્વ અને અનુપમ સ્થાન સથાનુ હતુ. આ વખતે પાલિતાણામાં ૧૯૬૯ ના ભાદરવા વદ ૮ની રાત્રે લય કર્ર હૃદયભેદક કારમે પ્રસંગ બન્યા. આ પ્રસંગે માનવતાની કસોટી હતી, ગુરુદેવ એ કસોટીમાંથી પસાર થયા. બનાવ એમ બન્યા કે, રાત્રે ગાજવીજ વરસાદ-મુશળધાર ષ્ટિ શરૂ થઈ આંખા પણ ન ઉઘડવા દે તેવા વિજળીના ચમકારા થતા હતા, ભયંકર કડાકા ખેલતા હતા અને વાયુદેવને મહાન પ્રાપ ઉછળી રહ્યો હતેા. વરુણદેવ અને વાયુદેવે પેાતાના પ્રચર્ડ પ્ર}ાપમાં અનેક જીવાના અલિ લેવા શરૂ કર્યો, સે'કડા ધર જમીનદેાસ્ત થયાં અને હજારા માણસો, એ અને બાળકા તણાવા લાગ્યાં. ઉપરથી ડુંગરનું પાણી જેશબંધ માર માર કરતું વસ્યું આવતું હતું. ખીજી ખાજુ નદીનેા બંધ તૂટયા, પાણી ગામમાં પેઢું. પાલિતાણાને ફરતી ત્રણ બાજુ નદી છે અને ચેાથી બાજુથી ડુંગરનુ પાણી ગામમાં ફરી વળ્યુ છે. આખું ગામ બંબાકાર જળજળમય થઈ ગયું. તણાતા માનવીએ ‘બચાવા બચાવા’ના હૃદયભેદક કરુણ પાકારા પાડતા હતા; પણ કાટને સાંભળવાની પુરસદ ન હતી. આ વખતે સસ્થા આસમાન શેઠના મકાનમાં હતી અને મકાન બહુજ મજબૂત હાવાથી તે પૂરેપૂરી સુરક્ષિત હતી. જે જળપ્રલય હમણાં આખા ગુજરાત ઉપર થયા તેવાજ જળપ્રલય પાલિતાણામાં અને તેની આજુબાજુમાં થયેશે. બચાવા બચાવાના પોકાર સાંભળી મહારાજશ્રી જાગી ઉઠવ્યા. જોયું તે તેમને લાગ્યું કે, અત્યારે સેવાધર્મ બજાવવાના અણુધાર્યો અપૂર્વ અનુપમ મેકા આવ્યા છે. તેમને દયાપ્રેમી આત્મા પોકારી ઉયેા કે “ હું એકેદ્રિય જવાના બચાવમાટે આધા ( જૈન સાધુ પેાતાની પાસે રાખે છે) રાખું છું તેા પાંચેંદ્રિય જીવાને બચાવવા તે મારી પ્રાથમિક ફરજ છે.' ખસ, તરતજ તેમણે અંદર ઝ ંપલાવવાના નિશ્ચય કર્યો. સામેના દવાખાનાના પીલર સાથે દેરડાં બાંધી જીવના જોખમે ઝુકાવ્યુ'. ઉપર અનરાધાર મેધ વધે અને નીચે નમ્યું પાણીજ પાણી ! કચ્છી સાહસ, ધૈય અને શૌય હાજરજ હતાં. પેાતે તે વખતે સાડાત્રણસો મનુષ્યને અને સેકડે ઢારાને જળનાં ભાગ થતાં બચાવી દરેકને પકડી પકડી પાતે ઉપર પહાંચાડતા હતા. બચેલાં મનુષ્યામાં ઘણાં તે નગ્ન હાલતમાંજ હતાં. તે દરેકને માટે સસ્થાના સ્ટાર ખુલ્લા મૂકાવી દીધા અને દરેક પ્રકારની મદદ આપી. આ મહાન મૂક સેવા, પ્રેમની ભગીરથ મહેનત અને સેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy