SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શુભસંગ્રહ ભાગ ચેાથો બની. ત્યાર પછી આ ગુરુશિષ્યને સંબંધ આજીવન રહ્યો. આ બંને વચ્ચે હમેશાં મતભેદના ઝગડા થતા રહ્યા, પરંતુ લેનિનને દ્રોટસ્કીપરનો પ્રેમ અને ટ્રોસ્કીની લેનિન સંબંધેની ભક્તિ એમાં રતી જેટલું પણ કદી ફરક પડ્યો નહિ. સ્કી પિતે લેનિનના મુખ્ય સેક્રેટરી તરીકે છેવટ સુધી રહ્યો. લેનિન અને ટ્રોસ્કીએ સન ૧૯૧૭ના નવેમ્બરમાં કેરેક્ટીના પ્રમુખપણું નીચેની પ્રોવિઝનલ ગવર્નમેંટ ઉથલાવી નાખી બે શેવિક અમલ જાહેર કર્યો. ટ્રોસ્કી જેમ લેનિનને સેક્રેટરી હતો, તેમ તે રશિયન ક્રાન્તિકારક સૈન્યને મુખ્ય સેનાપતિ પણ હતો. આગળ જતાં ૧૯૨૧ માં મજુર અને ખેડુતોના અજ્ઞાનને લીધે ભયંકર દુકાળ પડ્ય; તેથી લેનિને ન્યુ ઇકોનોમિક ઑલિસી ” રાજ્યમાં શરૂ કરી. લેનિન ને ટ્રોસ્કી વરચે સૌથી મોટે મતભેદ આ ઠેકાણેજ થયો. તે કહે કે, જાની ઍલિસીમાં ફેરફાર કરે નહિ. ત્યારે લેનિન કહેતો કે, લોકેની સગવડને ખાતર તે કરવો જોઈએ. આ વિરોધ છેવટ સુધી ટકયો. લેનિન જીવતે હતો ત્યાં સુધી માત્ર ટ્રોસ્કીએ પોતાના વર્તનમાં જરાયે ફેર કર્યો નહિ ને પોતાના ગુરુની આજ્ઞા અક્ષરશ: પાળી. લેનિન ૧૯૨૪માં મરણ પામે. મરતાં પહેલાં ટ્રોસ્કીને વિરોધ જોઇને તેનું પર્યવસાન શેમાં થશે, એ તેને સમજાઈ ચૂકયું હતું તેથી પેતાની પાછળ બેશક અધિકારનાં સૂત્રો અને આગેવાની તેના બીજ મુખ્ય શિષ્ય ઍલિનના હાથમાં જાય એવું તેણે જાહેર કર્યું; પણ ટૂંકી ઉપરને તેને પ્રેમ માત્ર છેવટ સુધી કમી થયે નહિ. તે તેની યોગ્યતા અપછી રીતે ઓળખતો હતો. લેનિન મરણ પામ્યા પછી મૅડમ લેનિને ટોકીને જે પત્ર મોકલ્યો છે, એ ઉપરથી એ બીના ખુલી થાય છે. તેમાં તે લખે છે – અને અને કહેવા માગું છું તે એ છે કે –લ્લેબીમાર લીચ અને તમારી વચ્ચે-સાઈબીરીઆથી લંડનમાં આવ્યા તે વખતે-જે સંબંધ બંધાયો હતો, તે તેમના મૃત્યુપર્યત ફેરફાર થવા પામ્યો ન હતો.” ખુદ લેનિને તેની બાબતમાં એમ કહ્યું છે કે, તે ચંચળ છે; પણ તેની તત્વનિષ્ઠા અઢળ છે ને તેનામાં દેશસેવા સિવાય બીજો વિચાર પણ આવતો નથી. લેકોને ટ્રોફી સંબધે બહુ માન હતું કે તેઓ તેને લેનિનને જમણે હાથ કહેતા. ટ્રોસ્કીન નામને નિર્દેશ કરવાનું થતાં લોકે પ્રેમપૂર્વક “લેનીન્સ બિગ ટીક” આવા મહત્ત્વદર્શક નામથી કરતા; પણ તેની તવનિષ્ઠા બહુ કડક હોવાથી આગળ જતાં એટલે લેનિનના મૃત્યુ પછી રાજ્યાધિકારના સ્પર્ધાભર્યા સામનામાં ફેર-નાફેરવાદને લીધે તેને ટકાવ થઈ શક્યો નહિ ને તેને હદપાર થવું પડયું. સિવાય તે બેલ્સેવિકેને ખરે આગેવાન અને ગરીબને ખરે લાગણીવાળા મિત્ર છે. ટ્રટસ્કીના સ્વભાવમાં થોડા વિધી અને પુષ્કળ સારા ગુણોનું મિશ્રણ થયેલું છે. તે જેટલો ચંચળ તેટલોજ કરારી છે. તેની ચંચળતાને લીધે લેનિન “ટશિન વૅરિયર' આમ વિદથી કહેતો. પરાક્રમ, શિસ્ત, કલાકૌશલ્યની અભિરુચિ, મનનું મોકળાપણું, સાહસ, સ્પષ્ટવક્તાપણું, અપ્રતિમ બુદ્ધિમત્તા અને વસ્તૃત્વ, મજબૂત અને કસાયેલું શરીર, દેખાવડી અને નિશ્ચયી મુદ્રા, જન્મજાત સેનાપતિ અને આગેવાન, આવા અનેક ઉત્તમ ગુણ તેનામાં છે. તેને ચાહનારા તે એમ. કહે છે કે, તે રશિયાનો નેપોલિયન હાઈ થોડાજ વખતમાં આખા જગતને પોતાના પરાક્રમથી જીતશે, એવી અમને ખાત્રી છે. તે ઉત્તમ સેનાપતિ હોવાથી તેણે રશિયન સૈન્યની વ્યવસ્થા એટલી ઉત્તમ ને એવી સરસ રીતની કરી રાખી છે કે, રશિયન સિન્યખાતું ને ખુદ સૈન્ય એક ઉત્કૃષ્ટ નમુનારૂપ થઈ પડયું છે. ટોટસ્કીની આ સૈન્યવિષયક અભિરુચિનું પરિણામ તેના પિષાકપર સુદ્ધાં થયેલું હોઈ તે હમેશાં સૈનિક પોષાકમાંજ રહેતો હતો. લેનિનના મૃત્યુ પછી ઍલિન અને ટ્રોસ્કી આ. બે તેના મુખ્ય શિષ્યો વચ્ચે ભયંકર ઝટપટ શરૂ થઈ. સ્ટેલિન, લેનિનની ન્યુ ઇકોનૈમિક પોલિસી પ્રમાણે એકનિષ્કપણે ચાલનાર છે. દ્રોટીનું કહેવું એવું હતું કે ઈ. ૧૯૨૦ની સાલપર્યત જે પોલિસી હતી તે જ કાયમ રાખે. પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરવો ઢોસ્કીના તત્વનિષ્ઠ અને એકમાગી મનને બીલકુલ ગમતું નથી; તથાપિ આ નાફેરપણાને લીધે જ તેને લોકમતને ટકે ન મળતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy