SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ટિલીને એક મહાવીર-મુસલીની પાડી. આ વખતે ફેસિસ્ટ હથિયાર ઉઠાવવાને બદલે હડતાળની જગ્યાઓએ પતે જાતે કામે લાગી ગયા અને નાના-મોટા સૌ દશ દશ બાર બાર કલાક સુધી કામ કરવા લાગ્યા. મુસોલિનીએ જોયું કે, દેશમાં બે પક્ષને અમલ રહે ત્યાં સુધી ઝઘડા થયાજ કરવાના. તેણે તા. ૨૪ મી ઓકટોબરના “પપેલો” માં જણાવી દીધું કે “સરકારે બધે કારભાર અમને સંપી દેવો જોઈએ; નહિ તો અમે તે કબજે કરીશું.” એ શબ્દ લખીને તે કાંઈ બેસી ન રહ્યો. તેણે પોતાની સ્વયંસેવક ફોજને રોમ તરફ કૂચ કરવાનો હુકમ આપ્યો. પ્રજામાં ગભરાટ ન ફેલાય તે માટે તેણે “પપલો” મારફત ખેડતો, મજુરો અને પ્રજાને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે “અમે આ તલવાર તમારા વિનાશમાટે નથી ઉપાડી, તમારાં બંધને તેડવા માટે ઉપાડી છે.” વડા પ્રધાન સીનાર કાકાએ સામે થવાને પ્રયત્ન કર્યો. તેણે ઈટાલી દુશ્મનોથી ઘેરાયેલું જાહેર કરવાનો દ્વારા તૈયાર કર્યો અને રાજા પાસે રજુ કર્યો. રાજાએ તેને જણાવી દીધું કે, હવે એ ફાંફાં મારવાં મિથ્યા છે, સેનાપતિએ પણ તે ઢંઢેરાપર સહી કરવા ના પાડી. મુસલીનીએ ધસારો આગળ ચલાવ્યો. લોહીનું એક પણ ટીપું પાયાવિના તેના લશ્કરે રોમમાં વિજયપ્રવેશ કર્યો. - ઈટાલીને ખરે રાજા મુસલીનીને વિજયવાવટો ફરકવા માંડ્યો. ઈટાલીની સરકારે સુલેહનું કહેણ મોકલ્યું. મુસો જણાવ્યું કે “મને રાજા તરફથી સંદેશે નહિ મળે ત્યાં સુધી હું નહિ આવું.” તા. ૨૯મી ઑકટોબરની બપોરે શહેનશાહના એ-ડી-કાંનો ટેલીફોન આવ્યો. મુસેલીનીએ ઉપકાર માન્યો પરંતુ પિતાને તાર ન મળે ત્યાંસુધી આવવા ના પાડી. અડધાજ કલાકમાં તેના હાથમાં શહેનશાહના આમંત્રણનો તાર આવ્યો. મુસાલીની મીલાનથી રોમ જવા ઉપડશે. આખે રસ્તે લોકેએ તેને હર્ષનાદથી વધાવ્યો. તા. ૩૦ મીએ બપોરના મંત્રણા ચાલી. મુસલીની પ્રધાને, મંત્રીઓ વગેરેની યાદી તૈયાર રાખીને જ ગયે હતો. શહેનશાહે સઘળી નિમણુક મંજુર રાખી. ત્રણ વાગે ના ડંકા વાગ્યા, તેની ગર્જના થઈ, વાવટા ફરકવા લાગ્યા. મુસલીનની સ્વારી નીકળી. રાજા, નામનોજ રાજ રહ્યો. ઇટાલીને ખરે રાજા મુસલીની બને. રાજ્યની કુલ લગામ તેને હાથમાં આવી. એક લાકડીએ તેણે રાજ્યવહીવટની ગાડી હાંકવા માંડી, કલમની એક જ લીટીએ તેણે કાયદા ઘડવા માંડ્યા. ફેસિસ્ટ કાર્યક્રમ મુજબ ઈટાલીની તેણે પુનરચના માંડી. ફેસિસ્ટ કાર્યક્રમ આજે આખું ચૂરેપ ઈટાલીપર નજર માંડી રહ્યું છે. ઇતિહાસકારો અને લેખકો મુસોલીનીના વ્યક્તિત્વ અને કાર્યમાં રસ લઈ રહ્યા છે. ઘણાએ તેને ““આપખુદ” “જુભી” “ધમંડી” વગેરે અનેક વિશેષણ આપે છે. “ફેસીઝમ”વિષે પણ અનેક ગેરસમજો ફેલાઈ રહી છે. ઘણાઓ તેને બોશેવિઝમ” ની વિરોધી ચળવળ માને છે; પરંતુ જગતમાં એવી કયી વસ્તુ છે, કે જેની કોઈએ નિંદા ન કરી હોય ? જે વસ્તુ એકને બિનઉપયોગી અને નુકસાનકારક હોય, તે બીજાને કદાચ ઉપયોગી અને ઉપકારક પણ હોય. કેવળ લોખંડ અને કોલસાની પેદાશવાળા ઈગ્લાંડને યાંત્રિક ઉદ્યોગવાદ ભલે જરૂરી હોય; કેમકે તેના લોખંડ અને કોલસાના વેચાણમાંથી તેને અનાજ અને કાપડ જેવી જરૂરિયાતો ખરીદવાની રહી. પરંતુ હિંદુસ્થાન જેવા ખેતીપ્રધાન અને કાચી વસ્તુના ભંડારસમા દેશને એ વાદ ઉપયોગી ન હોય. તેને તે તેની ખાદીજ ઉપયોગી અને ઉપકારક હોય. અમેરિકા જેવા અઢળક દ્રવ્યમાં આળોટતા દેશને સામ્યવાદની જરાયે જરૂર ન હોય; પરંતુ રશિયા જેવા ગરીબ અને ખેડુતોના દેશને એ માર્ગેજ ઉદ્ધાર હોય. તેમ ઇટાલીને અત્યારે એકહથ્થુ સત્તાની અને શાસનની જરૂર હોય. જ્યાં સુધી ઈટાલીની પ્રજાને તે સામે કશી ફરિયાદ ન હોય, ત્યાં સુધી બીજાઓએ શા માટે મિથ્યા કકળાટ કરવો જોઈએ? વળી મુસલીનીએ પિતાનો ફેસિટ કાર્યક્રમ જગજાહેર કર્યો છે કે ૧-મજુરીના આઠ કલાક રાખવાનો કાયદો કરે. ૨-ઓછામાં ઓછી અમુક મજુરી તે આપવી જ, એવો નિયમ ઘડવો. ૩-ઔદ્યોગિક કારખાનાંને વહીવટમાં મજુરોને ભાગ લેવાને હક્ક આપ શું. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy